બર્ટોલ્ટ બ્રેખ્ત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
VikramVajir (ચર્ચા | યોગદાન) '''બર્ટોલ્ટ બ્રેખ્ત''' વીસમી સદીના એક પ્રખ્ય...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું |
VikramVajir (ચર્ચા | યોગદાન) ભૂલ |
||
લીટી ૧:
'''બર્ટોલ્ટ બ્રેખ્ત''' વીસમી સદીના એક પ્રખ્યાત [[જર્મની |જર્મન કવિ ]], નાટ્યકાર અને નાટ્ય નિર્દેશક હતા.
==જીવન
યુજેન બર્ટોલ્ટ ફ્રેડરિક બ્રેખ્તનો (બાળપણનું નામ)જન્મ [[જર્મની]]ના ઔગ્સ્બુર્ગમાં થયો હતો . બ્રેખ્તની માતા એક ધર્મનિષ્ઠ પ્રોટેસ્ટંટ સ્ત્રી હતી જ્યારે તેના પિતા કેથોલિક હતા
==નાટ્ય સિદ્ધાંત==
બ્રેખ્તે તેમની રચનાઓ માટે જે તેમણે પસંદ કરેલી વિચારધારા હતી તેની સાથે આજીવન સંકળાયેલા રહ્યા હતા. તેમણે નાટકો દ્વારા માર્કસવાદી વિચારધારા ફેલાવવા માટે '' 'એપિક થિયેટર' ''નામની એક નાટક મંડળી પણ બનાવી. ગુજરાતીમાં એપિક થિયેટર લોક નાટક તરીકે ઓળખાય છે. બ્રેખ્તે [[એરિસ્ટોટલ]]ના પરંપરાગત નાટ્ય સિદ્ધાંતોથી સંપૂર્ણપણે અલગ તથા મૌલિક સિદ્ધાંતની રચના કરી. તેમણે દલીલ કરી હતી કે મંચ પર જે થાય છે તેનાથી પ્રેક્ષકો એકીકૃત ન થવા જોઈએ. બ્રેખ્તે પોતાના આ સિદ્ધાંતમાં ભારતીય રંગભૂમિ, લોક્નાટય અને નૃત્યુ શૈલીમાંથી અનેક તત્વો ગ્રહણ કાર્યો હતો.
==સાહિત્યિક કારકિર્દી==
જર્મન રંગભૂમિ માટે ૨૦ વર્ષની વયે બ્રેખ્તે પ્રથમ નાટક'' ‘બાલ’ ''લખ્યું અને તેમની ''‘ભભૂકતા યુવાનની કાળઝાળ બંડખોર મુદ્રા’ '' ઉપસી આવી. આ સમયે આપખુદ [[ એડોલ્ફ હિટલર | હિટલર ]]ની સત્તા વધી રહી હતી. જયારે તત્ત્કાલીન સોવિયેત સંઘમાં [[ જોસેફ સ્ટાલિન|સ્ટાલિનનો ]] ભરડો કલાને કચડી રહ્યો હતો, છતાં પણ કેટલાક કલાકારો ‘સંપતિની સમાન વહેચણી’ ના સમર્થનમાં હતા જેમાં બ્રેખ્ત અને તેની પત્ની હેલન વાઈગરનો મુખ્ય ફાળો હતો. ૧૯૨૦માં તેમણે પહેલું લોકપ્રિય નાટક'' ‘થ્રી પેની ઓપેરા’ '' લખ્યું, ત્યારબાદ બીજા વર્ષે ''‘સેન્ટ જોન ઓફ સ્ટોકયાર્ડ’ ''ની રચના કરી.
===કેટલીક રચનાઓ===
લીટી ૧૭:
#એક્સેપ્શન એન્ડ ધ રુલ
#ધ મેઝર(૧૯૩૦ મેકિસમ ગોર્કીની નવલકથાનું નાત્યરૂપાંતર)
(નીલભ અશ્ક દ્વારા "હિંમત માઇ" શીર્ષકથી હિન્દીમાં અનુવાદિત)
#ગેલેલિયો(૧૯૩૮)
#મધર કરેજ (૧૯૩૯)
#સેટ્ઝુઆન (૧૯૪૦)
#કોકેશિયન ચોક સર્કલ (૧૯૪૪)
આમાંના અનેક નાટકો ભારતની વિવિધ ભાષામાં ભજવાયાં છે અને તેમનો ગુજરાતી અનુવાદ પણ થયો છે.
|