પાણીપતની ત્રીજી લડાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઉમદા લેખ
No edit summary
લીટી ૨૯:
|casualties2=અંદાજે ૪૦,૦૦૦-૫૦,૦૦૦ સૈનિકો મૃત.<ref>Rao, V. Raghavendra. "PANIPAT AND THE NIZAM." Proceedings of the Indian History Congress 13 (1950): 206-08. http://www.jstor.org/stable/44140915./</ref> વધુ ૪૦,૦૦૦-૭૦,૦૦૦ સામાન્ય નાગરિકોનો લડાઈ બાદ નરસંહાર<ref name="jgd">James Grant Duff "History of the Mahrattas, Vol II (Ch. 5), Printed for Longman, Rees, Orme, Brown, and Green, 1826"</ref><ref name="tss">T. S. Shejwalkar, "Panipat 1761" (in Marathi and English) Deccan College Monograph Series. I., Pune (1946)</ref>
}}
'''પાણીપતની ત્રીજી લડાઈ''' [[દિલ્હી]]થી આશરે ૧૦૦ કિમી ઉત્તરે પાણીપત ખાતે [[જાન્યુઆરી ૧૪|૧૪ જાન્યુઆરી]] ૧૭૬૧ના રોજ ખાસ અભિયાન પર રહેલા [[મરાઠા સામ્રાજ્ય]]નાં સૈન્ય અને હુમલાખોર અફઘાન દુર્રાની સામ્રાજ્યનાં સૈન્ય વચ્ચે લડવામાં આવી હતી. અફઘાન સેનાને સ્થાનિક મિત્ર રાજ્યો [[ગંગા]]-[[યમુના]] પ્રદેશના અફઘાન રોહિલ્લા નજીબ-ઉદ્-દૌલા અને અવધના નવાબની મદદ હતી. સૈન્ય દૃષ્ટિએ જોતાં લડાઈ [[મરાઠી લોકો|મરાઠા]] અશ્વદળ અને તોપખાનાં તથા અફઘાન મૂળના અબ્દાલી અને નજીબ-ઉદ્-દૌલાના નેતૃત્વ હેઠળની અફઘાન અને રોહિલ્લા ભારે અશ્વદળ અને તોપખાનાં (ઝંબુરાક અને જેઝૈલ) વચ્ચે હતી. આ લડાઈને ૧૮મી સદીની સૌથી મોટી અને નોંધપાત્ર લડાઈ માનવામાં આવે છે<ref>{{cite book|title=Warfare In The Eighteenth Century|last=Black|first=Jeremy|publisher=Cassell|year=૨૦૦૨|isbn=0304362123}}</ref> અને કદાચિત તે બે સૈન્ય વચ્ચે પરંપરાગત રીતે લડાતી લડાઈમાં એક દિવસમાં નોંધાયેલ સૌથી વધુ ખુવારીનો વિક્રમ પણ ધરાવે છે.
 
ઈતિહાસકારોમાં લડાઈના સચોટ સ્થળ વિશે મતભેદ પ્રવર્તે છે પણ મોટાભાગના નિષ્ણાતોના મતે લડાઈ સાંપ્રત કાલા અંબ અને સનૌલી માર્ગ નજીકના કોઈ સ્થળે લડવામાં આવી હતી. લડાઈ ઘણા દિવસ ચાલી અને તેમાં આશરે ૧,૨૫,૦૦૦ સૈનિકોએ ભાગ લીધો હતો. બંને પક્ષોએ નુક્શાન અને ફાયદાઓ સાથે સંખ્યાબંધ અથડામણો થઈ હતી. મરાઠા સૈન્યની ઘણી પાંખોનો નાશ કરી અને અહમદ શાહ દુર્રાનીનું સૈન્ય વિજયી રહ્યું હતું. ઈતિહાસકારોમાં બંને પક્ષે થયેલ ખુવારી બાબતે પણ મતભેદ પ્રવર્તે છે અને લડાઈ દરમિયાન કુલ મૃતકોની સંખ્યા ૬૦,૦૦૦-૭૦,૦૦૦ માનવામાં આવે છે જ્યારે ઘાયલો અને કેદ પકડાયેલાની સંખ્યા બાબતે મતભેદ છે. શુજા-ઉદ્-દૌલાના દિવાન કાશી રાજે તેમના પ્રથમદર્શી અનુભવની નોંધ કરતા બાખરને માન્ય ગણવામાં આવે છે અને તે અનુસાર લડાઈના બીજા દિવસે ૪૦,૦૦૦ મરાઠા બંદીઓનો ઠંડા કલેજે નરસંહાર કરવામાં આવ્યો હતો. ગ્રાન્ટ ડફે આ નરસંહારોમાં જીવિત બચેલા વ્યક્તિનો સાક્ષાત્કાર તેમના પુસ્તક ''હિસ્ટરી ઑફ મરાઠા''માં સામેલ કર્યો છે અને તે આ અંદાજને સમર્થન આપે છે. શેજવાલકરના લઘુ પુસ્તક ''પાણીપત ૧૭૬૧'' સૌથી વિશ્વાસપાત્ર ગૌણ સ્રોત માનવામાં આવે છે અને તેમની નોંધ અનુસાર "લડાઈમાં અને ત્યારબાદ ૭૦,૦૦૦ મરાઠા (સૈનિકો અને અન્ય) કરતાં ઓછા નહિ મર્યા હોય"
લીટી ૩૮:
 
=== મુઘલ સામ્રાજ્યનું પતન ===
૨૭ વર્ષીય [[મુઘલ-મરાઠા યુદ્ધ]] (૧૬૮૦-૧૭૦૭)ના પરિણામે [[મુઘલ સામ્રાજ્ય]]ની શક્તિનો ક્ષય થયો હતો અને તેને કારણે મરાઠા સામ્રાજ્યના વિસ્તારમાં વીજવેગે વધારો થયો. પેશવા બાજી રાવના શાસનમાં [[ગુજરાત]], માળવા અને [[રાજસ્થાન|રાજપૂતાના]] મરાઠા સત્તા હેઠળ આવ્યાં. આખરે ૧૭૩૭માં બાજી રાવે મુઘલોને [[દિલ્હી]] પાસે હરાવ્યા અને દિલ્હીની દક્ષિણે રહેલ તમામ મુઘલ વિસ્તારોને મરાઠા સત્તા હેઠળ લાવ્યા. બાજી રાવના પુત્ર [[બાળાજી બાજીરાવ|બાલાજી બાજી રાવ]]એરાવએ મરાઠા પ્રભુત્વ વાળા વિસ્તારમાં ૧૭૫૮માં [[પંજાબ]] પર હુમલો કરી વધારો કર્યો.
 
૪ મે ૧૭૫૮ના રોજ પેશવાને સંબોધિત રઘુનાથરાવનો પત્ર:<ref name="Kaushik Roy">{{cite book |first=Kaushik |last=Roy |title=India's Historic Battles: From Alexander the Great to Kargil |page=૮૦-૮૧ |isbn=978-8178241098}}</ref>
લીટી ૧૬૭:
લડાઈને કારણે મરાઠાઓનું વિસ્તરણ વિલંબમાં પડ્યું અને સામ્રાજ્યમાં આંતરિક ઝઘડાઓની શરુઆત થઈ. તેઓ આગામી પેશવા માધવરાવ પ્રથમના શાસનકાળમાં ફરી આગળ આવ્યા અને ૧૭૭૧ સુધીમાં ફરી ઉત્તર તેમના કબ્જામાં હતું અને દિલ્હી પણ તેમના વર્ચસ્વ હેઠળ હતું. પરંતુ, માધવરાવના મૃત્યુ બાદ આંતરિક ઝઘડાઓ અને અંગ્રેજોના વધતા દબાણને કારણે ૧૮૧૮માં [[ત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધ|ત્રીજા આંગ્લ-મરાઠા યુદ્ધ]] સાથે તેમના સમગ્ર ભારત પરના દાવાનો અંત આવી ગયો.
 
તે દરમિયાન શીખો જેમના બળવાના કારણે અહમદ શાહે હુમલો કર્યો હતો તેઓ લડાઈની અસરથી સંપૂર્ણ રીતે બચી રહ્યા. તેમણે લાહોર પર તુરંત પુનઃકબ્જો કર્યો. જ્યારે ૧૭૬૪માં અહમદ શાહ પરત ફર્યા ત્યારે તેમણે અફઘાનિસ્તાનમાં થયેલ બળવાને કારણે માત્ર બે અઠવાડિયામાં જ ઘેરો તોડી અને પરત જવું પડ્યું. તેઓએ ૧૭૬૭માં ફરી કોશિષ કરી પણ કોઈ નિર્ણાયક જીત તેમને મળી નહિ. તેમના પોતાના સૈનિકોમાં પગાર બાબતના અસંતોષને કારણે સમગ્ર પ્રદેશ તેઓ [[શીખ સામ્રાજ્ય]] પાસે હારી ગયા જેમણે આ વિસ્તાર પર ૧૮૪૯ સુધી કબ્જો જાળવી રાખ્યો. અંતે, તે અંગ્રેજ સામ્રાજ્યએ પોતાના કબ્જામાં લીધો.
 
લડાઈનો સંદર્ભ રુડયાર્ડ કિપ્લિંગની કવિતા ''વિથ સિંધિયા ટુ દિલ્હી''માં આવે છે.