અનુભવવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ખાલી જગ્યા પૂરો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
કોપી એડીટ
 
લીટી ૧:
[[File:JohnLocke.png|thumb|right|જૉન લૉક (૧૬૩૨–૧૭૦૪), અનુભવાદના મુખ્ય પુરસ્કર્તા]]
'''અનુભવવાદ''' ({{lang-en|Empiricism}}) એ પાશ્ચાત્ય તત્વચિંતનમાં રજૂ થયેલો જ્ઞાનમીમાંસાનો (epistemologyનો) એક સિદ્ધાંત છે. એની મુખ્ય દલીલ એ છે કે ઈન્દ્રિયાનુભવથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, નહિ કે બુદ્ધિથી. દેખીતી રીતે જ આ અભિગમ [[બુદ્ધિવાદ]]નો વિરોધી છે. પશ્ચિમમાં અનુભવવાદનાં મૂળ પ્રાચીન અને મધ્યયુગીન ગ્રીક તત્વચિંતનમાં મળી આવે છે. જો કે, એ વિચારણાને વ્યવસ્થિત રીતે રજૂ કરીને વિકસાવવાનુ કાર્ય તો સત્તરમી અને અઢારમી સદી દરમ્યાન જૉન લૉક, જ્યૉર્જ બર્કલી અને ડેવિડ હ્યૂમ નામના ત્રણ તત્વચિંતકોએ કરેલું.
 
==વ્યુત્પત્તિ==
લીટી ૯:
 
; જૉન લૉક:
બ્રીટીશ તત્વચિંતક જૉન લૉકે એમના જાણીતા ગ્રંથ ''Essay Concerning Human Understanding''માં જ્ઞાનના ઉદભવસ્થાન, એની નિશ્ચિતતા અને એની મર્યાદા અંગેની મીમાંસા રજૂ કરી છે. આ પુસ્તકમાં [[બુદ્ધિવાદ|બુદ્ધિવાદી]]ઓને માન્ય એવા જન્મજાત વિચારોના સિદ્ધાંતનું ખંડન કરીને લૉકે એવી દલીલ કરી છે કે જન્મ સમયે માણસનું મન તદ્દન કોરા કાગળ જેવું હોય છે. અનુભવમાણસના પરમનમાં જે કોરાકોઈ કાગળવિચારો પરઆવે 'જ્ઞાન'છે લખતોતેનું મૂળ અનુભવ અને કેવળ અનુભવ હોય છે. અંતર્નિરીક્ષણ અને બાહ્ય નિરીક્ષણ દ્વારા માણસના મનમાં જે વિચારો પ્રથમ આવે છે તેને લૉકે સરળ વિચારો કહ્યાં. માનવમન નિષ્ક્રિય રીતે સરળ વિચારો ગ્રહણ કરે છે અને તે પછી સક્રિય થઈને સરળ વિચારોમાંથી જટિલ વિચારોની રચના કરે છે.<ref name=bakshiAndYagnik/>
 
; ડેવિડ હ્યૂમ:
[[File:David Hume.jpg|thumb|right|ડેવિડ હ્યૂમે અનુભવવાદને તત્વજ્ઞાનની અન્ય શાખાઓ સાથે જોડેલો.]]
ચુસ્ત અનુભવવાદી તરીકે જાણીતા ડેવિડ હ્યૂમે એવી દલીલ કરેલી કે આપણા મનમાં જે કંઈ જ્ઞાનસામગ્રી છે તેનું ઉદભવસ્થાન ઈન્દ્રિયસંવેદનો જ છે. હ્યૂમના મતે આપણી જ્ઞાનસામગ્રી બે ઘટકોની બનેલી હોય છે: ઈન્દ્રિયસંવેદનો અને વિચારો. આમાં ઈન્દ્રિયસંવેદનો પાયામાં પડેલાંમૂળભૂત છે જ્યારે વિચારો ઈન્દ્રિયસંવેદનોના પરિણામે વિકસતા હોય છે. હ્યૂમના મતે કોઈ પણ તત્વ વાસ્તવિક રીતે અસ્તિત્વ ધરાવે છે કે નહિ એનો નિર્ણય કરવાની તાત્વિક પદ્ધતિ એ તત્વને લગતા કોઈ ઈન્દ્રિયાનુભવની તપાસ કરવાની છે. જો આવી તપાસ કરતાં કોઈ ઈન્દ્રિયાનુભવ મળી ન આવે તો એ તત્વનું અસ્તિત્વ સ્વીકારી શકાય નહિ. આ પદ્ધતિ પ્રયોજીને હ્યૂમે આત્મા અને ઈશ્વરના અસ્તિત્વનો પણ ઈન્કાર કર્યો હતો. કેમ કે એ બન્નેનો ઇન્દ્રિયો દ્વારા અનુભવ થાય નહિ. <ref name=bakshiAndYagnik/>
 
== સંદર્ભ ==