ગઝલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ સુધારો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
સુધારો કર્યો
લીટી ૩૨:
આખી ગઝલમાંથી ઘણી વાર આવો એકાદ ચોટદાર શેર જ પોતાની અવતરણ-ક્ષમતાને કારણે પ્રસિદ્ધિ પામે છે, પરંતુ એ યાદ રાખવું જોઈએ કે કવિ પોતાની પસંદગી કે ઇચ્છાથી ‘છૂટો શેર’ નથી લખતો, એમ થઈ જાય છે. ગઝલની સંપૂર્ણ રસાનુભૂતિ માટે એક જ છંદ, રદીફ અને કાફિયા જાળવીને લખાયેલી અનેક શેરોવાળી ગઝલ જ વધુ સ્વીકાર્ય ગણાય. એકાદ છૂટો શેર નહીં, પરંતુ આખી ગઝલ જ શાયરની કવિત્વશક્તિની સાચી કસોટી છે.
 
શેર ઉપરથી જ ‘શાયર’ અને ‘મુશાયરો’ શબ્દ આવ્યા છે, એ દેખીતું છે. મુશાયરાનો અર્થ છે જ્ઞાનીઓની સભા, જેમાં બોલનાર અને સાંભળનાર બંને જ્ઞાની અથવા જ્ઞાનપિપાસુ હોય એ જરૂરી છે! આટલા વિવરણ પછી એટલું સમજી શકાયું હશે કે ભારતીય પરંપરામાં શ્ર્લોકની વિભાવના અરબી-ફારસીના શેરની ખૂબ નજીક બેસે છે. ફરક માત્ર રદીફ-કાફિયાની યોજનાનો છે. એમ કહી શકાય કે છંદ, રદીફ અને કાફિયાની એક દોરી પર ગૂંથેલાં અલગ અલગ પુષ્પો જેવી શેરોની પુષ્પમાળા એટલે જ ગઝલ.<ref name= rm>{{cite book|title=ગઝલ : રૂપ અને રંગ|author=રઈશ મનીઆર|date=2006|location= અમદાવાદ|publisher=અરૂણોદય પ્રકાશન|chapter=પ્રકરણ 5:ગઝલ : બાહ્ય સ્વરૂપ : પરિભાષાની સમજ|pages=27-41|ISBN=9789380468099}}</ref>
 
== મિસરા ==
લીટી ૫૫:
એ જ છે મારા પરિચયની કથા ગાલગા ગાગાલગા ગાગાલગા
 
ગઝલના એક મિસરામાં કોઈ એક દ્દષ્ટાંત કે પ્રતીકયોજના હોય અને એના આધારે બીજા મિસરામાં કોઈ સત્યનું પ્રતિપાદન થાય, એવું બની શકે. એક મિસરામાં કોઈ વિધાન કે દાવો હોય બીજામાં એના સમર્થન માટે કોઈ દલીલ રજૂ કરવામાં આવી હોય એમ પણ બને. કેટલીક વાર એક મિસરો કોઈ ‘પ્લેટફૉર્મ’ કે ‘રન-વે’ તૈયાર કરી આપે છે, જેના ઉપરથી બીજો મિસરો કાવ્યાત્મક ઉડ્ડયન કરે છે. બે મિસરા વચ્ચે અનેક પ્રકારનો સંબંધ હોઈ શકે, શરતમાત્ર એટલી જ રહે છે કે અન્યોન્યના આધારથી શેરને અર્થસાધકતા મળે.<ref name= rm/>
 
== રદીફ ==
લીટી ૧૦૨:
</poem>
 
અહીં રદીફ ‘દે’ પહેલી પંક્તિમાં જરૂરી નથી, તો પણ લાવવામાં આવ્યો છે. તેથી એ દોષ બને છે. રદીફ સાથે જો કાફિયો પણ હોત તો આ શેર મત્લાનો શેર થઈ જાત, પણ અહીં એવું નથી. આ રીતે મત્લાના શેરો સિવાયના શેરોમાં, શેરની પ્રથમ પંક્તિના અંતે રદીફ લાવવાથી શેરનું સૌંદર્ય જોખમાય છે. આ દોષને ‘તકાબીલ રદીફ’ તરીકે ઓળખવામાં આવે છે. પત્તાની રમતમાં કસમયે પત્તાં ખોલી દેવાની નાદાની કરવા જેવા આ દોષને જાણકારો રદીફનો મોટો દોષ ગણે છે. ગઝલકારે આ દોષ બાબતે સભાન રહેવું જોઈએ.<ref name= rm/>
 
== કાફિયા ==
લીટી ૧૬૮:
ગઝલને જો તંબૂનું રૂપક આપીએ તો કાફિયા એનો વાંસ છે. કાફિયાના યોગ્ય સંતુલન વગર ગઝલની ઇમારત ધરાશાયી થઈ જાય. કાફિયાને અનુસરવું પડે છે એ ગઝલકાર માટે એક મર્યાદા છે. આ મર્યાદામાં રહીને ગઝલકાર એકાધિક ઉત્તમ શેરોનું એક મજાનું ભાવવિશ્વ ખડું કરી દે છે એ ગઝલકારની ઉપલબ્ધિ છે. આમ, સર્જનાત્મકતાના ઉચિત સ્પર્શથી કાફિયાનું બંધન, બંધન રહેતું નથી.
 
રદીફ ગઝલને એકસૂત્રની અથવા એક વિષય કે વિચારની આસપાસ બાંધી રાખે છે. કાફિયા, રદીફના ખૂંટે બંધાઈને પણ વિવિધ વિષયો કે વિચારોની સફર કરી લે છે. રદીફ અને કાફિયાની આ લીલાથી આકાર ધારણ કરતી ગઝલનો આ જ રોમાંચ છે. રદીફ, કાફિયા અને છંદના બંધનમાં રહીને કશુંક નિર્બંધ તાકવું એ જ ગઝલની ઉપલબ્ધિ છે.<ref name= rm/>
 
== મત્લા ==
‘મત્લા’ શબ્દની ઉત્પત્તિ અરબી ભાષાના શબ્દ ‘તુલુ’ પરથી થઈ છે, જે સામાન્યત : ‘સૂર્યના ઉદય થવા’ નો સંકેત કરે છે. (૨૭) આમ, ‘મત્લા’ શબ્દ ગઝલનો ઉદય થઈ રહ્યો છે, અથવા શરૂઆત થઈ રહી છે એમ સૂચવે છે. મત્લાનો અર્થ ‘આકાશ’ અથવા ‘નભોમંડળ’ જેવો પણ થઈ શકે. ગઝલના પહેલા શેરના બંને મિસરામાં કાફિયા-રદીફની યોજના પાળવામાં આવે છે. ગઝલના આવા પહેલા શરને મત્લા કહેવામાં આવે છે. એક ગઝલમાં ઓછામાં ઓછો એક મત્લા હોય એ જરૂરી છે. ગુજરાતી ભાષામાં કેટલીક મત્લા વગરની ગઝલો જોવા મળી છે. શાસ્ત્રીય દ્દષ્ટિએ એ સ્વીકારી ન શકાય. ગઝલમાં એકથી વધુ મત્લા હોઈ શકે. સંદર્ભ ગઝલ-૩માં ત્રણ જેટલા મત્લા છે એ જોઈ શકાશે. મત્લાના શેરો ગઝલની શરૂઆતમાં જ આવે.
 
મત્લાના શેરથી શાયરને રદીફ-કાફિયાની કઈ યોજના અભિપ્રેત છે એનો વાચક કે શ્રોતાને ખ્યાલ આવે છે. ગઝલના રદીફ-કાફિયા મત્લાના શેરથી સ્થાપિત થાય છે. ઘણી વાર આખી ગઝલના અન્ય શેરો લખાઈ જાય છે, પરંતુ મત્લા રચી શકાતો નથી. બંને પંક્તિમાં રદીફ-કાફિયા જાળવવાના હોવાથી મત્લા શાયર માટે મોટી કસોટી બની રહે છે. વળી, મત્લાથી ગઝલનો ઉપાડ થતો હોવાથી એ શેર સારો હોય, ચોટદાર હોય, પ્રભાવશાળી હોય એવી અપેક્ષા પણ રહે છે.<ref name= rm/>
 
== મક્તા અને તખલ્લુસ ==
Line ૧૯૫ ⟶ ૧૯૪:
<poem>
‘ર’ નિરંતર ‘મેશ’ માં સબડે અને સૂર્ય પણ નીકળે તો કાળા નીકળે
</poem><ref name= rm/>
 
== ફર્દ ==
શાયરો કેટલાક એવા છૂટા શેર રચી નાખે છે, જેને પૂરી ગઝલનું સ્વરૂપ આપી શકાતું નથી. આવા શેરોને ‘ફર્દ’ અથવા છૂટા શેરો સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. મોટા ભાગે જરૂરી સંખ્યામાં કાફિયા ન મળે ત્યારે અથવા આખી ગઝલમાં એકાદ શેર જ સારો લખાયો હોય ત્યારે વિવેકયુક્ત શાયર નબળા શેરોને રદ કરી માત્ર એક છૂટો શેર ‘ફર્દ’ તરીકે પ્રગટ કરે છે.<ref name= rm/>
 
== કત્આ ==
આમ તો બે મિસરાનો બનેલો એક શેર એ જ ગઝલકારનું પટાંગણ છે. એણે જે કોઈ વાત કહેવી હોય તે એક જ શેરમાં સંપૂર્ણ થવી જોઈએ. પરંતુ અપવાદરૂપે કોઈક વાર વિચાર દીર્ધસૂત્રી હોય ત્યારે શેર બે ને બદલે ચાર, છ કે આઠ પંક્તિ સુધી લંબાવી શકે છે. જ્યારે એક વિચાર એકથી વધુ શેરમાં સળંગ ફેલાયેલો હોય, એવા શેરોના સમૂહને કત્આ કહેવામાં આવે છે. કત્આ ગઝલથી અલગ પણ રજૂ કરી શકાય. કત્આની બીજી, ચોથી, છઠ્ઠી, આઠમી પંક્તિમાં રદીફ-કાફિયા જાળવવા અનિવાર્ય છે. ગુજરાતીમાં કત્આનું ચલણ ઓછું છે. ઉર્દૂમાંથી પણ કત્આની પરંપરા લુપ્ત થઈ રહી છે. મુશાયરામાં ગઝલ રજૂ કરતાં પહેલાં કેટલીક વાર વાતાવરણ જમાવવા માટે શાયર બે શેરનું ‘મુક્તક’ રજૂ કરે છે. ‘મુક્તક’ સંસ્કૃત પરંપરાનો શબ્દ છે. ચાર પંક્તિનું આ ‘મુક્તક’ કત્આના નિયમો જાળવતું હોવાથી એને ‘કત્આ’ કહીને રજૂ કરી શકાય. ચાર પંક્તિના ‘કત્આ’માં બીજી અને ચોથી પંક્તિમાં રદીફ-કાફિયા અનિવાર્ય ગણાય. પહેલી પંક્તિમાં પણ રદીફ-કાફિયા હોય તો શોભા વધે. ‘કત્આ’ ગઝલના છંદોમાં લખાય છે. (અને એ રીતે રુબાઈથી ભિન્ન છે.)<ref name= rm/>
 
== રુબાઈ ==
Line ૨૦૮ ⟶ ૨૦૭:
== ગઝલના બાહ્યસ્વરૂપનું સંક્ષિપ્ત વિવરણ ==
ગઝલનો મૂળભૂત એકમ શેર છે. એક ગઝલ ત્રણ કે તેથી વધુ શેરોની બનેલી જોવા મળે છે. એક ગઝલના શેરો એક જ સરીખા રદીફ, એક જ પ્રકારના કાફિયા અને એક જ છંદથી જોડાયેલા હોય છે. એક શેરની બે પંક્તિઓને બે મિસરા કહે છે. ગઝલના પહેલા શેરને મત્લા કહે છે, જેના બંને મિસરામાં રદીફ-કાફિયાની યોજના જાળવવી પડે છે. મત્લામાં સ્થાપિત કરેલ રદીફ-કાફિયાની યોજના ત્યાર બાદ આખી ગઝલમાં નિભાવવી પડે છે. મત્લા એકથી વધુ હોઈ શકે. મત્લા સિવાયના શેરોમાં પ્રથમ મિસરામાં રદીફ હોતા નથી. બીજા મિસરામાં રદીફ-કાફિયાની યોજના જાળવવી પડે છે. દરેક શેરના અંતે કોઈ પરિવર્તન વગર અચૂક આવતાં શબ્દ કે શબ્દસમૂહને રદીફ કહે છે. રદીફ ગમે તેટલો લાંબો કે ટૂંકો હોઈ શકે. ગઝલ રદીફ વિનાની પણ હોઈ શકે. રદીફ કરતાં આગળ આવતા પ્રાસના શબ્દને કાફિયા કહેવામાં આવે છે, કાફિયા તરીકે વપરાતા શબ્દોમાં પાછળનો અમુક શબ્દાંશ એકસરખો હોય છે, જેને કાફિયાનો આધાર કહે છે. આખી ગઝલમાં કાફિયાનો આધાર એકસરખો રહેવો જોઈએ.
ગઝલના અંતિમ શેરમાં કેટલીક વાર શાયર પોતાનું તખલ્લુસ વણી લે છે. આ શેરને ‘મક્તા’નો શેર કહે છે.<ref name= rm/>
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
* {{cite book|title=ગઝલ : રૂપ અને રંગ|author=રઈશ મનીઆર|year=૨૦૧૨|ISBN=9789380468099}}
 
[[શ્રેણી:સાહિત્ય]]
"https://gu.wikipedia.org/wiki/ગઝલ" થી મેળવેલ