અમદાવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સાફ-સફાઇ.
લીટી ૧૫૮:
ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર [[મહમદ બેગડો|મહમદ બેગડાએ]] અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે.<ref>{{Cite book|author= G Kuppuram|title=India Through the Ages: History, Art, Culture, and Religion|publisher=Sundeep Prakashan|isbn=9788185067087|url= https://books.google.com/?id=AvggAAAAMAAJ&q=ahmedabad+189+bastions+and+over+6,000+battlements.&dq=ahmedabad+189+bastions+and+over+6,000+battlements. |accessdate=૨૬ જુલાઇ ૨૦૦૮|page=૭૩૯|year=૧૯૮૮}}</ref> ઈ.સ. ૧૫૫૩માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો.<ref>''ધ મુઘલ થ્રોન'' by Abraham Eraly pg.47</ref> ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકોનો ફરીથી કબજો થઈ ગયો હતો અને પછી મુગલ રાજા [[અકબર|અકબરે]] અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું. મુગલકાળ દરમ્યાન અમદાવાદ, રાજ્યનું ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાંથી કાપડ [[યુરોપ]] મોકલાતું. મુગલ રાજા શાહજહાંએ પોતાનો ઘણો સમય અમદાવાદમાં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગમાં આવેલો મોતી શાહી મહાલ બનાવડાવ્યો. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલોનું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું.<ref>{{Cite book|last=પ્રકાશ|first=ઓમ|title=Encyclopaedic History of Indian Freedom Movement|publisher=અનમોલ પબ્લીકેશન|year=૨૦૦૩|pages=૨૮૨-૨૮૪|isbn=8126109386|url= http://books.google.com/?id=SZ3lI4LANVcC&pg=PA283&dq=ahmedabad+mughal+rule+ended+maratha |accessdate=૨૬ જુલાઇ ૨૦૦૮}}</ref> મરાઠાકાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂનાના પેશ્વા અને બરોડાના ગાયકવાડના મતભેદનો શિકાર બન્યું.<ref name="GNHistory">{{Cite book|last=Kalia|first=Ravi|title=Gandhinagar: Building National Identity in Postcolonial India|publisher=Univ of South Carolina Press|year=૨૦૦૪|chapter=The Politics of Site|isbn=157003544X|pages=30–59|url= http://books.google.com/?id=RVhNO2MwOCAC&pg=PA39&dq=Gaekwad++mughal+ahmedabad |accessdate=૨૬ જુલાઇ ૨૦૦૮}}</ref>
 
અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલોને કારણે અમદાવાદ 'પૂર્વનું માંચેસ્ટર' પણ કહેવાતું હતું. મે ૧૯૬૦થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. હાલ ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ રહી છે. સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર કહેવામા આવે છે.
 
ઐતિહાસિક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે ૩ ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર મુંબઈ દિલ્હી રેલવે લાઇન અને સાબરમતી નદીની વચ્ચે વસેલ છે. રેલવે લાઇનની પૂર્વે ઔધોગિક વિકાસ થથો છે જયારે નવું શહેર જે નદીની પશ્ચિમ દિશામાં વિકસેલ છે. જુનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તા વાળુ છે. વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે. અમદાવાદ શહેર ઇતિહાસમા એક અન્ય કારણે પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો [[ગાંધી આશ્રમ]].
 
સાબરમતી નદીના કિનારે રીવર ફ્રન્ટ યોજના વિકસાવવામાં આવી છે જેનાથી શહેરની રોનક બદલાઇ છે. હાલમાં ૧૦.૪ કિમી ચાલવા માટેનો રસ્તો જાહેર ઉપયોગ માટે ખુલ્લો મુકવામા આવ્યો છે. આ ઉપંરાત મનોરંજન માટે સ્પીડ બોટ અને મોટર બોટ સવારી પણ નહેરુ બ્રિજ અને ગાંધી પુલ વચ્ચે કામ કરી રહી છે. ૨૦૦૯માં અમદાવાદ શહેરમાં [[અમદાવાદ બીઆરટીએસ|બી.આર.ટી.એસ.]] સુવિધા શરૂ થઇ છે જેને લીધે શહેરમાં માર્ગપરિવહનનું એક તદ્દન નવું માળખું અસ્તિત્વમાં આવ્યું છે અને અમદાવાદના પશ્ચિમના વિસ્તારોને સળંગ બસ સેવા દ્વારા પૂર્વના વિસ્તારો સાથે સાંકળી લેવામાં આવ્યું છે, જેના કારણે અમદાવાદની બંને દિશાના નાગરિકોનું અંતર ઘટી ગયું છે.<ref>{{cite web |url= http://articles.timesofindia.indiatimes.com/2009-12-27/ahmedabad/28075270_1_brts-buses-ajl-chandranagar|title= BRTS bridges city's east-west divide|author= કુમાર મનિષ|date= ૨૭ ડિસેમ્બર ૨૦૦૯|work= સમાચાર|publisher=ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા |accessdate=૨૫ મે ૨૦૧૩}}</ref>
 
==ભૂગોળ==
લીટી ૧૭૭:
== મહત્વ ==
* [[સરદાર પટેલ|સરદાર પટેલે]] અમદાવાદથી રાજકીય ક્ષેત્રમાં જંપલાવ્યું હતું.
* [[મહાત્મા ગાંધી]]એ સાબરમતી નદીના પશ્ચિમ તીરે (કોચરબ) આશ્રમની સ્થાપના કરી જે આજે [[કસ્તુરબા]] આશ્રમ તરીકે ઓળખાય છે અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે [[ગાંધી આશ્રમ]] તરીકે ઓળખાય છે. અંગ્રજોના શાસન કાળ દરમિયાન ગાંધીજીના લીધે અમદાવાદ [[ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ]]નું મુખ્ય મથક બની રહ્યું.
* [[ગુજરાત વિદ્યાપીઠ]]ની સ્થાપના ગાંધીજીએ ૧૯૨૦ માં અમદાવાદ માં કરી.
* [[વિક્રમ સારાભાઈ|ડો. વિક્રમ સારાભાઈ]] નો ઉછેર અમદાવાદમાં થયો અને સારાભાઈ ઉદ્યોગ અમદાવાદમાં વિકસ્યો. તેમના સહયોગથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર(ઈસરો), ટેક્ષટાઇલ સંશોધન કેન્દ્ર (અટીરા) અને [[ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા]] (પી.આર.એલ.) અમદાવાદમાં સ્થપાયા.