અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 59.94.40.59 (talk)એ કરેલો ફેરફાર 382554 પાછો વાળ્યો |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું →ભગવદ્ ગીતા |
||
લીટી ૫૭:
=== ભગવદ્ ગીતા ===
શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ દ્વારીકાના રાજા, યુદ્ધમાં નિષ્પક્ષ રહેવાનું નક્કી કરે છે કારણકે પાંડવો અને કૌરવો બન્ને યાદવોના સંબંધિ હતાં અને મામાઈ ભાઈઓ હતાં. પણ કૃષ્ણએ અર્જુનની પડખે રહી તેની રક્ષા કરવાનું નક્કી કર્યું. શ્રી કૃષ્ણએ ૧૮ દિવસના તે યુદ્ધમાઁ અર્જુનના સારથિ બનીને ઘણાઁ અવસરે અર્જુનની રક્ષા કરી અને તેને મૃત્યુ બચાવ્યો. શ્રી કૃષ્ણના સંદર્ભમાં સારથિનો ભાવાર્થ માર્ગદર્શક તરીકે છે. અર્જુનના પ્રાણની રક્ષા કરવા સાથે શ્રી કૃષ્ણ અર્જુનને ધર્મ પણ ભાગવદ ગીતા દ્વારા સમજાવે છે.
એમ બને છે - જ્યારે યુદ્ધ ભૂમિ પર બનેં સેના એકબીજાની સામે ઉભી રહે છે ત્યારે અર્જુનનું હૃદય ભરાઈ આવે છે. તે સામે જુએ છે તો તેના જ ભાઈભાંડુ દેખાય છે. તેનાજ વડીલો દેખાય છે જેના ખોળામાં તેણે પોતાનું બાળપણ ખૂંદ્યુ હતું, તેના જ ગુરુ જેમણે તેને પ્રથમ વખત ધનુષ્ય પકડતાં શીખવાડ્યું હતું. માત્ર એક રાજ્ય માટે શું આવા ગુણીજનોની પોતાના ભાઈ ભાંડુઓની હત્યા કરવાનું યોગ્ય છે? આ પ્રશ્ને તે વિચલીત થઈ ઉઠ્યો. અર્જુનનું હદય આ વિચારે હતાશ થઈ જાય છે અને તે કૃષ્ણનું માર્ગદર્શન ચાહે છે.
આ ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણ ભાગવદ ગીતા તેને સમજાવે છે. આ હીન્દુ ધર્મ ની સૌથી પવિત્ર ગ્રંથ છે. આમાં કૃષ્ણ અર્જુનને વ્યક્તિગત સંબંધો, અંતિમ નુકશાન કે ફાયદો આદિને ચિંતા કર્યા વગર ધર્મ માટે સત્ય માટે લડવા જણાવે છે, તે જ વ્યક્તિનું કર્તવ્ય છે તેમ સુચવે છે. આજ કર્તવ્ય અન્ય સૌ ધ્યેય થી મહાન છે.
ભાગવદ ગીતા પ્રભુ કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ વાર્તાલાપનો લેખ છે. પ્રભુ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંબંધનો એક આદર્શ સ્થાપિત કરે છે - પ્રભુ દ્વારા માર્ગદર્શિત માનવ.
ભાગવદ ગીતા એક વ્યક્તિ કે જે ભયાનક સૈદ્ધાંતિક ગડમથલમાં ફસાયો છે તેને નૈતિક મૂલ્યોનો માર્ગ સમજાવે છે આ હિન્દુત્વનું મહત્વનો ગ્રંથ છે.
|