૫૦,૩૫૦
edits
KartikMistry (ચર્ચા | યોગદાન) (ઇન્ફોબોક્સ ઉમેર્યું. કોમન્સમાંથી ફોટો ઉમેર્યો.) |
KartikMistry (ચર્ચા | યોગદાન) (પાનાં "Narayan Desai" ને ભાષાંતર કરીને બનાવેલ) |
||
[[ચિત્ર:Narayan_Desai_face.jpg|thumb|નારાયણ દેસાઇ, વેડછી ખાતે, જાન્યુઆરી ૨૦૦૭]]
'''નારાયણ દેસાઇ''' (૨૪ ડિસેમ્બર ૧૯૨૪ – ૧૫ માર્ચ ૨૦૧૫) ભારતીય ગાંધીવાદી અને લેખક હતા.
|મૃત્યુ તારીખ =▼
== પ્રારંભિક જીવન ==
[[મહાત્મા ગાંધી]]<nowiki/>ના અંગત સેક્રેટરી અને જીવનવૃત્તાંત લેખક [[મહાદેવભાઈ દેસાઈ|મહાદેવ દેસાઇ]]<nowiki/>ના પુત્ર એવા,<ref>Pandiri, Ananda M. ''A Comprehensive, Annotated Bibliography on Mahatma Gandhi.'' </ref> નારાયણ દેસાઇનો જન્મ [[વલસાડ]], ગુજરાત ખાતે ૨૪ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ થયો હતો.<ref name="PTI 1926">{{ઢાંચો:Cite web|author=PTI|title=Noted Gandhian Narayan Desai passes away|website=The Economic Times|date=15 March 2015|url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/noted-gandhian-narayan-desai-passes-away/articleshow/46571699.cms|accessdate=15 March 2015}}</ref> ગાંધીજીના સાબરમતી આશ્રમ, [[અમદાવાદ]] અને [[વર્ધા]] નજીક સેવાગ્રામ આશ્રમ ખાતે મોટા થયેલાતેમણે પોતાના પિતા અને આશ્રમના અન્ય રહેવાસીઓ જોડે શિક્ષણ મેળવ્યું હતું. તેમણે શિક્ષણ, કાંતણ અને [[ખાદી]] વણાટમાં નિપુણતા મેળવી હતી.<ref>{{ઢાંચો:Cite web|url=http://deshgujarat.com/2015/03/15/narayan-desai-passes-away/|title=Narayan Desai passes away|work=DeshGujarat|accessdate=15 March 2015}}</ref>
== શરૂઆતી વર્ષો ==
સ્વાતંત્ર્ય સેનાનીઓ નભકૃષ્ણ ચૌધરી અને માલતીદેવી ચૌધરીની પુત્ર ઉત્તરા ચૌધરી સાથેના લગ્ન પછી આ યુવાન જોડી [[સુરત]]<nowiki/>થી ૬૦ કિમી દૂર આવેલા વેડછી ખાતે સ્થાયી થઇ. જ્યાં તેમણે નઇ તાલીમ શાળામાં શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. [[વિનોબા ભાવે|વિનોબા ભાવે]] દ્વારા ભૂદાન આંદોલન શરૂ કરાયા પછી તેમણે ગુજરાતમાં પગપાળાં પ્રવાસ કરીને અમીરો પાસેથી જમીન લઇને ગરીબ જમીન વિહોણાં ખેડૂતોમાં વહેંચી હતી. તેમણે ભૂદાન આંદોલનનું મુખપત્ર ''ભૂમિપુત્ર'' શરૂ કર્યું અને ૧૯૫૯ સુધી તેના તંત્રી રહ્યા.<ref name="PTI 1926">{{ઢાંચો:Cite web|author=PTI|title=Noted Gandhian Narayan Desai passes away|website=The Economic Times|date=15 March 2015|url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/noted-gandhian-narayan-desai-passes-away/articleshow/46571699.cms|accessdate=15 March 2015}}</ref>
== ગાંધીજીની ફિલસૂફીનો અમલ ==
નારાયણ દેસાઇ વિનોબા ભાવે દ્વારા સ્થાપિત અને સામાજીક નેતા [[જયપ્રકાશ નારાયણ]]<nowiki/>ના નેતૃત્વ હેઠળ સંચાલિત અખિલ ભારતીય શાંતિ સેના મંડળમાં જોડાયા. શાંતિ સેનાના જનરલ સેક્રટરી તરીકે,<ref>Hardiman, David. </ref> નારાયણ દેસાઇએ સમગ્ર દેશમાંથી શાંતિ સ્વયંસેવકોની ભરતી કરી જેમણે જાતિગત અથડામણો દરમિયાન સુલેહગીરી કરવામાં મદદ કરી.
તેમણે આંતરરાષ્ટ્રીય શાંતિ સેનાની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો અને તેઓ વોર રેઝિસ્ટર્સ ઇન્ટરનેશનલના ચેરમેન તરીકે ચૂંટાયા. પાકિસ્તાની શાંતિ સંગઠનની સાથે તેમને યુનેસ્કોનો આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર મળ્યો હતો.
[[શ્રેણી:સાહિત્યકાર]]▼
તેઓ ભારતમાં [[કટોકટી કાળ (ભારત)|કટોકટી]] લાદવાના વિરોધમાં સક્રિય હતા અને કટોકટીના કાયદાઓના વિરોધમાં સામયિકની શરૂઆત કરી હતી. જયપ્રકાશ નારાયણના સાથી તરીકે તેમણે જનતા પાર્ટીની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો, જે પ્રથમ મોટી બિન-કોંગ્રેસી પક્ષ તરીકે ઉભરી આવ્યો. તેમણે વડા પ્રધાન તરીકે [[મોરારજી દેસાઈ|મોરારજી દેસાઈ]]<nowiki/>નું નામ પસંદ કરવામાં પણ અગત્યનો ભાગ ભજવ્યો.
જયપ્રકાશ નારાયણના મૃત્યુ પછી તેઓ વેડછી ખાતે સ્થાયી થયા અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયની સ્થાપના કરી. આ સંસ્થા અહિંસા અને ગાંધી જીવનશૈલીની તાલીમ આપતી હતી. તેમણે પોતાની પિતા મહાદેવ દેસાઈને શ્રદ્ધાંજલિ આપતું ગાંધીજીનું જીવનવૃત્તાંત ચાર ભાગોમાં લખ્યું, જે તેમના પિતાનું સ્વપ્ન હતું અને જેલમાં ૧૫ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અવસાન થવાથી અધૂરું રહ્યું હતું.
૨૦૦૪થી તેમણે 'ગાંધી-કથા'(મહાત્મા ગાંધીના જીવનનાં પ્રસંગોનું વર્ણન) કહેવાની સમગ્ર વિશ્વમાં શરૂઆત કરી. ગાંધીજીનું જીવનવૃત્તાંત ચાર ભાગોમાં ૨૦૦૦ પાનાંઓમાં લખાયેલું હતું. ગાંધીજીનું જીવનવૃત્તાંત પૂર્ણ કર્યા પછી તેમણે વિચાર્યું કે બહુ જૂજ લોકો આ પુસ્તક તેના કદ અને ઉંચી કિંમતને કારણે વાંચશે. તેમણે ગાંધીજીનો સંદેશ લોકોમાં પહોંચડાવા માટે નવીન વિચાર રજૂ કર્યો. તેમણે ગાંધી કથાની શરૂઆત કરી. રામાયણ અને ભાગવત કથાની જેમ તેમણે ગાંધી કથા કહી. સાત દિવસના ત્રણ કલાકો સુધી તેમણે ગાંધીજીના જીવન અને વિચારો રજૂ કર્યા. તેમણે કથા દરમિયાન તેમના દ્વારા લખાયેલા ગીતો પણ ગાયા. તેમની કથા પ્રેક્ષકો પર આધારિત રહેતી હતી. કેટલીક કથાઓમાં તેઓ ગાંધીજીની રાજકારણ પ્રવૃત્તિઓ વિશે કહેતા હતા અને અધિકારીને તેઓ ગાંધીજીના નેતૃત્વ સંચાલનના ગુણો વિશે કહેતા હતા. આ કથા દ્વારા લોકોમાં પ્રવર્તતી ગાંધીજી વિશેની કેટલીય ગેરસમજ દૂર થઇ. તેમણે ગાંધીજીના જીવન વિશે કેટલાય અપ્રકાશિત અને ન જાણીતાં પ્રસંગો રજૂ કર્યા હતા. આ કથા ભારત અને વિદેશમાં અત્યંત લોકપ્રિય બની હતી. નોંધવુ જરૂરી છે કે તેમણે કથાની શરૂઆત કરી ત્યારે તેમની વય ૮૧ વર્ષની હતી. તેઓ ૨૩ જુલાઇ ૨૦૦૭ સુધી [[ગુજરાત વિદ્યાપીઠ]]<nowiki/>ના કુલપતિ રહ્યા પણ તેમણે પદ પરથી નવેમ્બર ૨૦૧૪માં રાજીનામું આપ્યું.<ref name="PTI 1926">{{ઢાંચો:Cite web|author=PTI|title=Noted Gandhian Narayan Desai passes away|website=The Economic Times|date=15 March 2015|url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/noted-gandhian-narayan-desai-passes-away/articleshow/46571699.cms|accessdate=15 March 2015}}</ref>
૧૦ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ તેઓ કોમામાં સરી પડ્યા હતા. પણ, તેમાંથી સાજા થઇને તેઓ [[ચરખો]] પણ કાંતતા હતા. તેમને દૈનિક ક્રિયાઓમાં તકલીફ રહેતી હતી અને તેઓ પ્રવાહી ખોરાક પર હતા. ૧૫ માર્ચ ૨૦૧૫ના રોજ મહાવીર ટ્રોમા સેન્ટર, સુરત ખાતે તેમનું અવસાન થયું. તે જ દિવસે સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.<ref name="PTI 1926">{{ઢાંચો:Cite web|author=PTI|title=Noted Gandhian Narayan Desai passes away|website=The Economic Times|date=15 March 2015|url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/noted-gandhian-narayan-desai-passes-away/articleshow/46571699.cms|accessdate=15 March 2015}}</ref>
== પુરસ્કારો ==
૧૯૯૩માં તેમના પિતા મહાદેવ દેસાઇના જીવનવૃત્તાંત માટે તેમને ગુજરાતી ભાષાનો [[સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી|સાહિત્ય અકાદમી પુરસ્કાર]] મળ્યો હતો. એ પહેલાં તેમને ગાંધીજીના બાળપણની યાદગીરીના પુસ્તક માટે પણ સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.
૧૯૯૯માં તેમને જમનાલાલ બજાજ પુરસ્કાર મળ્યો હતો <ref>{{ઢાંચો:Cite web|title=Jamnalal Bajaj Awards Archive|url=http://www.jamnalalbajajfoundation.org/awards/archives/2010|date=|publisher=[[Jamnalal Bajaj Foundation]]}}</ref> અને ૧૯૯૮માં અસહિષ્ણુતા અને અહિંસાનો અથાગ પ્રચાર કરવા માટે યુનેસ્કો-મદનજીત સિંહ પુરસ્કાર મળ્યો હતો.<ref name="msp-2009">{{ઢાંચો:Cite web|title=UNESCO-Madanjeet Singh Prize for the Promotion of Tolerance and Non-Violence (2009)|url=http://unesdoc.unesco.org/images/0018/001858/185859e.pdf|publisher=UNESCO|year=2009}}</ref>
ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે તેમને [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] ૨૦૦૧માં એનાયત થયો હતો.
૨૦૦૪ના વર્ષમાં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા અપાતો ૧૮મો મૂર્તીદેવી પુરસ્કાર તેમને તેમના લોકપ્રિય સર્જન ‘મારું જીવન એજ મારી વાણી’ માટે મળ્યો હતો, જે મહાત્મા ગાંધીના જીવન, ફિલસૂફી અને કાર્યો પર આધારીત છે.
== સંદર્ભ ==
{{Reflist}}
|