===પહેલાના પેગંબરોનું કુરાનમાં વર્ણન કરવા માટે વપરાય છે===
કુરાનમાં ઇસ્લામ ઘણા પયગંબરો, સંદેશવાહકોને અને તેમના અનુયાયીઓને મુસ્લિમ તરીકે વર્ણવે છે. જેમાં આદમ,નુહ,ઇબ્રાહીમ,યાકુબ,મુસા,ઇસુ વિગેરેને કુરાન દ્વારા મુસ્લિમ તરીકે સમર્થન મળ્યું છે. કુરાન જણાવે છે કે આ પુરુષો મુસ્લિમો હતા કારણ કે તેઓ અલ્લાહને સમર્પિત, તેમનો સંદેશો પહોંચાડનાર અને મહત્વ સમજાવનાર હતા. આમાં ઇબાદત,દાન,ઉપવાસ કે રોજા અને પવિત્ર ધર્મયાત્રા કે હજનો સમાવેશ પણ થાય છે. કુરાનની સુરત ૩:૫૨ મુજબ ઇસુના અનુયાયીઓએ ઇસુને કહ્યું "અમે અલ્લાહમાં માનીએ છીએ અને આપ એ વાતના સાક્ષી થાઓ કે અમે મુસ્લિમ છીએ (''wa-shahad be anna muslimūn'')." મુસ્લિમ માન્યતા અનુસાર, કુરાન પહેલાં અલ્લાહે મુસાને તોરાત (ધર્મ પુસ્તક) આપી, દાઉદને ઝબુર(ધર્મ પુસ્તક) આપ્યું અને ઇસાને ઇન્જિલ(ધર્મ પુસ્તક બાઇબલ) આપ્યું, આ મહાભુતિઓ અગત્યના મુસ્લિમો કે પયગંબર કહેવાય છે.