મુહમ્મદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
== ખાનદાન અને વંશ ==
હઝરત ઈબ્રાહીમ(અલૈ.)ના પુત્ર ઈસ્માઈલ(અલૈ.)ની અવલાદમાં અદનાન નામી વંશજથી ચાલેલ પેઢીમાં આપનો જન્મ થયો.વંશાવળી નીચે મુજબ છે.
 
=== વંશાવળી ===
* મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બીન અબ્દુલ મુત્તલિબ બિન હાશિમ બિન અબ્દે મનાફ બિન કુસય્ય બિન કિલાબ બિન મુર્રહ બિન કઅબ બિન લુવય્ય બિન ગાલિબ બિન ફિહ્ર બિન માલિક બિન  નઝર બિન કિનાનહ બિન ખુઝયમહ બિન મુદરિકહ બિન ઈલ્યાસ બિન મુજર બિન નિઝાર બિન મઅદ બિન અદનાન.
* આપના વડવાઓમાં ફિહ્ર તે પહેલા વ્યકિત છે જેમનાથી આપનું ખાનદાન કુરૈશ કહેવાયું.
 
* કુસય્ય તે પહેલા વ્યકિત છે, જેમણે એક ગામ જેવડા મક્કાને નવું સ્વરૂપ આપ્યું. ચારે તરફ નવા મકાનો અને મહોલ્લાઓ બનાવી શહેર બનાવ્યું અને દરબાર કે મીટિંગ ભરવા માટે એક મોટું ઘર 'દારૂન્નદવહ' બનાવ્યું.જેને આપણે કાઉન્િસલ હાૅલ કહી શકીએ.
* પરદાદા હાશીમ અત્યંત કૃપાળુ સ્વભાવના માલિક હતા.ઘણા જ ઉદારદિલ અને સખી હતા.એક વાર મક્કહ દુષ્કાળમાં સપડાયું અને લોકો અન્ન વિના ટળવળવા લાગ્યા. આવા સમયે તેમણે એકલે હાથે આખા મક્કહને પેટ ભરી ખવડાવી  આ સંકટમાંથી ઉગારી લીધું હતું.
પેઢીમાં અવતરનાર અંતિમ નબીના નૂરના કિરણો આપના કપાળેથી પ્રકાશ રેલાવતાં.બની ઈસ્રાઈલના વિદ્વાનો આ જોઈ આપની સામે ઝુકી જતા.આ જ નૂરે નુબુવ્વ્તને પામવા માટે રૂમના બાદશાહ હરકયુલિસે આપને કહેણ મોકલ્યું કે હું આપની દાનવીરતા અને ઉદારદિલીથી અત્યંત પ્રભાવિત થયો છું,મારી પાસે પધારો, હું મારી રાજકુમારી આપને પરણાવવા માંગું છું.વાસ્તવમાં આ બહાને તે નૂરે નુબુવ્વતને પોતાના ખાનદાનમાં ખેંચી લાવવા માંગતો હતો.પરંતુ હાશિમે ઈન્કાર કરી દીધો અને મદીનાના બની નજ્જાર ખાનદાનની <nowiki>''બીબી સલમા''</nowiki> નામી ખાતૂનથી નિકાહ કર્યા.
* આપ જ તે પહેલા વ્યકિત છે જેમણે કુરૈશ ખાનદાન માટે નિયમ બનાવ્યો કે ગ્રીષ્મ ઋતુમાં શામ ભણી અને શીત ઋતુમાં યમન ભણી, એમ વષ્ર્ામાં બે વાર વેપારી વણજારો રવાના કરવામાં આવે. વષ્ર્ાના આ બે વેપારી પ્રવાસોનો ઉલ્લેખ કુર્આનમાં પણ છે.
* દાદા અબ્દુલ મુત્તલિબ મોસાળ મદીનામાં પેદા થયા હતા.કારણ કે આપના વાલિદ હાશિમ બીબી સલમાથી મદીનામાં  શાદી કરી ત્યાં થોડા રોકાઈને પ્રવાસે નીકળી પડયા.જેમાં ગાઝહ નામી સ્થળે એમનું દેહાંત થયું. સખાવતમાં તેઓ પોતાના પિતાથી પણ એક કદમ આગળ, તથા રૂપવાન અને બહાદૂર હતા.વષ્ાર્ોથી ગૂમ થઈ ગયેલ ઝમઝમના કૂવાનું સ્થળ આપને જ સ્વપ્નમાં બતાવવામાં આવ્યું હતું. જેને આપે ફરીવાર ખોદી જીવંત કર્યો.  
* એમના કુલ ૧૦ પુત્રો અને છ પુત્રીઓ હતી. એમ કુલ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ૯ કાકા અને છ ફોઈઓ હતી.  
 
== કાકાઓ ==
(૧) અબ્બાસ 
 
(ર)હમ્ઝહ  
 
(૩)અબૂ તાલિબ  
 
(૪)ઝુબૈર 
 
(પ) હારિસ  
 
(૬)હજ્લ  
 
(૭) મુકવ્વિમ  
 
(૮) ઝિરાર 
 
(૯) અબૂલહબ. 
 
== ફોઈઓ ==
(૧) સફિય્યહ
 
(ર) ઉમ્મે હકીમ
 
(૩) આતિકહ
 
(૪) ઉમયમહ
 
(પ) અરવા
 
(૬) બર્રહ.
 
પિતા અબ્દુલ્લાહ આપના જન્મ પૂર્વે જ મરણ પામ્યા.તેઓ દાદા અબ્દુલ મુત્તલિબના લાડકા અને વિષેશ કેળવણી પામેલ દીકરા હતા.
 
ઝમઝમનો કૂવો ખોદતી વેળા અબ્દુલ મુત્તલિબે મન્નત માની હતી કે જો પરવરદિગાર મને ૧૦ પુત્રો આપશે તો એમાંથી એકને હું અલ્લાહના નામ ઉપર વધેરીશ. સમય વીત્યો અને આપને ત્યાં દસ પુત્રો થયા. મન્નત પૂરી કરવા અબ્દુલ મુત્તલિબે ચીઠ્ઠીઓ ઉછાળી તો એમાં અબ્દુલ્લાહનું નામ નીકળ્યું.
 
એક હાથમાં અબ્દુલ્લાહની આંગળી અને બીજા હાથમાં વધેરવાની છરી લઈ અબ્દુલ મુત્તલિબ વધસ્થળ તરફ આગળ વધે છે.લાડકા ભાઈની બહેનો આ જોઈ દ્રવી ઉઠે છે.એક બહેને કરગરીને કહયું કે પિતાજી ! ફરી એકવાર અબ્દુલ્લાહ અને દસ ઊંટો વચ્ચે ચીઠ્ઠી ઉછાળી જુઓ. (દસ ઉંટો તે વેળા એક માણસના ખૂનનો બદલો હતો)આ વેળા પણ ચીઠ્ઠીમાં અબ્દુલ્લાહનું નામ નીકળ્યું.
 
અબ્દુલ મુત્તલિબ ૧૦-૧૦ ઊંટ વધારી ચીઠ્ઠીઓ નાંખતા રહયા.અંતે ૧૦૦ ઊંટો વેળા ચીઠ્ઠી ઊંટોના નામે નીકળી અને અબ્દુલ્લાહના બદલે ૧૦૦ ઊંટ વધેરવામાં આવ્યા.
 
બનૂ ઝુહરહ નામી ખાનદાનની એક કુળવાન ખાતૂન બીબી આમિનહ સાથે આપના નિકાહ થાય છે.માતા તરફની વંશાવળી નીચે મુજબ છે.મુહમ્મદ બિન આમિનહ બિન્તે વહબ બિન અબ્દે મનાફ બિન ઝુહરહ બિન કિલાબ બિન મુર્રહ.કિલાબ ઉપર બન્નેવ ખાનદાનો ભળી જાય છે.
 
== જન્મ: ==
અંતે ચાંદ પ્રગટે છે. અને અંધારૂ દૂર થવાની ઘડીઓ નજીક આવી પહોંચે છે. આગમનની છડી પોકારતા અનેક ચમત્કારો વિશ્વમાં ઘટવા માંડે છે.માતાને પ્રકાશમાં  શામના મહેલો દેખા દે છે.ઈરાની મહારાજા કિસ્રાનો મહેલ ધણધણી ઉઠે છે.અને મહેલના ૧૪ કાંગરાઓ (કળશ-ગુંબદ) ખરી પડે છે. તે જ સવારે દરબારમાં ખબર પહોંચે છે કે હઝાર વષ્ર્ાથી નિરંતર સળગતી અને પૂજાતી અગિયારમીની આગ અચાનક ઓલવાય જાય છે. સાવહ નામની એક મોટી નદીનું ખરખર વહેતું જળ અચાનક કયાં ઉતરી જાય છે કે નદીમાં નામ માત્ર પાણી દેખાતું નથી.
 
ફકત પચાસ પંચાવન દિવસ પહેલાંની જ વાત, અબરહા નામનો બાદશાહ હાથીઓનું લશ્કર લઈ અલ્લાહના ઘર કા'બાને તોડવા આવે છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના દાદા અબ્દુલ મુત્તલિબ તે સમયે કા'બાના મુતવલ્લી હતા.મકકા વાસીઓને સલાહ આપે છે કે અબરહાના શકિતશાળી લશ્કરના પ્રતિકારની આપણામાં હામ નથી, અને ઘર ખુદાનું છે.આપણે બહાર નીકળી જઈએ, અલ્લાહ જ એના ઘરની રક્ષાા કરશે.અને સાચે જ અલ્લાહે અબ્દુલ મુત્તલિબના શબ્દો સાચા કરી દેખાડયા.અલ્લાહનો પ્રકોપ અબરહાના લશ્કર ઉપર ઉતરે છે અને તે નાનકડા પક્ષાીઓની ચાંચમાંથી વિખેરાતી નાની નાની કાંકરીઓથી માયર્ો જાય છે.
 
રબીઉલ અવ્વલની ૧રમી તારીખ હતી. ઈસ્વી સન પ્રમાણે '''પ૭૧, ર૦ કે રર એપ્રિલ'''ના પરોઢિયે હજુ રાત પૂરી થઈ ન હતી અને દિવસ સંપુર્ણ ઉગ્યો ન હતો, એવા સમયે આપનો પવિત્ર જન્મ થાય છે.જાણે આપનું આગમન ઝુલ્મ-અત્યાચારની અંધારી રાત અને માનવજાતના કષ્ટોના કપરા દિવસો, બન્નેના ભવિષ્યને એક સાથે ઉજળું કરવા થાય છે.
 
{{ઇસ્લામ}}
'''મુહમ્મદ''' (અથવા ‍'''મહંમદ''' અથવા '''મુહંમદ''') એ [[ઇસ્લામ]]ના આખરી પયગંબર છે. હજરત મુહમ્મદ સાહેબનો જન્‍મ ૧૨ રબી ઉલ અવ્વલ ને સોમવારે, ૨૨ એપ્રિલ ઇ.સ. ૫૭૧માં [[અરબસ્‍તાન]]નાં [[મક્કા]] શહેરમાં થયો. તેઓ હજુ માતાના ઉદરમાં જ હતા એ દરમિયાન એમના પિતા હજરત '''અબ્દુલ્લાહ'''નુ અવસાન થઇ ગયું ત્‍યાર પછી તેઓ દાદા અબ્દુલ મુત્તલિબની છત્ર છાયા હેઠળ રહ્યા, છ વર્ષની વયે તેમના દાદાનું પણ અવસાન થયું, ત્‍યાર પછી તેઓ કાકા અબુ તાલિબ ની છત્રછાયા હેઠળ રહ્યા. ૨૫ વર્ષની ઉંમર થતાં તેમણે બીબી ખદીજા સાથે લગ્ન કર્યાં. ચાલીસ વરસના થયા ત્‍યારે તેમને ઇશ્વરે દૂત ([[પયગંબર]]) બનાવ્‍યા અને તેઓએ આવી લોકો સમક્ષ પોતાના વિશે ઇશદૂત હોવાનો દાવો કર્યો અને ત્યારથી ઇસ્લામમાં તેઓ 'પયગંબર મુહમ્મદ (સ .અ. વ.)' તરીકે ઓળખાયા. જેનો અર્થ '[[અલ્લાહ]]ની દયા એમના પર થજો' થાય છે. મક્કામાં તેઓએ ધર્મની તબ્લિગ શરુ કરી. ધીરે ધીરે લોકો ઇસ્લામ સ્વિકારવા લાગ્યા. પરન્તુ એ સાથે જ કુરેશના કેટલાક લોકોએ એમનો વિરોધ શરૂ કર્યો. કુરેશના લોકોના જુલ્મ થી બચવા મુહમ્મદ સાહેબે મુસલમાનોને હિજરત કરવા જણાવ્યું. જુલાઇ ઇ.સ.૬૨૨ મા એમણે પણ યશરબ તરીકે ઓળખાતા મદીના શહેરમા હિજરત કરી. અહીથી મુસલમાનોના હિજરી કેલેન્ડરનો પ્રારમ્ભ થાય છે. અરબીમાં મુહમ્મદ નામનો અર્થ થાય છે "ખૂબજ પ્રશન્સા પામેલ". કુરાનમાં આ શબ્દ ૪ વાર આવ્યો છે. મુહમ્મદ સાહેબનુ એક નામ "અહમદ" પણ છે, જેનો ઉલ્લેખ કુરઆનમાં ૧ વાર આવ્યો છે. તેમણે લોકોને એક અલ્લાહની ઇબાદત કરવાનુ આહ્વાન આપ્યું. મુસલમાનોને નમાઝ પઢવાનુ જણાવ્યું. આ ઉપરાંત [[રોઝા]] રાખવા, દાન આપવુ અને માલદાર હોય તો [[હજ]] પઢવાનું જણાવ્યુ. ૨૦૦૯નાં આંકડાઓ પ્રમાણે વિશ્વમાં મુસલમાનોની કુલ વસ્તી એક અબજ સત્તાવન કરોડ છે. મહંમદ સાહેબે ૬૩ વરસની વયે આ જગતમાથી વિદાય લીધી.