કરસનદાસ માણેક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) લેખ સુધાર્યો. હજુ વધુ સંદર્ભ વગેરેની જરૂર. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
નાનું આંતરિક કડીઓ ઉમેરી |
||
લીટી ૧:
'''કરસનદાસ નરસિંહ માણેક''' (ઉપનામ: વૈશંપાયન) ([[નવેમ્બર ૨૮|૨૮ નવેમ્બર]] ૧૯૦૧ - [[જાન્યુઆરી ૧૮|૧૮ જાન્યુઆરી]] ૧૯૭૮) ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર
== જીવન ==
તેમનો જન્મ [[કરાચી]]માં થયો હતો. તેઓ [[જામનગર જિલ્લો|જામનગર જિલ્લા]]ના [[જોડિયા તાલુકો|જોડિયા તાલુકા]]ના [[હડીયાણા (તા. જોડિયા)|હડિયાણા]] ગામના વતની હતા. ૧૯૨૩માં કરાચીની ડી.જે. કોલેજમાં દાખલ થઈ ૧૯૨૭માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૩૯ સુધી હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું અને એ દરમિયાન એક વર્ષ ''ડેઈલી મિરર'' નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું, તેમ જ ૧૯૩૦ અને ૧૯૩૨માં આઝાદીની ચળવળમાં જોડાઈ જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૩૯થી ''જન્મભૂમિ''ના તંત્રી વિભાગમાં સેવાઓ આપી. મુંબઈમાં ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના ''નૂતન ગુજરાત''ના તંત્રી પદે રહ્યા અને ૧૯૫૧થી ''સારથિ'' સાપ્તાહિક અને પછી ''નચિકેતા'' માસિક શરૂ કર્યું.
તેમનું અવસાન [[જાન્યુઆરી ૧૮|૧૮ જાન્યુઆરી]] ૧૯૭૮ના રોજ [[વડોદરા]]માં થયું હતું.▼
▲તેમનું અવસાન ૧૮ જાન્યુઆરી ૧૯૭૮ના રોજ [[વડોદરા]]માં થયું હતું.
== સર્જન ==
તેઓ મુખ્યત્વે કવિ હતા પણ વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સવરૂપોમાં પણ એમણે સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસારી ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી છે. ''વૈશંપાયનની વાણી''ના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે ''જન્મભૂમિ''માં પ્રગટ થતાં હતાં ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં. કરસનદાસ માણેકે અનેક કથાઓ, આઝાદીની યજ્ઞજ્વાળાના વર્ણનો, લઘુનવલો અને ચિંતનાત્મક નિબંધો વગેરે ગુજરાતી સાહિત્યને આપ્યા છે.
== બાહ્ય કડીઓ ==
|