રાજવિનોદ મહાકાવ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{માહિતીચોકઠું પુસ્તક | નામ = રાજવિનોદ મ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
(કોઇ તફાવત નથી)

૧૭:૩૦, ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

રાજવિનોદ મહાકાવ્ય મૂળ સંસ્કૃત માં લખવામાં આવેલ ગુજરાતના સુલતાન મહમૂદશાહ (૧૪૫૯ - ૧૫૧૧) કે જે 'મહમૂદ બેગડા' તરીકે ઓળખાય છે -એનું જીવનચરિત્ર છે, જે તેના રાજ્યાશ્રિત કવિ ઉદયરાજ દ્વારા લખવામાં આવ્યું હતું. મૂળ સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલ આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ ડૉ.ભારતી શેલત અને ઉર્દૂમાં ભાવાનુવાદ ડૉ.ઝુબેર કુરેશીએ કર્યો છે.આમ સંસ્કૃત,ગુજરાતી અને ઉર્દુમાં એકસાથે છપાએલ "ત્રિવેણી સંગમ' સમાન આ પુસ્તક અનોખી ભાત ઉપસાવે છે.

રાજવિનોદ મહાકાવ્ય

પ્રકાશન

ઉદયરાજ રચિત 'રાજવિનોદ 'મહાકાવ્યની સંસ્કૃત હસ્તપ્રતનું મહત્વ સૌપ્રથમ ડૉ.જ્યોર્જ બ્યુહ્લરે પ્રસ્થાપિત કર્યું હતું.રાજસ્થાન પુરાતત્વ ખાતાએ શ્રી ગોપલનારાયણ બહુરાને આ કાવ્યનું સંપાદન કાર્ય સોંપ્યું હતું,જેને 'રાજસ્થાન પુરાતન ગ્રંથમાળા' ના ૮માં પુષ્પરૂપે ઈ.સ.૧૯૫૭માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.એકજ પુસ્તકમાં સંસ્કૃત,ગુજરાતી અને ઉર્દૂ ભાષામાં પ્રકાશન શાહ વજીહુદ્દીન અકાદમી ,અમદાવાદ ખાતેથી ૨૦૧૨માં કરવામાં આવ્યું.

કથાવસ્તુ

કવિ ઉદયરાજ વિરચિત 'રાજ્વિનોદ' કાવ્ય એવં 'જરબક્ષ પાતસાહિ શ્રીમહમૂદ સુરત્રાણચરિત્ર' માં સુલતાન મહમૂદ બેગડાના જીવન ચરિત્રને નિરૂપવામાં આવ્યું છે.આમાં મહમૂદની પ્રસંશા કરતાં પ્રતાપી,પરાક્રમી અને હિંદુ ધર્મના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યો છે. આમાં કુલ ૭ સર્ગો છે.

'सुरेन्द्रसरस्वती संवाद' નામક પ્રથમ સર્ગમાં સુલતાન મહમૂદને દાનેશ્વરી કર્ણ સાથે સરખાવવામાં આવ્યો છે.

'वंशानुकीर्तनम' નામના બીજા સર્ગમાં મહમૂદના વંશનું વર્ણન કરવામાં આવ્યું છે.આમાં મહમૂદની દાનવીરતા,બુદ્ધિમતા,પરાક્રમો અને નીતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે.

'सभासमागम' નામક ત્રીજા સર્ગમાં સભા પ્રવેશનું વર્ણન છે.

'सर्वावसर' નામના ચોથા સર્ગમાં એના દરબારમાં દેશ વિદેશથી પધારેલા રાજાઓ અને સભાસદોની હાજરીનું વર્ણન છે.

'संगीततरंगप्रसंग' નામના પાંચમાં સર્ગમાં એના દરબારમાં ચાલતા નૃત્ય,ગીત-સંગીત નું અને નારીઓ વડે રાજાની આરતીના મંગલોત્સવ નું વર્ણન કરવામાં આવ્યું છે.

'विजययात्रा - उत्सव' નામક છટ્ઠા સર્ગમાં મહમૂદશાહની વિજય યાત્રાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

'विजयलक्ष्मीलाभ' નામના સાતમાં અને અંતિમ સર્ગમાં મહમૂદના યુદ્ધ પરાક્રમોનું વર્ણન કરવામાં આવ્યું છે.


સંદર્ભો

कवि उदयराजविरचित राजविनोदमहाकाव्यम, संपा.डॉ.भारती शेलत,डॉ.ज़ुबेर कुरैशी,प्रकाशक:शाह वजीहुद्दीन एकेडमी,अहमदआबाद,२०१२