ભગવદ્ગોમંડલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Reformatted and restructured to avoid copyright violation
લીટી ૧:
'''ભગવદ્ગોમંડળ'''ની રચના [[ઓક્ટોબર ૨૪|૨૪ ઓક્ટોબર]] ૧૮૬૫નાં રોજ ગોંડલનાં મહારાજા ઠાકોર સગરામજી બીજાનાં પુત્ર [[મહારાજા ભગવતસિંહજી|ભગવતસિંહજી]]એ કરી. તેમણે છવ્વીસ વર્ષના અથાગ સંશોધનને અંતે ગુજરાતી ભાષા અને ગુજરાતને ગૌરવ આપતો ગ્રંથ "ભગવદ્ગોમંડલ" રચ્યો, જેને ફક્ત શબ્દકોશ જ ન ગણતા, તેની ગણના જ્ઞાનકોશ તરીકે કરવામાં આવે છે.
''દુનિયાની કોઈપણ ભાષાના ઉત્તમ કોશની સરખામણીમાં 'ભગવદ્ગોમંડલ' ઊણો ઊતરે તેમ નથી. આ ફક્ત શબ્દકોશ નથી પણ જ્ઞાનકોશ પણ છે.''
 
==વ્યુત્પત્તિ==
ઉપરોક્ત ઉક્તિ પરથી અનુમાન કરી શકીએ કે 'ભગવદ્ગોમંડલ' એક અમૂલ્ય અને મહત્ત્વનો જ્ઞાનકોશ છે. આવા મહાન જ્ઞાનકોશ, વિશ્વકોશની પ્રસ્તાવના લખવા માટે જ્યારે [[ગાંધીજી]]ને કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું: "પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ હું માનું છું.”
ભગવદ્ગોમંડલ' નામશબ્દની સંધી છૂટી પાડતા, 'ભગવત્' અને 'ગોમંડલ' એમ બે શબ્દોનુંશબ્દો બનેલુંમળે છે. માટે આ શબ્દની વ્યુત્પત્તિ વિષે અનેક તર્ક છે, જેને આધારે તેનો અર્થ કંઇક આ રીતે કરી શકાય: 'ભગવત્' એટલે ભગવતસિંહજી, બૃહત્, સમૃદ્ધિવાન, જ્ઞાનભરપૂર, પ્રભુપ્રેરિત કે ગૌરવવંતુ. જ્યારે 'ગોમંડલ' એટલે શબ્દસંગ્રહ, શબ્દકોશ, જ્ઞાનકોશ, સરસ્વતીભંડાર કે [[ગોંડલ]]. આમ, ભગવદ્ગોમંડલ એટલે (૧) ભગવતસિંહજી શબ્દસંગ્રહ (૨) બૃહત શબ્દકોશ (૩) સમૃદ્ધિવાન જ્ઞાનકોશ (૪) જ્ઞાનભર્યો સરસ્વતી-ભંડાર (૫) પ્રભુપ્રેરિત વ્યાપક વાણી અને (૬) ગૌરવવંતું ગોંડલ.<ref>[http://www.bhagwadgomandal.com/gu/index.php?action=whatisbhagvadgomandal 'ભગવદ્ગોમંડલ શું છે?']ભગવદ્ગોમંડલની વેબસાઇટ પર</ref>
 
==સંશોધન==
ઈ.સ. ૧૮૬૫ની ૨૪મી ઓક્ટોબરે [[ધોરાજી]]માં જન્મેલ [[મહારાજા ભગવતસિંહજી|ભગવતસિંહજી]] એકમાત્ર રાજવી તરીકે નહિ પરંતુ સામાજિક અને સાહિત્યક્ષેત્રે પણ અમૂલ્ય પ્રદાન આપીને ગણનાપાત્ર બન્યા છે. ગુજરાતી ભાષાને વિશ્વકક્ષા સુધી પહોંચાડવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા બજાવી છે. છવ્વીસ છવ્વીસ વર્ષની અખંડ સાધના કરીને ગુજરાતી ભાષાની શબ્દસમૃદ્ધિને ખૂણેખાંચરેથી શોધી કાઢીને [[મહારાજા ભગવતસિંહજી]]એ [[ગુજરાતી ભાષા]]માં રત્નમણિ સમાન મહાન જ્ઞાનકોશ "ભગવદ્ગોમંડલ"ની રચના કરી. આ કોશના રચયિતા તરીકે આજે પણ [[સાહિત્ય]] જગત તેમને સન્માને છે.
સર ભગવતસિંહજીએ ઈ.સ. ૧૯૧૫ની આસપાસ એવા ગુજરાતી શબ્દો શોધવાની શરૂઆત કરી કે જે કોઈપણ કોશમાં ન જોવા મળતા હોય, તેમના આ સંશોધન માટે તેમણે પ્રમાણભૂત ગ્રંથો, મહત્ત્વનાં [[પુસ્તક|પુસ્તકો]], [[નવલકથા]]ઓ, [[કાવ્ય]]સંગ્રહો વગેરેનો જ નહિ પરંતુ વર્તમાનપત્રો, [[સામયિક|સામયિકો]], નિવેદનો, જાહેરખબરો, [[નાટક]] સિનેમાનાં ચોપાનિયાંઓ, ચીજવસ્તુઓની મૂલ્યપત્રિકાઓ, વિગેરેમાંથી ઉપયોગી જણાતા શબ્દોનો સંગ્રહ કરવા માંડ્યો અને આ પૈકિ જે શબ્દોમાં તેમને સચ્ચાઈ જણાઈ તેનો તેમણે કોશમાં સમાવેશ કર્યો. તેમનો આગ્રહ હતો કે ગુજરાતી લોકોની બોલચાલની ભાષાનું પ્રતિબિંબ તેમાં હોય. શબ્દોના અર્થની સાથે સાથે, તેની વ્યુત્પત્તિ અને [[જોડણી]]ના નિયમોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા.
 
==તવારિખ અને તથ્યો==
ભગવદ્ગોમંડલ' નામ 'ભગવત્' અને 'ગોમંડલ' એમ બે શબ્દોનું બનેલું છે. 'ભગવત્' એટલે ભગવતસિંહજી, બૃહત્, સમૃદ્ધિવાન, જ્ઞાનભરપૂર, પ્રભુપ્રેરિત કે ગૌરવવંતુ. જ્યારે 'ગોમંડલ' એટલે શબ્દસંગ્રહ, શબ્દકોશ, જ્ઞાનકોશ, સરસ્વતીભંડાર કે [[ગોંડલ]]. આમ, ભગવદ્ગોમંડલ એટલે (૧) ભગવતસિંહજી શબ્દસંગ્રહ (૨) બૃહત શબ્દકોશ (૩) સમૃદ્ધિવાન જ્ઞાનકોશ (૪) જ્ઞાનભર્યો સરસ્વતી-ભંડાર (૫) પ્રભુપ્રેરિત વ્યાપક વાણી અને (૬) ગૌરવવંતું ગોંડલ.
[[ઓક્ટોબર ૧|પહેલી ઓક્ટોબર]] ૧૯૨૮ના દિવસે [[ગોંડલ]]માં 'ભગવદ્ગોમંડલ' કોશની કચેરી શરૂ કરી જેમાં તેમણે અત્યાર સુધીનાં સંશોધનમાં એકત્ર કરેલા વીસેક હજાર શબ્દોથી કોશ રચવાની શરૂઆત કરી. ભગવદ્ગોમંડલનો પ્રથમ ગ્રંથ [[ઓગષ્ટ ૨૫|૨૫મી ઓગષ્ટ]] ૧૯૪૪ના રોજ પ્રસિદ્ધ થયો જેમાં ૯૦૨ પાનાં હતાં જેમાં ૨૬,૬૮૭ શબ્દો અને તેનાં ૫૧,૩૩૮ અર્થોનો સમાવેશ થયેલો હતો, આ ગ્રંથશ્રેણીનો અંતિમ નવમો ગ્રંથ [[માર્ચ ૯|૯ માર્ચ]] ૧૯૫૫ના પ્રસિદ્ધ થયો હતો. આમ ૧૯૪૪થી ૧૯૫૫ એમ, ૧૧ વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલા નવ ગ્રંથોનાં કુલ ૯૦૦૦થી વધુ પૃષ્ઠોમાં આશરે ૨,૮૧,૩૭૭ શબ્દો, તેના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ જેટલાં રૂઢિપ્રયોગોનો સંગ્રહ છે.<ref>[http://www.bhagwadgomandal.com/gu/index.php?action=history 'શબ્દકોશનો ઉદ્ભવ અને વિકાસ'] ભગવ્દ્ગોમંડલની વેબસાઇટ પર</ref> [[ગુજરાતી ભાષા]]માં આટલા બધા શબ્દો છે તેની સૌપ્રથમ વાર જાણ કદાચ આ કોશ દ્વારા જ વિશ્વને થઈ.
 
આમ, છવ્વીસ વર્ષની જહેમતને અંતે પ્રસિદ્ધ થયેલા નવ ગ્રંથો પાછળ, તે સમયે લગભગ સાડાપાંચ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. અમૂલ્ય એવા આ નવ ગ્રંથની કિંમત તે સમયે રૂ. ૫૪૫ હતી પરંતુ રાજ્યાશ્રયને કારણે તે ૧૪૬ રૂપિયામાં પ્રાપ્ત થતી હતી. અફસોસની વાત એક જ હતી કે આ મહાન ગ્રંથના રચયિતા [[મહારાજા ભગવતસિંહજી]] તેનું અંતિમ સ્વરૂપ જોવા ન પામ્યા, પ્રથમ ગ્રંથ પ્રસિદ્ધ થયાનાં ૪ મહિના પહેલા, ૧૯૪૪ની [[માર્ચ ૯|નવમી માર્ચે]] ૭૮ વર્ષની વયે તેમનું અવસાન થયું.
કચેરી, તુમારો કે દફતરીકામમાં [[અંગ્રેજી ભાષા]]ને બદલે વધુમાં વધુ [[ગુજરાતી ભાષા]]ને અને શબ્દોને પ્રાધાન્ય આપવામાં તેમનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ પ્રગટ થાય છે. ગુજરાતીમાં સર્વાંગસંપૂર્ણ શબ્દકોશની ખામી ઘણા વખતથી સાલતી હતી. આથી એમણે ઈ.સ. ૧૯૧૫ની આસપાસથી કોઈપણ કોશમાં ન જોવા મળતા નવીન શબ્દોનો સંગ્રહ કરવા માંડ્યો. આ બાબતમાં એમની નિષ્ઠા અને ખેવના અજોડ હતી. તેમણે પ્રમાણભૂત ગ્રંથો, મહત્ત્વનાં [[પુસ્તક|પુસ્તકો]], [[નવલકથા]]ઓ, [[કાવ્ય]]સંગ્રહો વગેરેનો જ નહિ પરંતુ વર્તમાનપત્રો, [[મેગેઝીન|માસિકો]], નિવેદનો, જાહેરખબરો, [[નાટક]] સિનેમાનાં ચોપાનિયાંઓ, ચીજવસ્તુઓની મૂલ્યપત્રિકાઓ કે એવા કોઈપણ રદ્દી જેવા શબ્દો ફરફરિયામાંથી પણ ઉપયોગી જણાતા શબ્દોનો સંગ્રહ કરતા અને તેમાંથી જે શબ્દોમાં સચ્ચાઈનો રણકો ઊઠે, તેને જ કોશમાં સમાવવામાં આવતા. ગુજરાતી લોકોની બોલાતી ભાષાનું આમાં સાચામાં સાચું પ્રતિબિંબ ઝિલાયું છે. વળી આ કોશની રચના વખતે [[જોડણી]]ના નિયમોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
 
==સંદર્ભ==
ઈ.સ. ૧૯૨૮ના ઓક્ટોબરની પહેલી તારીખથી તેમણે [[ગોંડલ]]માં 'ભગવદ્ગોમંડલ' કોશની વિધિસરની કચેરી શરૂ કરી અને જેમાં તેમણે જાતમહેનતે એકત્ર કરેલા આશરે વીસહજાર શબ્દોથી આ કોશની શરૂઆત કરી. ૨૫મી ઓગષ્ટ ૧૯૪૪ના રોજ તેમણે ૯૦૨ પાનાંનો પ્રથમ ભાગ પ્રસિદ્ધ કર્યો અને ત્યારબાદ દર એક દોઢ વર્ષના સમયગાળે એક એક ભાગ પ્રસિદ્ધ કર્યો. ૯મી માર્ચ ૧૯૫૫ના રોજ નવમો અને અંતિમ ભાગ પ્રસિદ્ધ થયો હતો.
{{reflist}}
 
દુનિયાની કોઈપણ [[ભાષા]]ના ઉત્તમ કોશની સરખામણીમાં સહેજપણ ઊણો ન ઉતરતો આ ગ્રંથ માત્ર શબ્દકોશ જ નહિ પણ [[જ્ઞાનકોશ]] ગણાયો છે. નવ ગ્રંથોના ૯૨૭૦ જેટલા પૃષ્ઠોમાં આશરે ૨,૮૧,૩૭૭ શબ્દો, તેના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ જેટલાં રૂઢિપ્રયોગોને સમાવવામાં આવ્યા છે. શબ્દભંડોળ અને અર્થભંડોળની દૃષ્ટિએ એ અતુલનીય છે. વાસ્તવમાં આપણી [[ગુજરાતી ભાષા]]માં આટલા બધા શબ્દો છે તેની સૌપ્રથમ વાર જાણ જ આ કોશ દ્વારા વિશ્વને થઈ. તેથી જ ભગવદ્ગોમંડલને વિવિધ વિશેષણો જેવા કે, 'જ્ઞાનનો ઘૂઘવતો શબ્દસાગર', 'ગુજરાતી ભાષાનો સંસ્કૃતિગ્રંથ', 'વિશ્વકોશ', 'ગુજરાતી ભાષાની અસ્મિતા', 'સર્વજ્ઞાન સંગ્રહ' અને 'સમૃદ્ધિનો સાગર' જેવા શબ્દોથી નવાજવામાં આવેલ છે.
 
'ભગવદ્ગોમંડલ' એ એક એવો ઉત્કૃષ્ટ કક્ષાનો માહિતીકોશ કે જ્ઞાનકોશ છે કે જેમાં ધર્મ, સાહિત્ય, કલા, વાણિજ્ય, વિજ્ઞાન, સામાજિક, સાંસ્કૃતિક અને જીવનવ્યવહારનાં બધાં જ પાસાંઓને સમાવી લીધેલા છે. દા.ત. આપણે 'કલા' શબ્દને ભગવદ્ગોમંડલમાં તપાસીએ તો 'કલા' શબ્દ સાથે તેના ૬૨ અર્થ, ૫૪ કલાના નામ, શિલ્પશાસ્ત્રની ૬૪ કલાનાં નામ એવી વિવિધ તેમજ વિસ્તૃત માહિતી આપી છે. જ્યારે આંખ શબ્દનું ૬ પૃષ્ઠમાં વિસ્તૃત વિવરણ આપેલ છે. આમ, કોઈપણ શબ્દનાં ફક્ત અર્થ જ નહિ પરંતુ તેના ઉચ્ચાર, વ્યુત્ત્પતિ, વ્યાકરણ, અર્થ, રૂઢિપ્રયોગ, ઉદાહરણ અને જરૂર પડે ત્યારે ચિત્રો, કોષ્ટકો વગેરે દ્વારા માહિતીને સચોટ રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
 
આમ, છવ્વીસ વર્ષના અથાક પરિશ્રમ બાદ દળદાર એવા નવ ભાગનું પ્રકાશન કાર્ય પૂર્ણ થયું. આ પ્રકાશન પાછળ તેમણે લગભગ સાડાપાંચ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. અમૂલ્ય એવા આ નવ ગ્રંથની કિંમત તે સમયે ૫૪૫ હતી પરંતુ રાજ્યાશ્રયને કારણે તે ૧૪૬ રૂપિયામાં પ્રાપ્ત થતી હતી. ગુજરાતી ભાષાના એક સમૃદ્ધ અને મહત્ત્વના જ્ઞાનકોશ તરીકે "ભગવદ્ગોમંડલ" અદ્વિતીય છે. જ્ઞાનના અમૂલ્ય વારસાને સાચવી તેમજ લોકોને સુલભ રીતે માહિતી મળી શકે તે માટે જે જહેમત ઉઠાવી તે માટે શ્રી ભગવતસિંહજીને કોટિ કોટિ વંદન.
 
==બાહ્ય કડીઓ==
* [http://www.bhagavadgomandalonlinebhagwadgomandal.com/ ભગવદ્ગોમંડળ વેબસાઇટ]-સર્ચેબલ ડેટાબેઝ
* [http://www.gujaratilexicon.com/blog/ ગુજરાતીલેક્સિકોન પરનો લેખ]
* [http://www.bhagwadgomandalbhagavadgomandalonline.com/ ભગવદ્ગોમંડળ વેબસાઇટતેના મૂળ રૂપે]-સ્કેન કરેલા પુસ્તકનાં પાના સર્ચેબલ રૂપમાં
* [http://www.bhagavadgomandalonline.com/ ભગવદ્ગોમંડળ વેબસાઇટ]
 
[[શ્રેણી:ભાષાઓ]]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્ય]]