કાકાસાહેબ કાલેલકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎પરીચય
infobox person + link
લીટી ૧:
{{Infobox Person
કાકાસાહેબ કાલેલકર, ગુજરાતી સાહિત્યનુ એક જાણીતુ નામ.
|નામ = કાકાસાહેબ કાલેલકર
|ફોટો = Kaka_sahib_kalelkar.jpg
|ફોટોસાઇઝ =
|ફોટોનોંધ = કાકાસાહેબ કાલેલકરનાં માનમાં ટપાલ ટીકિટ.
|જન્મ તારીખ = ૧ ડિસેમ્બર,૧૮૮૫
|જન્મ સ્થળ = [[સતારા]],[[મહારાષ્ટ્ર]]
|મૃત્યુ તારીખ = ૨૧ ઓગસ્ટ, ૧૯૮૧
|મૃત્યુ સ્થળ =
|મૃત્યુનું કારણ =
|હુલામણું નામ =
|રહેઠાણ =
|વ્યવસાય = કેળવણી,સાહિત્યકાર
|સક્રિય વર્ષ =
|રાષ્ટ્રીયતા =
|નાગરીકતા =
|અભ્યાસ = બી.એ. એલ.એલ.બી.
|વતન = કરવાર જીલ્લો,[[કર્ણાટક]]
|ખિતાબ = [[પદ્મવિભૂષણ]]-૧૯૬૪
|પગાર =
|વાર્ષિક આવક =
|ઉંચાઇ =
|વજન =
|મુદત =
|પક્ષ =
|વિરોધીઓ =
|ધર્મ =
|જીવનસાથી =
|ભાગીદાર =
|સંતાન =
|માતા-પિતા = રાધાબાઇ, બાલકૃષ્ણ કાલેલકર
|હસ્તાક્ષર =
|વેબસાઇટ =
|નોંધ =
}}
 
==પરીચય==
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, ‘કાકાસાહેબ’ (૧-૧૨-૧૮૮૫, ૨૧-૮-૧૯૮૧): [[નિબંધ]]કાર, પ્રવાસલેખક. જન્મ [[મહારાષ્ટ્ર]]ના સતારામાં. [[મરાઠી]]માં પ્રાથમિક શિક્ષણ [[પુના]], શાહપુર, બેલગામ, જત, સાઘનુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ૧૯૦૩માં મેટ્રિક. ૧૯૦૭માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ. ૧૯૦૮માં એલ.એલ.બી.ની પ્રથમ વર્ષની પરીક્ષા. ૧૯૦૮માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય. ૧૯૦૯માં મરાઠી દૈનિકમાં. ૧૯૧૦માં [[વડોદરા]]ના ગંગનાથ વિદ્યાલયમાં . ૧૯૧૨માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે. ૧૯૧૫થી શાંતિનિકેતનમાં. ૧૯૨૦થી [[ગુજરાત વિદ્યાપીઠ]]માં પ્રાચીન [[ઇતિહાસ]], ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક. અહીં ગુજરાતી જોડણીકોશનું કામ એમણે સંભાળેલું. ૧૯૨૮માં વિદ્યાપીઠના કુલનાયકપદે. ૧૯૩૪માં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ. ૧૯૩૫માં ‘રાષ્ટ્રભાષા સમિતિ’ના સભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય. ૧૯૪૮થી ગાંધી સ્મારક નિધિ, મુંબઈમાં અને ૧૯૫૨થી એ દિલ્હીમાં ખસેડાઈ ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યમાં જીવનનાં છેલ્લાં વર્ષો સુધી વ્યસ્ત. દશેક વખત કારાવાસ ભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. ૧૯૫૨માં રાજ્યસભાના સંસદસભ્ય તરીકે ને ૧૯૫૩માં ‘બેકવર્ડ ક્લાસ કમિશન’ના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા. ૧૯૫૯ના ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વીસમા અધિવેશનના પ્રમુખ. ૧૯૬૪માં ‘[[પદ્મવિભૂષણ]]’નો ઈલ્કાબ અને ૧૯૬૫નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક.
 
==સાહિત્ય પરીચય==
ગાંધીજીના અંતેવાસીઓમાંના દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પાસેથી ભારતીય સંસ્કૃતિનું સમુચિત ગૌરવ કરતું ચિંતનલક્ષી સાહિત્ય અને વિરલ પ્રવાસનિબંધો મળ્યાં છે. એ પૈકી ‘હિમાલયનો પ્રવાસ’ પુરાણ, ધર્મ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની રમણીય યાત્રા બની રહે છે. તો લલિત નિબંધ એક સ્વનિર્ભર સાહિત્યિક સ્વરૂપ તરીકે તેમના નિબંધોથી પ્રતિષ્ઠિત થાય છે. શુદ્ધ કલ્પનાપ્રાણિત નિબંધો ઉત્તમ રૂપે અને વિપુલ સંખ્યામાં પ્રથમવાર તેમની પાસેથી મળે છે. ‘રખડવાનો આનંદ’, ‘જીવનનો આનંદ’, ‘જીવનલીલા’, ‘ઓતરાતી દીવાલો’ વગેરે સંગ્રહોમાં આ પ્રકારની લલિતરચનાઓ છે. તેમા ગદ્યસામર્થ્યને કારણે –ગાંધીજી—તરફથી તેમને ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ મળેલું.
 
 
==સાહિત્ય પરીચય==
 
==સંદર્ભ==
Line ૧૧ ⟶ ૪૭:
 
[[Category:ગુજરાતી સાહિત્યકાર]]
{{સાહિત્ય-સ્ટબ}}
{{stub}}
 
[[hi:काका कालेलकर]]