પારનેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું અ.રે. સુધારણા.
નાનું સાફ-સફાઇ.
લીટી ૩૦:
'''પારનેરા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]માં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા [[વલસાડ તાલુકો|વલસાડ તાલુકા]]નું મહત્વનું ગામ છે. પારનેરા ગામમાં [[પ્રાથમિક શાળા]], દુધની ડેરી, [[પંચાયતઘર]] જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. પારનેરા ગામ વલસાડ શહેરની બિલકુલ નજીકમાં (આશરે ૪ કિલોમીટર) આવેલું છે.
 
પારનેરા ખાતે આવેલા ડુંગર કે જેને [[પારનેરા ડુંગર|પારનેરાનો ડુંગર]] તરીકે ઓળખવામાં આવે છે, તેના પર પુરાણા ગાયકવાડી જમાનાનો કિલ્લો આવેલો છે. આ કિલ્લા ઉપરથી [[વલસાડ]] શહેર, [[અતુલ (તા. વલસાડ)|અતુલ]] ગામ, અતુલ રાસાયણિક સંકુલ, [[પાર નદી]], [[પારડી| કિલ્લા પારડી]], [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]], અમદાવાદથી મુંબઇ જતો રેલમાર્ગ વગેરેનું હવાઇ નિરિક્ષણ કરવાનો અનેરો લ્હાવો સાંપડે છે.
 
સ્થાનિક લોકોમાં જાણિતી કિવદંતી મુજબ પારનેરા ડુંગર પરથી છત્રપતિ શિવાજીએ[[શિવાજી]]<nowiki/>એ પોતાના ઘોડાને દોડાવીને છલાંગ મરાવીને નજીકમાં આવેલ પાર નદીને પાર કરેલ<ref>{{Cite web|url=http://valsaddp.gujarat.gov.in/valsad/jilavishe/jovalayak-sthal-1.htm|title=વલસાડ જીલ્લા પંચાયત {{!}} જિલ્લા વિષે {{!}} જોવાલાયક સ્થળો {{!}} પારનેરા ડુંગર|last=|first=|date=|website=valsaddp.gujarat.gov.in|publisher=|language=gu|accessdate=૧૩ ફેબ્રુઆરી ૨૦૧૮}}</ref>. પારનેરા ડુંગર પર ચઢવા માટે બે માર્ગ છે. એક સીધેસીધાં પારનેરા ગામથી ડુંગર પર પગથિયા ચઢીને જવાય અથવા પાછળના રસ્તે અતુલ કંપની તરફથી મોટર માર્ગે અડધે સુધી ચડી ત્યાર બાદ ચઢીને જવાય. ચોમાસામાં આ ડુંગર વાદળ સાથે વાતો કરતો જણાય છે. ચોમાસામાં આ ડુંગર પર સાપુતારાને ભુલાવી દે તેવું રમણીયવાદળોથી વાતાવરણઆચ્છાદિત જોવાથઇ મળેજાય છે.
 
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં [[મુંબઇ]] તેમ જ ઉત્તર દિશામાં [[સુરત]] ખાતે આવેલું છે.