વાઘલધરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું જોડણી: દેસાઇ->દેસાઈ
લીટી ૨૭:
}}
 
'''વાઘલધરા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]માં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા [[વલસાડ]] તાલુકાનું મહત્વનું ગામ છે, જે [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]] પર [[ચિખલી]] અને [[વાપી]] વચ્ચે તેમ જ [[ચિખલી]]થી દક્ષિણ દિશા તરફ આશરે ૧૨ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી(હળપતિ અને ધોડિયા) લોકો વસે છે, જ્યારે અન્ય વસ્તીમાં કોળી પટેલ, કણબી પટેલ, દેસાઈ લોકોનો સમાવેશ થાય છે. વાઘલધરા ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]] દુધની ડેરી, [[પંચાયતઘર]] જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે.
 
આ ઉપરાંત અંહી જૈનોના ટ્રસ્ટ દ્વારા કેન્સરના રોગની [[પંચગવ્ય]] આયુર્વેદ આધારીત ચિકિત્સા આપતું સારવાર આપતું કેન્દ્ર ચલાવવામાં આવે છે, જેમાં ૮૦ દર્દીઓને દાખલ કરી શકાય છે તેમ જ બાકીના દર્દીઓને દવા આપી ઘરે સારવાર લેવાનું સમજાવાય છે. આ [[પંચગવ્ય]] (ગાયનાં છાણ, મૂત્ર, દુધ, દહીં અને [[ઘી]]. આ પાંચ વસ્તુઓ વડે અપાતી સારવારને [[પંચગવ્ય ચિકિત્સા]] કહેવાય છે, જે સંપૂર્ણપણે [[આયુર્વેદ]] આધારીત હોય છે.) સારવાર દર્દીને અંહી માત્ર ૧ રૂપિયામાં મળે છે.