બજાણા (તા. દસાડા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું Nasirkhanmalek (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
||
લીટી ૩૪:
== ઇતિહાસ ==
બ્રિટિશ શાસન સમયે આ ગામ જાટ લોકોના હેઠળ હતું. બજાણાના જાટ મૂળભૂત રીતે [[સિંધ]]ના વાંગા બજારમાંથી આવ્યા હતા જ્યાંથી તેઓને સિંધના શાસકે તેમને તેમના ઘરની બે સ્ત્રીઓના લગ્ન રાજશાસકોમાં ન કરાવતા હાંકી કાઢ્યા હતા. લોકવાયકા મુજબ તે સ્ત્રીઓ સાથે જાટ અહીં ભાગી આવ્યા હતા અને સિંધના રાજવીઓએ તેમનો પીછો કર્યો હતો. [[કચ્છ]] રાજ્યના તે સમયના શાસક રાવ રાયઘણે તેમને આશરો આપવાની ના પાડી હતી અને તેમને ગુજરાતમાં ખદેડી દીધા પરંતુ તેમનો સામનો મુનઘરબિયા ગામ પાસે સિંધની સેના સાથે થયો હતો. જાટ લોકોએ સમર્પણ કરવાની જગ્યાએ સ્ત્રીઓની સાથે સામૂહિક આત્મહત્યા કરી હતી અને તેમનાં સ્મારકો કચ્છમાં લખુઢ નજીક જોવા મળે છે.<ref name="bg"/>
ત્યારબાદ તેઓ કચ્છનું રણ ઓળંગીને મોરબી રાજ્યમાં આવ્યા પરંતુ હજુ પણ સિંધની સેના તેમનો પીછો કરતી હતી. તેઓ થાનગઢ નજીક માંડવ ટેકરીઓ જોડે પહોંચવામાં સફળ થયા અને મુળીના પરમારો પાસે ગયા. પરમારોએ તેમની સહાયતા માટે સંમત થયા અને તેઓ સિંધની સેનાના આક્રમણની રાહ જોતાં ટેકરીઓમાં થોડો સમય રહ્યા. પરંતુ પરમારો મદદે આવ્યા નહી અને તેમના રાજવી લઘધીરસિંહજીએ એક જાટ સ્ત્રી સુમરીબાઇને નાસી જવામાં મદદ કરી અને તેના ભાઇ હાલોજીને સિંધીઓને સોંપ્યો. સિંધીઓએ સુમરીબાઇનો [[વાણોદ (તા. દસાડા)|વાણોદ]] સુધી પીછો કર્યો જ્યાં તેણીએ આત્મહત્યા કરી, તેણીની કબર હજુ ત્યાં આવેલી છે.<ref name="bg"/>
== સંદર્ભ ==
|