[[ભાવનગર]] રાજ્યના દિવાન '''સર પ્રભાશંકર પટ્ટણી''' નો જન્મ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં, ૧૮૬૨માં, [[મોરબી]] ખાતે થયો હતો. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા. [[બ્રિટીશરાજ]]થી છાનાં તેમણે પ્રખર ક્રાંતિકાર [[પૃથ્વીસિંહ આઝાદ]]ને ૧૨ વર્ષ સુધી [[ભાવનગર]]માં અજ્ઞાતવાસ આપ્યો હતો. તેઓ [[લોકશાહી]]ના સમર્થક હતા. ૧૯૨૪માં તેમણે પ્રથમ [[સાવરકુંડલા]] મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુજબ વહિવટી વ્યવસ્થા રાજ્યભરમાં સ્થાપવા કાયદો કર્યો હતો.<ref>શોધ નિબંધ - "ભાવનગર રાજ્યમાં દીવાન પરંપરા" - પ્રો. (ડૉ.) પી.જી.કોરાટ અને પ્રા. (ડૉ.) પારૂલ સતાશિયા, ભાવનગર યુનિ. દ્વારા.</ref>