હસ્તિનાપુર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Gazal world (ચર્ચા | યોગદાન) કોમન્સ |
Gazal world (ચર્ચા | યોગદાન) વિસ્તાર |
||
લીટી ૧:
'''હસ્તિનાપુર''' (સંસ્કૃતઃ हस्तिनापुरम्) [[ઉત્તર પ્રદેશ]]ના મેરુત જિલ્લામાં આવેલું અતિ પ્રાચિન અને ઐતિહાસીક નગર છે. હસ્તિનાપુર કુરુકુળની રાજધાની હોવાથી [[મહાભારત]]માં તેનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે. મહાભારત અનુસાર રાજા દુષ્યંતના પુત્ર [[ભરત]]ના પ્રપૌત્ર રાજા હસ્તિએ [[ગંગા નદી]]ને કિનારે આ નગર વસાવ્યું હતું. આ નગર કૌરવો અને પાંડવોની રાજધાની હતી. [[દિલ્હી]]ની ઉત્તર-પૂર્વે (ઈશાન ખૂણે) આશરે ૯૧ કિમી. ના અંતરે આ નગરના અવશેષો મળી આવેલ છે. આ અવશેષો ગંગા નદીના પ્રવાહમાં ધોવાઈ ગયા છે.<ref name=vVyasAndShukla>{{cite book |first1=હસમુખ |last1=વ્યાસ |first2=જયકુમાર ર. |last2=શુક્લ |title=ગુજરાતી વિશ્વકોષ |volume=ખંડ ૨૫ |year=૨૦૦૯ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ]] |location=અમદાવાદ |pages=૬૬૯-૧૭૦}}</ref>
==ઉત્ખનન==
ઈ. સ. ૧૯૫૦ થી ૧૯૫૩ દરમિયાન પુરાતત્વવિદ બી. બી. લાલ દ્વારા કરાયેલ ઉત્ખનન દરમિયાન અહીંથી પાંચ સંસ્કૃતિકાળની ભાળ મળી છે તથા પ્રત્યેક કાળના વાસણોની અહીંથી અવશેષ મળ્યા છે. આમાંના સૌથી પ્રાચિન કાળનાં વાસણો ચિત્રિત ગેરુવા રંગના વિશિષ્ટ ભાતવાળા છે તથા બીજા કાળનાં વાસણો સલેટી રંગનાં અને તેના ઉપર ભૂરા કે કાળા રંગનાં ચિત્રણવાળાં વાસણો છે. અહીં તાંબાનો ઉપયોગ થતો હોવાના પણ પૂરાવા મળ્યા છે. ત્રીજા કાળનાં કાળા ઓપવાળાં વાસણો, માટીની પાકી ઈંટો, સીક્કા વગેરે મળ્યા છે. ચોથા તબક્કામાં મધ્યકાલીન અવશેષો મળ્યા છે. બી. બી. લાલ આ ચારેય કાળમાંના દ્રિતીય કાળને મહાભારતકાળ માને છે.<ref name=vVyasAndShukla/>
==સંદર્ભો==
Line ૭ ⟶ ૯:
{{મહાભારત}}
[[શ્રેણી:મહાભારત]]
|