ગણિત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
→ગણિત નો ઇતિહાસ: ચિત્ર ઉમેર્યું |
→ગણિત નો ઇતિહાસ: changed sections |
||
લીટી ૧૬:
બે સફરજન અને બે સંતરા વચ્ચે કંઈક સામ્યતા છે, કે બન્ને ફળો એક અને માત્ર એક જ માણસના હાથમાં પકડી શકાય છે, એ સમજણ માણસની વિચારશક્તિના વિકાસમાં એક હરણફાળ હતી. આ સમજણ વડે માનવ દરેક પ્રશ્નને અલગ અલગ વિચારતો થયો અને દરેક હેતુ માંથી જરુરી સંકલ્પનાઓ તારવતો થયો અને આમ્ ગણિત નો વિકાસ થતો ગયો.
[[File:maya.svg|thumb|[[માયા અંકો]]]]▼
[[પ્રાગૈતિહાસિક]] માનવને મૂર્ત વસ્તુઓની [[ગણવું|ગણતરી]] કરતા આવડવા ઉપરાંત અમૂર્ત વસ્તુઓ જેમ કે [[સમય]] -- દિવસો, ઋતુઓ, વર્ષો વગેરેની ગણતરી કરતા પણ આવડતું હતું. ગણતરી કરવાનું આવડવાથી ધીરે ધીરે માનવી [[અંકગણિત]] ( [[સરવાળો]], [[બાદબાકી]], [[ગુણાકાર]] અને [[ભાગાકાર]]) પણ શીખી ગયો. આ સુસ્પટ છે કે ફક્ત ગણતરી કરવાથી કે સરવાળા બાદબાકી કરવાથીજ ગણિતનો વિકાસ થયો નથી પરંતુ આંકડાઓ અને તેમની કિંમતો સ્પષ્ટ થયા પછી ખરેખરુ ગણિત વિકાસ પામ્યું છે. કદાચ આપણાં વડવાઓએ કોઇ દિવસ દિવાલ કે લાકડુ ખોતરીને પહેલો આંકડો પાડ્યો હશે.
ઐતિહાસિક વિગતો પરથી જાણવા મળ્યું છે કે, મુખ્ય ભણવાના વિષયોમાં ગણિતનો પ્રયોગ કરવો પડતો હતો જેમકે વ્યાપાર-વાણીજ્ય, જમીનની માપણી અને ખગોળ શાસ્ત્ર. આ ત્રણેય જરૂરિયાતોને લીધે ગણિતનો વિકાસ થયો જેને મોટા મોટા ત્રણ ભાગમાં વહેંચી શકાય: "માળખુ", "સ્થાન" અને "બદલાવ".
Line ૨૨ ⟶ ૨૪:
ઇ.સ્.પૂર્વે ૧,૦૦૦ અને ઇ.સ્. ૧,૦૦૦ વચ્ચે લખાયેલાં વિવિધ સંદર્ભોમાં પ્રથમ વખત ભારતતીય ગણિત શાસ્ત્રીઓએ શૂન્ય, બીજ ગણિત, પ્રમેયો (ગણતરી માટેનાં વિવિધ નિયમો), સંખ્યાઓનાં વર્ગમૂળ અને ઘનમૂળ, વિગેરેનો ઉપયોગ કર્યાનાં ઉલ્લેખો છે. જેને [[વૈદિક ગણિત]] તરિકે ઓળખવામં આવે છે, અને આ વૈદિક ગણિત આજે પણ ભારત બહારની ઘણી બધી કોલેજો અને યુનિવર્સિટિઓમાં શિખવવામાં આવે છે.
જ્યારે જ્યારે પ્રશ્ન તર્ક ની કસોટીએ ચડે છે ત્યારે ત્યારે ગણિત પ્રશ્નનો ઉત્તર આપવા આગળ આવે છે. શરુઆતમાં કૃષિ, વ્યાપાર, માપણી તથા અન્ય રોજબરોજની પ્રવૃત્તિઓમા ગણિતનો ઊપયોગ થતો હતો જે ધીરે ધીરે વૈજ્ઞાનીક પધ્ધતિ રુપે વિકસિત થયું છે.
▲[[File:maya.svg|thumb|[[માયા અંકો]]]]
આજકાલ ગણિત વિજ્ઞાનમાંથી પણ પ્રેરણા મેળવે છે અને ઘણા ભૌતિક વૈજ્ઞાનિકો પણ આ ક્ષેત્રે કામ કરે છે. ન્યૂટન (કેલ્ક્યુલસ), ફેયનમેન(ફેયનમેન પાથ ઇન્ટિગ્રલ)વગેરે ઘણી મહાન હસ્તિઓ આના જ્વલંત ઉદાહરણો છે. આમાથી ઊદ્ભવતુ ગણિત વિષય વસ્તુ ને લગતુ છે અને તેથી તે વિષયના પ્રશ્નો હલ કરવામા મદદ કરે છે. આમ્ ગણિત વિવિધ રૂપમા ઉપયોગી બને છે. ગણિતના જ્ઞાનમા વ્રુદ્ધિ સાથે, ગણિત પોતે પણ પ્રેરણા સ્ત્રોત બન્યુ છે. ગણિત પોતની આંતરિક સુન્દરતા ને લીધે પણ વિદ્વાનોમાં લોકપ્રિય બન્યુ છે. ગણિત શાસ્ત્રિયો સાદાઈ અને સમાનતા ને ખૂબ મહત્વ આપે છે અને જ્યારે આ મેળ ન ખાતી આવ્રુત્તિઓ ગણિતમા ભેગી આવે ત્યારે સામાન્ય ગણત્રીઓમાં મદદરૂપ થાય છે. આવા મેળ ને ગણિતમા સૌન્દર્ય કેહવાય છે.
|