શિવભદ્રસિંહ ગોહિલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું કડી ઉમેરી
લીટી ૩૫:
}}
 
'''મહારાજા કુમાર શ્રી શિવભદ્રસિંહજી ગોહીલ''' ગુજરાતના એક જાણીતા પ્રકૃતિવિદ્ છે. તેઓ [[ભાવનગર]]ના પ્રજાવત્સલ રાજવી [[મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ]]ના પુત્ર છે. તેઓનો જન્મ તે સમયના ભાવનગર રાજ્યના રાજમહેલ [[નિલમબાગ પેલેસ|નિલમબાગ પેલેસ]]માં [[ડિસેમ્બર ૨૩]], [[૧૯૩૩]] ના રોજ થયો હતો. હાલમાં તેઓ ભાવનગરના ગૌરીશંકરળ તળાવને કીનારે આવેલા ભાવવિલાસ પેલેસ નામનાં આવાસમાં રહે છે. એમણે ૧૯૭૫માં ભાવનગરમાં "ઘી ભાવનગર વાઇલ્ડ લાઇફ કન્ઝરવેશન સોસાયટી"ની સ્થાપના કરી હતી. એમણે પોતાને વારસામાં ભાલનાં [[વેળાવદર (તા. વલ્લભીપુર)|વેળાવદર]] ગામ પાસે મળેલી સમગ્ર જમીન [[વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન|"વેળાવદર કાળીયાર નેશનલ પાર્ક"]] ની રચના કરવા માટે પોતાનો હક્ક જતો કરીને ભારત સરકારને ભેંટ આપેલી છે. એક સમયે તેઓ એક સત્ર માટે ભારતીય જનતા પક્ષના ભાવનગર બેઠકના એમ.એલ.એ. પણ રહી ચુક્યા છે. સ્વાધ્યાય પરીવારનાં [[પાંડુરંગ શાસ્ત્રી આઠવલે|પાંડુરંગ આઠવલેજીના]] સંસર્ગમાં આવ્યા પછી એમણે વધુ ચુંટણી લડવાનું માંડી વાળ્યું અને પોતાનું સમગ્ર ધ્યાન વન્ય-સંરક્ષણમાં લગાડ્યું છે. ગુજરાત સરકારની સિંહ-વિષયક-તજજ્ઞોની સમીતી જ્યારથી ગઠીત થઇ ત્યારથી તેઓ એના સભ્ય છે અને [[એશિયાઇ સિંહ|સિંહોની]] વસ્તિ ગણત્રી વખતે પોતાની સેવાઓ આપે છે. ભાવનગર પાસે આવેલ [[ખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)|ખોડીયાર માતાજીના મંદીરના]] તેઓ ટ્રસ્ટી છે.
 
{{સ્ટબ}}