રસાયણ શાસ્ત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું added Category:રસાયણવિજ્ઞાન using HotCat |
Gazal world (ચર્ચા | યોગદાન) વિસ્તાર + કામ ચાલુ છે |
||
લીટી ૧:
{{કામ ચાલુ}}
[[File:Chemicals in flasks.jpg|thumb|right|રસાયણો - એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને નાઇટ્રિક એસિડ, જે વિવિધ રંગો દર્શાવે છે.]]
'''રસાયણ શાસ્ત્ર''' (ગ્રીક: ''χημεία'') એ [[વિજ્ઞાન]]ની એક શાખા છે કે જેમાં [[તત્વ|તત્વો]] અને સંયોજનોના ગુણધર્મો, તેમનું સંઘટન અને તેમની સંરચના તથા તેમનાં રૂપાંતરોનો અભ્યાસ કરવામાં આવે છે. પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય તે દરમિયાન શોષાતી અથવા મુક્ત થતી ઊર્જાના અભ્યાસનો પણ તેમાં સમાવેશ થાય છે. રસાયણ શાસ્ત્ર અનેક શાખાઓમાં વિસ્તરેલું છે, જેમાંની મુખ્ય શાખાઓ છે: કાર્બનિક રસાયણ, અકાર્બનિક રસાયણ, ભૌતિક રસાયણ, વૈશ્લેષિક રસાયણ, રેડિયો રસાયણ, જૈવરસાયણ, ભૂરસાયણ, ક્વૉન્ટમ રસાયણ, નાભિકીય રસાયણ અને રાસાયણિક સ્પેક્ટ્રમિકી.<ref name=trivedi>{{cite book |first=જ. પો. |last=ત્રિવેદી |title=ગુજરાતી વિશ્વકોષ |volume=ખંડ ૧૭ |year=એપ્રીલ ૨૦૦૩ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ]] |location=અમદાવાદ |pages=૩૬૫-૩૬૭}}</ref>
રસાયણ શાસ્ત્રનો વિકાસ મધ્યયુગમાં કીમિયાગીરીમાંથી થયો એમ કહેવામાં આવે છે, પણ તેનો સાચો વિકાસ ફ્રેન્ચ રસાયણવિદ એ. એમ. લેવોઇઝિયરે દહનની પ્રક્રિયાનું સાચું અર્થઘટન કર્યું ત્યારપછી થયો.
==શાખાઓ==
રસાયણ શાસ્ત્રની અનેક શાખાઓ અસ્તિત્વમાં આવેલ છે:<ref name=trivedi/>
*કાર્બનિક રસાયણ: આ શાખામાં [[કાર્બન]] નામના તત્વનાં સંયોજનોનો અભ્યાસ કરવામાં આવે છે.
*અકાર્બનિક રસાયણ: આ શાખામાં સમગ્ર તત્વો અને તેમનાં સંયોજનોની રાસાયણિક પ્રકૃતિનો અભ્યાસ કરવામાં આવે છે.
*ભૌતિક રસાયણ: રાસાયણિક પ્રણાલિઓ અને ફેરફારો માટે ભૌતિક નિયમોના ઉપયોગનો આમાં સમાવેશ થાય છે. રસાયણ શાસ્ત્રની સઘળી શાખાઓમાં આ શાખા ઉપયોગી છે. રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર, વિદ્યુત-રસાયણ, કૉલોઇડ રસાયણ વગેરે તેના પેટાવિભાગો છે.
*વૈશ્લેષિક રસાયણ: સંકીર્ણ પદાર્થોનું સાદા પદાર્થોમાં અલગન અને તેમાંના ઘટકોની પરખ અને માપન - વગેરેનો આ શાખામાં સમાવેશ થાય છે.
*રેડિયો-રસાયણ: વિકિરણધર્મી સમસ્થાનિકોની વર્તણૂક તથા ઉચ્ચ ઊર્જાવાળાં વિકિરણ દ્વારા ઉદભવતી રાસાયણિક અસરોનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે.
*જૈવરસાયણ: આ જીવંત પ્રાણીઓ અને જીવન-પ્રક્રમોને લગતું રસાયણ શાસ્ત્ર છે.
*ભૂરસાયણ: ખનિજોનું ઉદભવન, ખડકોનું રૂપાંતરણ જેવી પૃથ્વીમાં બનતી પ્રવિધિઓનો અભ્યાસ આ શાખામાં થાય છે.
==વધુ વાચન==
* {{cite book |editor-last=દેસાઈ |editor-first= મહેન્દ્ર નાનુભાઈ |title=રસાયણવિજ્ઞાન (વિજ્ઞાન અને યંત્રવિદ્યા કોશ) |year=૧૯૮૦ |location=[[અમદાવાદ]] |publisher=[[ગુજરાત યુનિવર્સિટી]]}}
== આ પણ જુઓ ==
Line ૧૪ ⟶ ૨૩:
* [[જીવ શાસ્ત્ર]]
==સંદર્ભો==
{{reflist}}
{{Wikisource|en:Portal:Chemistry}}
{{Wikibooks|Subject:Chemistry}}
[[શ્રેણી:વિજ્ઞાન]]
|