[[File:JohnLocke.png|thumb|right|જૉન લૉક (૧૬૩૨–૧૭૦૪), અનુભવાદના મુખ્ય પુરસ્કર્તા]]
'''અનુભવવાદ''' (({{lang-en|Empiricism}}) એ પાશ્ચાત્ય તત્વચિંતનમાં રજૂ થયેલો જ્ઞાનમીમાંસા (epistemology) નો એક સિદ્ધાંત છે. તેનું મુખ્ય પ્રતિપાદન એ છે કે જ્ઞાનપ્રાપ્તિનાં સાધનોમાં બુદ્ધિનો નહિ, પણ ઈન્દ્રિયાનુભવનો ફાળો મુખ્ય છે. આમ જ્ઞાનમીમાંસાના સિદ્ધાંત તરીકે અનુભવવાદ એ [[બુદ્ધિવાદ]] (rationalism) નો વિરોધી સિદ્ધાંત છે. અનુભવાદનાં મૂળ પ્રાચીન અને મધ્યયુગીન ગ્રીક તત્વચિંતનમાં રહેલા છે. તેને વ્યવસ્થિત રીતે રજૂ કરીને વિકસાવવાનુ કાર્ય સત્તરમી અને અઢારમી સદી દરમ્યાન જૉન લૉક, જ્યૉર્જ બર્કલી અને ડેવિડ હ્યૂમ એમ ત્રણ તત્વચિંતકોએ અસરકારક રીતે કર્યું હતું.