છાણીયું ખાતર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું 115.117.126.44 (talk)દ્વારા ફેરફરોને Ajraddatz દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી...
 
લીટી ૧:
'''છાણીયું ખાતર''' એ એક પ્રકારનું દેશી ખાતર છે, જે ગાય-ભેંસના છાણ-મૂત્ર અને વધેલા ઘાસચારાના કચરામાંથી બનાવવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આ ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક ખાતર ન વાપરી તેમ જ માત્ર આ દેશી ખાતરથી કરવામાં આવતી ખેતીને સજીવ ખેતી અથવા ઓર્ગેનીક ખેતી કહેવામાં આવે છે.
 
== છાણીયું ખાતર બનાવવાની રીત ==
છાણીયું ખાતર બનાવવા માટે સૌથી પહેલાં એક મોટો ખાડો ખોદી કાઢૌ અને પછી તેમાં ગાય-ભેંસ જેવાં પાલતુ પશુઓનાં છાણ તેમ જ વધેલા ઘાસચારાને માટી સાથે જ ભરો,પછી તેની ઉપર ધુળ પાથરો. રોજ આ રીતે ખાડો થોડો થોડો ભરાતો જશે અને ગરમીના એટલે કે ઉનાળાના છેલ્લા દિવસોમાં આ ખાતર તૈયાર થઇ જશે. આ ખાડાની ઉપર ખાટી છાશ છાંટવાથી ખાતરની ગુણવત્તા વધે છે, એવી માન્યતા પણ કેટલાક ખેડૂતોમાં પ્રવર્તે છે.
 
*અન્ય રીત: જરૂરી વસ્તુઓ;
** ગાય નુ છાણ ૧૦૦ કિલો
** દેશી ગોળ ૨ કિલો
** કોઈ પણ દાળ નો લોટ ૨ કિલો
** વડ કે પીપળ ના ઝાડ નીચેની માટી ૧ કિલો
** ગૌમુત્ર <br>
ઉપર જણાવેલી બધી વસ્તુ ઑ ની સારી રીતે ભેળવી ને છુટ્ટુ છુટ્ટુ છાયા મા પાથરી લો. જ્યારે સુકાઈ જાય ત્યારે લાકડી થી અથવા પાણા થી આનો ભૂક્કો કરી લેવો અને ગુણી મા ભરી રાખી દેવુ. અને આ ખાતર ૬ થી ૮ મહીંના સંગ્રહી શકો. આનો તમે કમ્પોસ્ટ ખાતર બનાવવા પણ ઉપયોગ કરી શકો અથવા જેમ છે તેમ જ ખેતર મા નાખી શકો.
 
{{સ્ટબ}}