કાલિદાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૩:
 
 
== કાલિદાસ ==
 
કાલિદાસ એ સંસ્કૃત ભાષાના એક અત્યંત મહત્વના કવિ હતા. તેઓને "મહાકવિ કાલિદાસ"નું બિરુદ આપવામાં આવેલ છે. કાલિદાસે કુલ સાત રચનાઓનું સર્જન કરેલ હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના ચાર મહકાવ્યો તથા ત્રણ નાટકો છે. તેમની રચનાઓમાં "મેઘદૂતમ્", "ઋતુસંહારમ્", "કુમારસંભવમ્" અને "રઘુવંશમ્" એ ચાર મહાકાવ્યો છે અને "અભિજ્ઞાન શાકુંતલમ્", "વિક્રમોર્વર્શીયમ્" તથા "માલવિકાગ્નિમિત્રમ્" નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. જર્મનકવિ ગેટે તેમના નાટક "અભિજ્ઞાન શાકુંતલ" થી ખુશ થઇને માથે મુકીને નાચ્યા હતા. એમના વિષે વધુ વિગતોની જાણ નથી, પરંતુ એવું મનાય છે કે તેઓ ઇ. સ. પૂર્વે ૧લી થી ૫મી સદીની વચ્ચે કોઇ પણ કાળમાં અસ્તિત્વમાં હોઇ શકે છે.
 
કાલિદાસ શક્લ-સૂરતથી સુંદર હતા અને રાજા વિક્રમાદિત્યના દરબારના [[નવરત્નો]]માંથી એક હતા, પરંતુ કહેવાય છે કે પ્રારંભિક જીવનમાં કાલિદાસ અભણ અને મૂર્ખ હતા. કાલિદાસનાં લગ્ન [[વિદ્યોત્તમા]] નામની રાજકુમારી સાથે થયાં હતાં. એમ કહેવાય છે કે વિદ્યોત્તમાએ પ્રતિજ્ઞા કરી હતી કે જો કોઈ તેણીને [[શાસ્ત્રાર્થ]]માં હરાવી દેશે, તો તેણી તેની સાથે વિવાહ કરશે. જ્યારે વિદ્યોત્તમાએ શાસ્ત્રાર્થમાં બધા વિદ્વાનોને હરાવી દિધા તો અપમાનથી દુ:ખી કેટલાક વિદ્વાનોએ કાલિદાસ સાથે તેણીનો શાસ્ત્રાર્થ કરાવ્યો. વિદ્યોત્તમા મૌન શબ્દાવલીમાં ગૂઢ પ્રશ્ન પૂછતી હતી, જેનો કાલિદાસ પોતાની બુદ્ધિથી મૌન સંકેતો વડે જવાબ આપતા હતા. વિદ્યોત્તમાને એવું લાગતું હતું કે કાલિદાસ ગૂઢ પ્રશ્નના ગૂઢ જવાબ આપી રહ્યા છે. ઉદાહરણ તરીકે વિદ્યોત્તમાએ પ્રશ્નના રૂપમાં ખુલ્લો હાથ દેખાડ્યો તો કાલિદાસને લાગ્યું કે તેણી થપ્પડ મારવાની ધમકી આપી રહી છે. એના જવાબ તરીકે કાલિદાસે ઘૂંસો દેખાડ્યો તો વિદ્યોત્તમાને એમ લાગ્યું કે કહી રહ્યા છે કે પાંચે ય [[ઇન્દ્રિયો]] ભલેને અલગ હોય, સહુ એક [[મન]] દ્વારા સંચાલિત છે.રાજકુમારીએ જીભ બતાવી ત્યારે મૂર્ખે મોં પર હાથ ધર્યો કાલિદાસ કહેવાનો ભાવાર્થ હતો કે તુ જીભ બતાવીશ તો હું તારુ મોંઢું બંધ કરી દઈશ વિદ્યોત્તમા અને કાલિદાસના વિવાહ થઇ ગયા ત્યારે વિદ્યોત્તમાને સચ્ચાઈની ખબર પડી કે કાલિદાસ અનપઢ છે. તેણીએ કાલિદાસને ધિક્કાર્યા અને એમ કહીને ઘરમાંથી કાઢી મુક્યા કે સાચા પંડિત બન્યા વિના ઘરે પાછા આવશો નહીં. કાલિદાસે સાચા દિલથી [[કાલી]] દેવીની આરાધના કરી અને એમના આશીર્વાદથી તેઓ જ્ઞાની અને ધનવાન બની ગયા.