'''સોનગઢ''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]માં આવેલા [[તાપી જિલ્લો|તાપી જિલ્લા]]ના સોનગઢ તાલુકાનું તાલુકા મથક છે. અહીં [[તાપી|તાપી નદી]] પરનો [[ઉકાઇ]] બંધ તેમ જ સોનગઢનો કિલ્લો મહત્વનાં સ્થળો છે.
સોનગઢ [[સુરત]] - [[ધુલિયા]] [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬]] તેમ જ [[સુરત]] - [[નંદરબાર]] - [[જલગાંવ]] જતી રેલ્વે લાઇન ( ટાપ્ટી લાઇન ) પર આવેલું મહત્વનું મથક છે.
લીટી ૩૧:
=== ઇતિહાસ ===
બાલપુરી લડાઇ પછી ખંડેરાવ દભાડનું મૃત્યુ થતાં એમનું સેનાપતિનું સ્થાન પુત્ર ત્ર્યંબકરાવને મળ્યું. દામાજીરાવ ગાયકવાડની જગ્યા તેમના ભત્રીજા પીલાજીરાવ ગાયકવાડને પ્રાપ્ત થઇ, તે સમયે સોનગઢ મેવાસી ભીલોના તાબામાં હતું. આ ભીલો પાસેથી પીલાજીરાવ ગાયકવાડે સને ૧૭૧૯માં ડુંગરનો કબજો મેળવી કિલ્લો બાંધવાની શરુઆત કરી. આમ ગાયકવાડી રાજની શરૂઆત સોનગઢથી થઇ. પીલાજીરાવ એના મૂળ સ્થાપક બન્યા. કિલ્લાના પ્રવેશદ્વારની ડાબી બાજુ શિલાલેખ પરની માહિતી મુજબ આ કિલ્લો પીલાજીરાવે સને ૧૭૨૮-૨૯માં ફરીથી બાંધ્યો. ત્યારબાદ બાબીઓ પાસેથી [[વડોદરા| વડોદરા રાજ્ય]] જીતી ત્યાં સને ૧૭૩૦માં પીલાજીરાવે ગાયકવાડી રાજની સ્થાપના કરી, જેનું મથક ઇ. સ. ૧૭૬૩ સુધી સોનગઢ ખાતે રહ્યું હતું. ગાયકવાડે ફિરંગીઓ પર વિજય મેળવ્યાની યાદમાં માતાની સ્થાપના આ કિલ્લા પર કરી હતી. આ કિલ્લા સાથે [[શિવાજી| છત્રપાતિ શિવાજી મહારાજ]]ની પણ કેટલીક વાતો જોડાયેલી છે. આ કિલ્લા ઉપર પહોંચવા માટે સર્પાકારે રસ્તો છે. કિલ્લા ઉપર મહાકાળી માતાનું મંદિર અને દરગાહ દર્શનીય ધાર્મિક સ્થાનો છે. [[દશેરા]]ના તહેવારનો અહીં મોટો મેળો ભરાય છે.