દ્રૌપદીના સાથેના તે ભાઈઓના સંબંધ વિષે એક સામાન્ય વર્તણૂક આપસમાં નક્કી કર્યું હતું. તેમાંનો મહત્ત્વનો મુદ્દો એ હતો કે જ્યારે કોઈ એક ભાઈ દ્રૌપદી સાથે એકાંતમાં હોય ત્યારે અન્ય કોઈ ભાઈએ તેમને ખલેલ ન પહોંચાડવી અને આમ કરવાની સજા હતી એક વર્ષ સુધીનો દેશવટો. એક વખત હજી જ્યારે પાંડવો વૈભવી ઈન્દ્રપ્રસ્થ નગરી પર રાજ કરતાં હતાં ત્યારે એક બ્રાહ્મણ ખૂબજ ઉતાવળે અર્જુનનઈઅર્જુનની મદદ માટે આવ્યો. એક પશુ ચોરની ટુકડીએ તેના પશુઓને ચોરી લીધાં હતાં તેણે મદદ માટે અર્જુન સિવાય અન્ય કોઈ યોગ્ય ના લાગ્યો. અર્જુન ઘણી મોટી અવઢવમાં હતો તેના શસ્ત્ર સરંજામ તે ઓરડામાં હતાં જ્યાં દ્રૌપદી અને યુધિષ્ઠીર સાથે હતાં. તેમને ખલેલ પહોંચાડવાનો અર્થ હતો એક વર્ષનો દેશવટો. અર્જુન એક ક્ષણ માટે અચકાયો પણ પ્રજાની રક્ષા (અને તેમાં પણ ખાસ કરીને બ્રાહ્મણની) તે તો એક રાજ કુમારનું પ્રથમ કર્તવ્ય છે.
દેશવટાનો ભય તેના કર્તવ્ય પરાયણતાની આડે ના આવ્યો. તેણે યુગલને ખલેલેખલેલ પહોંચાડી, શસ્ત્રો લઈને પશુ ચોરને પકડવા નીકળીપડ્યો. તે કાર્ય પુરું થયે, તેમના કુટુંબી જનો અને યુગલ કે જેમને તેના દ્વારા ખલેલ પહોંચી હતી તેમના વિરોધ છતાં તેણે દેશવટો વહોરી લીધો.