કાલિંજર કિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
{{કામ ચાલુ}} {{Infobox military installation | name = કાલિંજર કિલ્લો | p...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું |
(કોઇ તફાવત નથી)
|
૧૮:૩૪, ૧૪ ઓક્ટોબર ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન
આ લેખ અથવા વિભાગ હજુ નિર્માણ હેઠળ છે, અથવા તેમાં મોટા ફેરફારો અથવા વિસ્તૃતિ થઇ રહી છે. તેમાં યોગ્ય ફેરફારો કરીને મદદ કરવા માટે તમને નિમંત્રણ છે. જો આ લેખ અથવા વિભાગ માં કેટલાંક દિવસ માટે સંપાદન ન થાય તો, આ ઢાંચો હટાવવો. જો તમે આ ઢાંચો મૂક્યો હોય અને લેખ પર સક્રિય રીતે ફેરફારો કરતા હોવ તો આ ઢાંચાને {{in use}} ઢાંચા વડે બદલવા વિનંતી છે.
આ લેખ પર आर्यावर्त (ચર્ચા | યોગદાનો) દ્વારા છેલ્લે સંપાદન થયું હતું. (તાજું કરો) |
કલિંજર દૂર્ગ નામે ઓળખાતો આ કિલ્લો ભારતીય રાજ્ય ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં આવેલો એક પ્રાચીન કિલ્લો છે. બુંદેલખ્ંડ ક્ષેત્રમાં વિંધ્ય પર્વત પર સ્થિત આ કિલ્લો વિશ્વ ધરોહર સ્થળ એટલે કે વર્લ્ડ હેરીટેજ સાઇટ ખજુરાહોથી માત્ર ૧૭.૭ કિમી દૂર આવેલો છે. તેની ગણના ભારતના સૌથી મોટા અને અપરાજેય ગણાતાં કિલ્લાઓમાં થાય છે. આ કિલલમાં કેટલાએ પ્રાચીન મંદિરો આવેલા છે. અમાંથી ઘણા મંદિરો ઇસુની ત્રીજી કે પાંચમી સદીના ગુપ્ત શાસનકાળ સમયના છે. અહીં આવેલા શિવ મંદિર વિષે એવી માન્યતા છે કે પૌરાણિકકાળમાં સમુદ્રમંથનના અંતે નીકળેલા કાલકૂટ નામના હળાહળ વિષનું પાન કર્યા બાદ શંકર ભગવાને તેની જ્વાળાઓને શાંત કરવા માટે આ જ સ્થળે તપ કર્યું હતું. કારતક મહીનાં પૂર્ણિમાના દિવસે અહીં મોટો મેળો ભરાય છે જે આ વિસ્તારનો સૌથી મોટો સાંસ્કૃતિક ઉત્સવ છે.
કાલિંજર કિલ્લો | |
---|---|
બાંદા જિલ્લોનો ભાગ | |
ઉત્તર પ્રદેશ, ભારત | |
કાલિંજર કિલ્લાન મહેલો | |
અક્ષાંશ-રેખાંશ | 24°59′59″N 80°29′07″E / 24.9997°N 80.4852°E |
પ્રકાર | કિલ્લો, ગુફાઓ અને મંદિર |
સ્થળની માહિતી | |
નિયંત્રણ | ઉત્તર પ્રદેશ સરકાર |
જાહેરજનતા માટે ખૂલ્લું | હા, સાર્વજનિક |
સ્થિતિ | ધ્વસ્ત કિલ્લાના અવશેષો |
સ્થળ ઈતિહાસ | |
બાંધકામ | ૧૦મી સદી |
બાંધકામ કરનાર | ચંદેલ શાસક |
વપરાશમાં? | ૧૮૫૭ |
બાંધકામ સામગ્રી | ગ્રેનાઇટ, પાષાણ |
લડાઇ/યુદ્ધો | મહમૂદ ગજનવી- ઇ.૧૦૨૩, શેર શાહ સૂરી ઇ. ૧૫૪૫, બ્રિટિશ સરકાર ઇ.૧૮૧૨ અને ૧૮૫૭ગો વિપ્લવ |
સૈન્ય માહિતી | |
ભૂતપૂર્વ કમાન્ડર | ચંદેલ રાજવંશના રાજપૂત અને રીવાના સોલંકી |
ગેરિસન | વંગ્રેજ સેના, ૧૯૪૭ |
હવાઇમથક માહિતી | |
ઊંચાઇ | ૩૭૫ સમુદ્ર સપાટીથી ઊંચાઇ |
પ્રાચીનકાળમાં આ કિલ્લો જેજાકમુક્તિ જયશક્તિ ચંદેલના સામ્રાજ્યના આધિપત્ય હેઠળ હતો. પછી ૧૦મી સદી સુધી જુદા જુદા ચંદેલ રાજપૂતો અને પછી રિવાના સોલંકીવંશના રાજપૂતોના આધિપત્ય હેઠળ રહ્યો હતો. આ રાજાઓના શાસનકાળ દરમિયાન કાલિંજર પર મહમદ ગજનવી, કુતુબુદીન એબક, શેર શાહ સૂરી, હુમાયુ વગેરેએ આક્રમણો કર્યાં હતાં પરંતું આ કિલ્લાને જીતવામાં અસફળ રહ્યાં હતાં. કાલિંજર દૂર્ગને જીતવા માટે ચાલી રહેલી લડાઇ દરમિયાન જ તોપનો ગોળો વાગવાના કારણે શેરશાહનું મોત થયું હતું. મુગલ શાસનકાળમાં બાદશાહ અકબરએ આ કિલ્લ પર ધિકાર જમાવ્યો હતો અને તેના પછી છત્રસાલ બુંદેલાએ મુગલોના હાથમાંથી બુંદેલખંદને આજાદ કરાવ્યો હતો અને ત્યારથી આ કિલ્લો બુંદેલોના આધિપત્ય હેઠલ રહ્યો હતો. પછીથી એ અંગ્રેજોના નિયંત્રણમાં રહ્યો. ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ આ કિલ્લાની ઓળખ દેશના એક અતિ મહત્વપૂર્ણ ઐતિહાસિક ધરોહરના રુપમાં કરવામાં આવે છે. વર્તમાનમાં આ કિલ્લો ભારતીય પૂરાતત્વ સર્વેક્ષણ વિભાગના કબજા હેઠળ છે.