મહેસૂલી તલાટી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 1.39.84.125 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા... |
કામગીરી વિગતો ઉમેરી |
||
લીટી ૧:
'''મહેસૂલી તલાટી''' કે '''રેવન્યુ તલાટી''' એ ગુજરાત સરકારનાં ગ્રામીણ ભાગોમાં વહિવટી સ્થાન છે. [[આંધ્ર પ્રદેશ]], [[કર્ણાટક]], [[બંગાળ]], ઉત્તર ભારત અને [[પાકિસ્તાન]]માં આ ઓફિસ અને કર્મચારીએ પટવારી કહેવાય છે. [[તમિલનાડુ]]માં આ કર્મચારીને કર્ણમ તરીકે ઓળખવામાં આવે છે. આ કર્મચારી પહેલા [[તલાટી-કમ-મંત્રી]] તરીકે જાણીતા હતા, પરંતુ ૨૦૧૧ એપ્રિલ<ref name="દિવ્યભાસ્કર ૧">[http://epaper.divyabhaskar.co.in/Details.aspx?id=23154&boxid=41133328171 નવા રેવન્યુ તલાટીઓની નિમણુંક].</ref>, ગુજરાત સરકારે નવી કેડર '''રેવન્યુ તલાટી''' નામે બનાવી છે. મહેસૂલી તલાટી અને [[પંચાયત મંત્રી|ગ્રામ પંચાયત મંત્રી]] હવે બંને અલગ અલગ સ્થાન છે. તલાટી-કમ-મંત્રી હવે પંચાયત મંત્રી તરીકે ઓળખાશે. પંચાયત મંત્રી પંચાયત હેઠળ છે અને મહેસૂલ તલાટી મહેસૂલ વિભાગ હેઠળ છે. રેવન્યુ તલાટી [[તાલુકા મામલતદાર|મામલતદાર]] કચેરીના કર્મચારી છે, જેની નિમણુંક [[જિલ્લા કલેક્ટર|કલેક્ટર]] દ્વારા કરવામાં આવે છે. મેહસૂલ વિભાગ, ગુજરાતના નવા જોબ ચાર્ટ મુજબ, હાલ મહેસૂલી તલાટીઓ પાસેથી કારકૂન તરીકેની કામગીરી લેવામાં આવે છે.
==નવી કેડર==
લીટી ૯:
==વિવાદો==
આ નવી રેવન્યુ તલાટીની કેડર ઘણા બધા વિવાદોમાં રહી ચુકી છે. અત્રે ઉલ્લેખ્નીય છે કે સરકારે નવા કર્મચારીઓની ભરતી કરી, જેઓને એકી સાથે દસ-દસ ગામોનો વહિવટ આપી દેવામાં આવ્યો હતો, તેઓ દસ ગામાં પહોંચી શકતા નહતા.<ref name="ન્યુઝહન્ટ ૧">[http://m.newshunt.com/Divya+Bhaskar/Madhya+Gujrat/12305653 મહેસુલી કામગીરીનો વિરોધ, પંચમહાલ]</ref><ref name="દિવ્યભાસ્કર ૬">[http://bollywood0.divyabhaskar.co.in/article/UGUJ-chansma-districe-revenue-talati-confusion-3236967.html?PRVNX= ચાણસ્મા તાલુકામાં રેવન્યૂ તલાટીઓની ભાંજગડ]</ref> આ ઉપરાંત [[પંચાયત મંત્રી]]ઓ દ્વારા પણ [[જંત્રી]]ની બાબતમાં તથા અન્ય કામગીરીમાં વિરોધ દર્શાવ્યો હતો.<ref name="સંદેશ ૧">[http://www.sandesh.com/article.aspx?newsid=26064 પંચાયત મંત્રીઓ દ્વારા જંત્રીનો બહિષ્કાર]</ref><ref name="સંદેશ ૩">[http://epeaper.sandesh.com/printarticle.aspx?newsid=33331&lang=Read%20in%20English નવી જંત્રી જાહેર કરવી મુશ્કેલ]</ref> કેટલાક કાર્યો એવા છે જે હવે રેવન્યુ તથા પંચાયત મંત્રી અલગ થતા કોઇ કરી શકતા નથી, આથી [[અરજદાર]]ને ઘણી મુશ્કેલી ભોગવવી પડે છે. સરકારશ્રીના નવા જોબચાર્ટ અનુસાર મહેસૂલી તલાટીઓએ મહેસૂલી કામગીરી ઉપરાંત તેઓને મહેસૂલી અધિકારીઓ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી પણ કરવાની થાય છે. જેના લીધે મહેસૂલી તલાટીઓને મામલતદાર, પ્રાંત અધિકારી, તથા કલેક્ટર જેવા ઉપરી અધિકારીઓ દ્વારા વિવિધ પ્રકારની કામગીરી અવાર-નવાર આપવામાં આવે છે. જેના હિસાબે તેઓએ ક્ષેત્રિય કામગીરી ઉપરાંત કચેરીની કામગીરી પણ કરે છે.
==કેડર બંધ કરવાની ચર્ચા==
|