વિકિપીડિયા:ચકાસણીયોગ્યતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૩:
 
વિકિપીડિયામાં, '''ચકાસણીયોગ્યતા''' એટલે જ્ઞાનકોશ વાચતા અને સંપાદન કરતા લોકો એ ચકાસી શકવા જોઈએ કે અપાયેલી માહિતી વિશ્વાસપાત્ર સ્રોત દ્વારા આવેલી છે. વિકિપીડિયા [[વિકિપીડિયા:પ્રારંભિક સંશોધન નહીં|પ્રારંભિક સંશોધનો]] પ્રગટ કરતું નથી. તેમાં રહેલી વિગતો અગાઉ ક્યાંક ને ક્યાંક પ્રસિદ્ધ થઈ ચૂકેલી માહિતીઓ દ્વારા ખાત્રી કરાયેલી હોય છે નહિ કે સંપાદકોની માન્યતાઓ કે અનુભવો દ્વારા. એટલે સુધી કે, તમને ચોક્કસ ખાત્રી હોય કે ફલાણી વિગત સાચી છે તો પણ એને ઉમેરતા પહેલાં તેની ખાત્રી કરી શકાય એવો સંદર્ભ આપવો જરૂરી છે.<ref>આ નિયમ અગાઉ અહીં "માત્ર સાચું નહિ, ચકાસણીયોગ્ય" એ શબ્દોમાં વર્ણવાયો હતો.</ref> જ્યારે વિશ્વાસપાત્ર સ્રોતો વચ્ચે અસહમતિ હોય ત્યારે દરેક સ્રોત શું જણાવે છે એ લખો અને દરેક સમતોલનપૂર્વક લખો, અને [[વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ|નિષ્પક્ષ દૃષ્ટિકોણ]] અપનાવો.
 
વિકિપીડિયાનાં મુખ્યસ્થળ પરની તમામ વિગતો, એટલે કે લેખો, યાદીઓ અને મથાળાઓ કે શિર્ષકો ચકાસણીપાત્ર હોવા જોઈએ. દરેક અવતરણો અને કોઈપણ વિગતો જે પડકારાયેલી કે પડકારી શકાય તેવી હોય તેના સંદર્ભ તરીકે વિશ્વાસપાત્ર પ્રસિદ્ધ થયેલો સુસંગત સ્રોત અપાયેલો હોવો જોઈએ જે એ વિગતોને ટેકો આપતો હોય. કોઈપણ વિગત જેને માટે સંદર્ભ જરૂરી હોય પણ અપાયો ન હોય તે હટાવવામાં આવશે. કૃપયા [[વિકિપીડિયા:જીવંત વ્યક્તિઓનું જીવન ચરિત્ર|જીવંત વ્યક્તિત્વ વિષયક]] અસંદર્ભ તકરારી (વાંધાવચકા થઈ શકે તેવી) વિગતો તુરંત હટાવો.
 
સંદર્ભ કેવી રીતે આપવા/લખવા એ જાણવા માટે જુઓ : [[વિકિપીડિયા:સંદર્ભો ટાંકવા]] ([[:en:Wikipedia:Citing sources|Wikipedia:Citing sources]]). ચકાસણીયોગ્યતા, [[વિકિપીડિયા:પ્રારંભિક સંશોધન નહીં|પ્રારંભિક સંશોધનો નહીં]] અને [[વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ|નિષ્પક્ષ દૃષ્ટિકોણ]] એ ત્રણે વિકિપીડિયાની મુખ્ય નીતિઓ છે. અપાયેલી માહિતીની ચોકસાઈપૂર્વક ખાતરી કરવા માટે એ ત્રણે સાથે મળીને કાર્ય કરે છે. આથી સંપાદકે (વિકિ પર લખનારે) એ ત્રણે નીતિઓના મુખ્ય મુદ્દાઓને વ્યવસ્થિત રીતે સમજી લેવા જોઈએ. તે ઉપરાંત દરેક લેખ [[વિકિપીડિયા:પ્રકાશનાધિકાર|પ્રકાશનાધિકાર નીતિ]]નું પણ પાલન કરતો હોવો જોઈએ.
 
==પુરાવાનો ભાર==