પ્લેટો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Gazal world (ચર્ચા | યોગદાન) છબી |
Gazal world (ચર્ચા | યોગદાન) વિસ્તાર |
||
લીટી ૩:
| onlysourced = no
}}
==જીવન==
[[File:Sanzio 01 Plato Aristotle.jpg|thumb|[[રફાયેલ|રફાયેલે]] દોરેલ ચિત્ર ''ધ સ્કૂલ ઑફ ઍથેન્સ''માં ર્દષ્ટિમાન પ્લેટો (ડાબે) અને તેમના શિષ્ય એરિસ્ટોટલ (જમણે)]]
પ્લેટોનો જન્મ એટિકાના દરિયાકિનારે આવેલા એજિના નામના ટાપુમાં ઈ. સ. પૂર્વે ૪૨૮ અથવા ૪૨૭માં [[ગ્રીસ]]માં થયો હતો. તેમના પિતાનું નામ એરિસ્ટોન અને માતામું નામ પૅરિક્ટીઓન હતુ, તથા તે બંને એથેન્સવાસી હતા. પ્લેટોને બે મોટાભાઈ અને એક મોટા બહેન હતાં. પ્લેટોની બે-ત્રણ વર્ષની ઉંમરે તેમના પિતા એરિસ્ટોનનું અવસાન થતાં, માતા પૅરિક્ટીઓને પાયરીલેમ્પ્સ નામના રાજપુરુષ સાથે પુરર્લગ્ન કર્યું હતું. પ્લેટોના પૂર્વજોએ એથેન્સના રાજકારણમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. પ્લેટોનું મૂળ નામ તેમના દાદા એરિસ્ટોક્લીઝના નામ પરથી રાખવામાં આવ્યું હતું, પરંતુ પ્લેટો નામ તેમના દેખાવ પરથી પાડવામાં આવ્યું હતું. વિશાળ છાતી, ખભા અને વિશાળ લલાટ હોવાને લીધે પ્લેટો (Plato = વિશાળ) એવા નામે તેમને બોલાવવામાં આવતા હતા. તેથી આ જ હુલામણું નામ આખરે કાયમી બની ગયું.<ref name=Patel2017>{{cite book |last=પટેલ |first=નરસિંહભાઈ બી. |title=પ્લેટોનું રિપબ્લિક |year=૨૦૧૭ |edition=ચોથી |publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય |location=અમદાવાદ |pages=૨-૧૦ |isbn=978-93-85344-97-8}}</ref>
==મૃત્યુ==
લીટી ૧૭:
પ્લેટોના તત્ત્વજ્ઞાનને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી શકાય: વિચારશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર. વિચારશાસ્ત્રમાં જગતના અંતિમ તત્ત્વના સ્વરૂપ સંબંધી ચર્ચા જ્ઞાનમીમાંસાની ર્દષ્ટિએ કરવામાં આવી છે, જ્યારે ભૌતિકશાસ્ત્રમાં ભૌતિક જગતનાં સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે. આત્માનું સ્થળમાં સ્થાનાંતર થયું હોવાથી રાજ્યના નાગરિકે પોતાનાં કર્તવ્યો કેવી રીતે બજાવવાં તે સંબંધી નૈતિક પ્રશ્નોની ચર્ચા નીતિશાસ્ત્રમાં કરવામાં આવી છે. પ્લેટોનું સમગ્ર ચિંતન ઈશ્વર અને જગત, શરીર અને આત્મા, તેમજ મન અને ભૌતિક તત્ત્વ વચ્ચેના દ્રૈતવાદ ઉપર આધારિત છે.<ref name=Patel2017/>
પ્લેટોએ લખેલા વિચારો 'ડાયલોગ્સ' (સંવાદો) નામે ઓળખાય છે. આ ડાયલોગ્સ લોકભોગ્ય ભાષામાં લખાયેલા છે. પ્લેટોના લખેલા બધાં જ ડાયલોગ્સમાંથી ''રિપબ્લિક'' ને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. રિપબ્લિકમાં પ્લેટોએ ધર્મ, આચાર, નીતિ, શિક્ષણ, રાજકારણ, અધ્યાત્મશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજ્ય, રાજ્યનાં સ્વરૂપો અને લક્ષણો, સરમુખત્યારી, ટોળાશાહી, સાચી લોકશાહી, સામ્યવાદ, આધુનિકતા ઈત્યાદિ અનેક વિષયો પરનાં પોતાના મંતવ્યો રજૂ કર્યા છે.<ref name=shukla1969>{{cite book |last=શુક્લ |first=ચન્દ્રવદન |title=તત્ત્વજ્ઞાન અને તત્ત્વજ્ઞાનીઓ |year=૧૯૬૯ | publisher=વિભૂતી પ્રકાશન |location=મુંબઈ |page=૧૫૦}}</ref>
==વધુ વાચન==
|