કરમલા (ઓલપાડ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું દજોડણી:દેસાઇ->દેસાઈ
લીટી ૨૭:
}}
 
'''કરમલા (ઓલપાડ)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા [[સુરત જિલ્લો|સુરત જિલ્લા]]માં આવેલા [[ઓલપાડ તાલુકો|ઓલપાડ તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. કરમલા ગામમાં મુખ્યત્વે હળપતિઓ, કોળી પટેલો, માહ્યાવંશીઓ, દેસાઈ તેમજ પાટીદાર લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે [[ખેતી]], [[ખેતમજૂરી]] અને [[પશુપાલન]] છે. આ ગામમાં [[ડાંગર]], [[શેરડી]] તેમ જ [[શાકભાજી]] જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દુધની ડેરી તથા દરેક ઘરે પાણીના નળની સવલતો પ્રાપ્ય છે. ગામલોકોના પ્રયત્નથી અને વિદેશ વસતા ગામજનોની મદદથી ઉર્મિ જળધારા યોજના ઉભી કરવામાં આવી છે, જેના થકી પીવા માટે મિનરલ વોટર ગામલોકોને મળે છે. આ ઉપરાંત ગામમાં સુંદર તળાવ તથા નીલકંઠેશ્વર મહાદેવ તેમજ ભુવનેશ્વરી માતાનું મંદિર આવેલાં છે.
 
 
તાલુકા મથક [[ઓલપાડ]]થી ૮ કિલોમીટર અને જિલ્લા મથક [[સુરત]]થી ૧૫ કિલોમીટર જેટલા અંતરે આવેલું આ ગામ [[સાયણ]] રેલ્વે મથકથી ૯ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. ગામમાં નવો હળપતિવાસ, જુનો હળપતિવાસ, જુનો હરિજનવાસ, નવો હરિજનવાસ, મોટું ફળિયું, ગરાસ ફળિયું, કચ્છી કોલોની, બ્રાહ્મણ ફળિયું જેવા ફળિયાંઓ આવેલાં છે.