નિર્મલ જીત સિંઘ સેખોં: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "Nirmal Jit Singh Sekhon" ને ભાષાંતર કરીને બનાવેલ
 
નાનુંNo edit summary
લીટી ૧:
ફ્લાઈંગ ઑફિસર નિર્મલ જીત સિંઘ સેખોં ભારતીય વાયુસેનામાં અફસર હતા. તેમને [[ભારત]] [[પાકિસ્તાન]]<nowiki/>ના ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન [[શ્રીનગર]] વાયુસેના હવાઈમથકનું પાકિસ્તાની વાયુસેના દ્વારા કરેલા હુમલા સામે એકહથ્થુ સંરક્ષણ કરવા માટે [[પરમવીર ચક્ર]]<nowiki/>થી મરણોપરાંત સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર ભારતીય વાયુસેનાના તેઓ એકમાત્ર સભ્ય છે.<ref>{{ઢાંચો:Cite news|url = http://www.hindustantimes.com/India-news/NewDelhi/IAF-scales-3-virgin-peaks-in-Ladakh-region/Article1-902882.aspx|title = IAF scales 3 virgin peaks in Ladakh region|publisher = Hindustan Times|date = |accessdate = 27 July 2012}}</ref>
[[ચિત્ર:1902_NJS_Sekhon_PVC.jpg|thumb|નિર્મલજીત સિઘ સેખોંના  માનમાં ભારત<br/> સરકારે  બહાર પાડેલી ટપાલ ટિકીટ]]
[[ચિત્ર:Statue_of_Nirmal_Jit_Singh_Sekhon_and_his_aircraft,_10_sep_2013.jpg|thumb|તેમની મૂર્તિ અને તેમનું હવાઈ જહાજ]]
[[ચિત્ર:NJS-Sekhon-Army-Postal-Service.jpg|thumb|ભારતીય સેના દ્વારા બહાર પાડવામાં  આવેલ ટપાલ ટીકિટ]]
 
== શરૂઆતનું જીવન ==
લીટી ૮:
 
== પરમવીર ચક્ર પુરસ્કાર ==
૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ ૧૮મી સ્ક્વોડ્રન "ધ ફ્લાઈંગ બુલેટ્સ"માં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ શ્રીનગર વિમાન મથક પરથી નેટ લડાયક વિમાન ઉડાડતા હતા. ૧૪ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ શ્રીનગર વિમાન મથક પર પાકિસ્તાની વાયુસેનાના પેશાવર સ્થિત  ૨૬ સ્ક્વોડ્રનના છ એફ-૮૬ વિમાનોએ હુમલો કર્યો. ફ્લાઈંગ ઑફિસર સેખોં તે સમયે ફરજ પર હતા. જેવો પ્રથમ વિમાને હુમલો કર્યો સેખોં બે નેટ વિમાનવાળી વ્યૂહરચનામાં બીજા નેટમાં હવામાં ચડવા આગળ વધ્યા. ફ્લાઈટ લેફ્ટનન્ટ ઘુમાન બીજા નેટ વિમાનમાં નેતૃત્વ કરતા હતા. જેવો શરૂઆતનો બોમ્બ રન વે પર પડ્યો તેઓ ઉડવામાટે આગળ વધ્યા.  પ્રથમ નેટ હવામાં અદ્ધર થયું તેની પાછળ ધૂળ ઉડી જેણે ક્ષણવાર માટે સેખોંને  પાછળ  રાખી  દીધા.  પરંતુ  તુરંત જ તેઓ  પણ હવામાં હતા  અને બે સેબર  વિમાન તરફ તેઓ ધસી  ગયા.  બે નેટ જેવા હવામાં ચડ્યા  તે સમયે જ  નેતૃત્વ  કરતા ઘુમાન, સેખોંના નેટને દૃષ્ટિમર્યાદામાંથી ખોઈ બેઠા  અને બાકીની લડાઈ સેખોંને  માટે  એકલે  હાથે લડવાની રહી. સેખોં એક  સેબર પર  સીધું જ નિશાન તાકવામાં સફળ રહ્યા. બીજાને પણ આગ ચાંપવામાં સફળ રહ્યા જે રાજૌરી  તરફ  ધૂમ્રસેર  છોડતું જતું દેખાયું.
 
ત્યારબાદ સેખોંના વિમાન પર ગોળીઓ વાગી અને પરિસ્થિતિ જોતાં તેમને વિમાન મથક પર પાછા ફરવા સલાહ અપાઈ. એવું કહેવાય છે કે તેઓ થોડા સમય માટે વિમાનને સ્થિર કરવામાં સફળ થયા પરંતુ કદાચ નિયંત્રણ તંત્ર નિષ્ક્રિય થઈ જવાને કારણે વિમાન ઉલટું થયું અને નીચેની તરફ પડતું ગયું. આખરી ક્ષણે તેમણે વિમાનમાંથી બહાર ફેંકાવાની કોશિષ કરી જે નિષ્ફળ રહી. વિમાનનો કાટમાળ શ્રીનગર શહેરથી વિમાન મથક તરફ આવતા એક માર્ગ પાસેથી કોતરમાંથી મળ્યો. ભારતીય ભૂમિસેના અને વાયુસેનાના અથાગ પ્રયત્નો છતાં તેમનું પાર્થિવ શરીર ક્યારેય પણ મળી ન શક્યું. આથી તેમના પત્ની અને પરિવાર ખૂબ જ નિરાશ થયો.
લીટી ૨૩:
 
તેમની મૂર્તિ અને એક નિવૃત્ત નેટ વિમાનને ભારતીય વાયુસેના સંગ્રહાલય, પાલમ ખાતે ઉભું કરાયું છે.
 
==સંદર્ભ==
{{Reflist}}