અકબર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૧૬:
 
== શાસન ==
રાજ્યની સુરક્ષાની જવાબદારી બાળક અકબરના સંરક્ષક બૈરામ ખાન પર હતી. શરૂઆતના ચાર વર્ષ સુધી બૈરામ ખાને જ શાસન સંભાળ્યું. પરંતુ સને‌ ૧૫૬૦માં અકબરે સ્વયં સત્તા સંભાળી લીધી અને બૈરામ ખાનને કાઢી નાખ્યો. હવે અકબરના પોતાના હાથોમાં સત્તા હતી - જો કે આ વાસ્તવિકતા સમજવામાં કેટલાક લોકો ને ઘણો સમય લગ્યો. તે સમયે અનેક ગંભીર તકલીફો આવી, જેમકે - શમ્સુદ્દીન અતકા ખાનની હત્યા પર ઉભરાયેલો જન આક્રોશ (૧૫૬૩), ઉઝબેક વિદ્રોહ (૧૫૬૪૧૫૬0-૬૫)અને મિર્ઝા ભાઈઓનો વિદ્રોહ (૧૫૬૬-૬૭). પરંતુ અકબરે ખુબ કુશળતાથી આ સમસ્યાઓ હલ કરી. પોતાની કલ્પનાશક્તિથી તેણે પોતાના સામંતોની સંખ્યા વધારી. સને‌ ૧૫૬૨માં આમેરના શાસક સાથે તેણે સંધિ કરી. આમ રાજપૂત રાજાઓ પણ તેની સાથે થઈ ગયા. આ જ પ્રકારે તેણે ઇરાનથી આવનારાઓને પણ ઘણી સહયાતા કરી. ભારતીય મુસલમાનોને પણ તેણે પોતાના કુશળ વ્યવહારથી પોતાની તરફ કરી લીધા. ધાર્મિક સહિષ્ણુતાનો તેણે અનોખો પરિચય આપ્યો. હિંદુ તીર્થ સ્થાનો પર લાગેલો જઝિયા નામનો કર હટાવી લેવામાં આવ્યો (સને‌ ૧૫૬૩). આથી બધા રાજ્યવાસીઓને અનુભવ થઈ ગયો કે તે એક પરિવર્તિત નીતિ અપનાવવામાં સક્ષમ છે.
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
"https://gu.wikipedia.org/wiki/અકબર" થી મેળવેલ