માનવવર્તનનાં કોઈ વિશિષ્ટ ક્ષેત્રને સમાજશાસ્ત્રમા સિદ્ધાંતો કે અભિગમો લાગુ પાડવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે જે તે વિષયનું સમાજશાસ્ત્ર થયું કહેવાય. માનવવર્તની સીમા અતિ વિશાળ હોવાથી, તેથી સમાજશાસ્ત્રની પણ ઘણી બધી શાખાઓ અસ્તિત્ત્વમાં આવી છે. જેમ કે; પ્રયોજિત સમાજશાસ્ત્ર, ચિકિત્સા સમાજશાસ્ત્ર, શિક્ષણનું સમાજશાસ્ત્ર, ઐતિહાસિક સમાજશાસ્ત્ર, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, સ્વાસ્થ્યનું સમાજશાસ્ત્ર, રાજકીય સમાજશાસ્ત્ર, [[સામાજિક મનોવિજ્ઞાન]], સામાજિક માનવશાસ્ત્ર, ગ્રામ સમાજશાસ્ત્ર, નગર સમાજશાસ્ત્ર, કલાનું સમાજશાસ્ત્ર, જ્ઞાનનું સમાજશાસ્ત્ર, સાહિત્યનું સમાજશાસ્ત્ર, ધર્મનું સમાજશાસ્ત્ર, સામાજિક દર્શનશાસ્ત્ર, કાનૂનનું સમાજશાસ્ત્ર તથા આર્થિક વર્તનનું સમાજશાસ્ત્ર.<ref name=જોષી૨૦૧૬>{{cite book|last=જોષી|first=વિદ્યુતભાઈ|title=પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર|year=૨૦૧૬|edition=દ્વિતીય|publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ|publication-place=અમદાવાદ|page=૧૫૬|isbn=978-93-85344-46-6}}</ref>