પૃથ્વીરાજ ચૌહાણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું {{સ્ટબ}}, સુધારો જરૂરી.
No edit summary
લીટી ૧:
{{સુધારો}}
'''પૃથ્વીરાજ ચૌહાણ''' પર ઓછી વયમાં જ પોતાની બે રાજધાનીઓ [[દિલ્હી]] અને [[અજમેર]]ની સાથે વિશાળ રાજયની જવાબદારી આવી ગઈ હતી. પૃથ્વીરાજના પિતા સોમેશ્વર ચૌહાણના મૃત્યુને કારણે પ્રજાની દેખરેખની જવાબદારી પૃથ્વીરાજે ઉઠાવી. પૃથ્વીરાજ ચૌહાણ વંશના અંતિમ પ્રતાપી સમ્રાટ હતા. તે પોતાના સાહસ અને પરાક્રમના કારણે લોકોની વચ્ચે જાણીતા બન્યા હતા. પૃથ્વીરાજનો સંયોગિતા સાથે પ્રેમ પ્રસંગ પણ ઇતિહાસમાં ચર્ચિત રહ્યો છે. પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ 1168માં થયો હતો. બાળપણમાં જ પૃથ્વીરાજે ગુરૂકૂળમાં રહેતાદિલ્હિમા શસ્ત્ર વિદ્યા, રાજનીતિ કલા અને સાહિત્ય જેવા વિષયોમાં નિપુણતા મેળવી હતી.
 
પૃથ્વીરાજનો સમકાલીન હતો, કન્નોજનો રાજા જયચંદ્ર. રાજા જયચંદ્ર પૃથ્વીરાજનો મામેરો ભાઈ હતો. સંયોગિતા જયચંદ્રની પુત્રી કે પાલિત પુત્રી હતી જેનુ હરણ કરીને પૃથ્વીરાજે તેની સાથે લગ્ન કરી લીધા હતા. આ એ સમયની વાત છે જ્યારે ભારતની સીમાઓ પર ઘોરના શાસક મોહમ્મદ ઘોરીનુ આક્રમણ થઈ રહ્યુ હતુ.
 
મોહમ્મદ ઘોરીએ ભારત પર આક્રમણ કર્યુ અને તે જીતતો ગયો. જ્યારે એની જીત પૃથ્વીરાજ ચૌહાણના રાજ્યની સીમા સુધી આવે ગયો તો પૃથ્વીરાજ ક્રોધે ભરાયો. ઘોરી સાથે લડવા પૃથ્વીરાજે સેના તૈયાર કરી અને બંને તરાઈન નામની જગ્યાએજાગ્યાએ એકબીજા સાથે યુધ્ધ કરવા લાગ્યા. પૃથ્વીરાજે તરાઈનના પહેલા યુધ્ધમાં ઘોરીને પાછળ ભાગવા મજબૂર કરી દીધો. પૃથ્વીરાજની જીત થઈ પરંતુ બીજા વર્ષે 1192માં ઘોરી ફરી મેદાનમાં આવ્યો અને આ વખતે જીત ઘોરીની થઈ. પૃથ્વીરાજન બંદી બનાવવામાં આવ્યા. ઘોરીની વિરુધ્ધ લડાઈમાં જયચંદ્ર મદદ ના કરતા તો બની શકતુ કે વાત જુદી હોત.
 
પૃથ્વીરાજના દરબારી કવિ અને મિત્ર ચંદબરદાયુએ 'પૃથ્વીરાજ રાસો'માં જણાવ્યુ એ પ્રમાણે તેઓએ લખ્યુ કે જ્યારે પૃથ્વીરાજ ઘોરમાં બંદી હતા ત્યારે એકવાર હુ તેમને મળવા ગયો. ત્યાં સુધી તો મોહમ્મદ ઘોરીએ તેમને આંધળો બનાવી દીધો હતો. ત્યારબાદ મેં અને પૃથ્વીરાજે મળીને ઘોરીને મારવાની યોજના બનાવી.