'''મોતીલાલ નહેરૂ''' આઝાદીના લડત આપનાર કોંગ્રેસના અગ્ર હરોળના નેતા હતા. તેમનો જન્મ ઇ.સ. ૧૮૬૧ માં આગ્રા મુકામે થયો હતો. તેઓ સ્વતંત્ર [[ભારત]] દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂના પિતા હતા. તેઓ ઇ. સ. ૧૯૨૯ના વર્ષમાં મળેલા કોલકાતાના કોંગ્રેસ અધિવેશનમાં સક્રિય રહેલા પીઢ નેતા પૈકીના એક હતા. ઇ. સ. ૧૯૩૧ના વર્ષમાં લખનૌ ખાતે તેમનું અવસાન થયું હતું.
ભારતીય રાજનીતિના ઉજ્જવલ તારક,ત્યાગમૂર્તિ શ્રી મોતીલાલ નહેરૂનો જન્મ ઇ.સ.1861 માં આગ્રા મુકામે થયો હતો.કોલેજમાં તેમની ઓળખ તોફાની વિદ્યાર્થી તરીકેની હતી.તે બુદ્ધિશાળી તો હતા બી.એ.ની પરીક્ષામાં પાસ થયા નહીં.વકીલાતની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી સુવર્ણચંદ્રક મેળવ્યો અને પછી વકીલાત શરૂ કરી. જલિયાવાલા હત્યાકાંડથી એમનું હ્રદય દ્રવી ઊઠયું અને ગાંધીજીના નિકટના પરિચયમાં આવ્યા.રાજમહેલ જેવું પોતાનું નિવાસસ્થાન એમણે દેશને અર્પણ કરી દીધું.તેઓ કૉંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે રાજા મહારાજાઓને પણ ઇર્ષા કરાવે તેવું માન ભારતની જનતાએ તેમને આપ્યું.એમનું સમગ્ર વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું.એમ- ની વિરલ બુદ્ધિપ્રતિભા, બાદશાહી રહેણીકહેણી અને છેવટના દિવસોનું એમનું જીવન પરિવર્તન તથા દેશ માટે કરેલો સર્વસ્વનો ત્યાગ આપણાં દેશમાં કહેવતરૂપ બની ગયા છે. મહાસભાની કારોબારીના પ્રમુખ તરીકે મોતી- લાલની ધરપકડ થઇ અને સજા પૂરી કરી છૂટ્યા ત્યારે આરામ કરવા મસૂરી ગયા પણ સારું ન થયું. ગાંધીજી, જવાહર, ડૉ.જીવરાજ મહેતા અને ધર્મપત્ની સ્વરૂપરાણીની હાજરીમાં 6/2/1931ના રોજ લખનૌમાં તેમણે નશ્વરદેહનો ત્યાગ કર્યો. મોતીલાલને અંજલિ આપતા ગાંધીજીએ કહ્યું : પતિ મરતાં હિંદુ વિધવાની જે સ્થિતિ થાય એ સ્થિતિ મોતીલાલજી જતાં મારી થઇ છે.