મોરારજી દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. ટિકિટની છબીઓ સરખી કરી. |
||
લીટી ૩૯:
|signature = Morarji Desai sign.svg
}}
'''મોરારજી દેસાઈ''' ([[ફેબ્રુઆરી ૨૯]], ૧૮૯૬ – [[એપ્રિલ ૧૦]], ૧૯૯૫) (આખું નામ: મોરારજી રણછોડજી દેસાઈ) [[ભારત]] દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ચોથા વડાપ્રધાન (ઇ. સ. ૧૯૭૭થી ૭૯) હતા.
▲'''મોરારજી દેસાઈ''' ([[ફેબ્રુઆરી ૨૯]], ૧૮૯૬ – [[એપ્રિલ ૧૦]], ૧૯૯૫) (આખું નામ: મોરારજી રણછોડજી દેસાઈ) [[ભારત]] દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ચોથા વડાપ્રધાન (ઇ. સ. ૧૯૭૭થી ૭૯) હતા. <ref name ="પ્રકાશ ન. શાહ૧૯૯૭"/>તેઓ એવા પ્રથમ વડાપ્રધાન હતા કે જેઓ [[કોંગ્રેસ|ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસ]]ના બદલે અન્ય કોઇ રાજકીય પક્ષમાંથી ચુંટાયા હતા. તેમણે સરકારમાં કેટલાય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા, જેવાંકે, મુંબઇ રાજ્યનાં મુખ્યમંત્રી, ગૃહ પ્રધાન, નાણા પ્રધાન અને ભારતના નાયબ વડાપ્રધાન. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, મોરારજી દેસાઇ તેમના શાંતિ માટેનાં પ્રયત્નો અને દક્ષિણ એશિયાના બે દુશ્મન દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ માટેના પ્રયત્નો માટે જાણીતા છે. ૧૯૭૪માં ભારતના પ્રથમ અણુધડાકા પછી, મોરારજીભાઈએ [[ચીન]] અને પાકિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો સ્થાપિત કરવામાં ભાગ ભજવ્યો હતો અને [[ભારત]]-[[પાકિસ્તાન]]નાં ૧૯૭૧ યુધ્ધ જેવી પરિસ્થિતી નીવારી હતી. ઘર આંગણે, તેમણે ૧૯૭૪ના અણુધડાકા પછી ભારતના અણુ કાર્યક્રમમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. પાછળથી તેમની નીતિઓએ મુખ્યત્વે સામાજિક, આરોગ્ય સંબંધિત અને સંચાલન ક્ષેત્રના સુધારાઓને ઉત્તેજન આપ્યું. તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓને ભારત દેશના સર્વોચ્ચ સમ્માન [[ભારત રત્ન]] (૧૯૯૧) તેમ જ [[પાકિસ્તાન]] દેશના સર્વોચ્ચ સમ્માન [[નિશાન-એ-પાકિસ્તાન]] (૧૯૯૦)થી સન્માનિત કરવામાં આવ્યા હોય.
આજે પણ માત્ર બે રૂપિયા અને ૨૦ પૈસામાં ખાંડ આપનાર વડાપ્રધાન તરીકે લોકો મોરારજી દેસાઈ ને યાદ કરે છે. આ ઉપરાંત ચુસ્ત સિદ્ધાંતવાદી, નિયમિતપણે સ્વમૂત્ર તેમજ ફળાહાર જેવા કુદરતી ઉપચાર વડે તંદુરસ્ત શરીર જાળવનાર તરીકે પણ લોકો એમને યાદ કરે છે.
== પ્રારંભિક જીવન ==
[[File:Desai1937.jpg|thumb|૧૯૩૭માં મોરારજી દેસાઇ]]
મોરારજી દેસાઈનો જન્મ તત્કાલીન બોમ્બે પ્રેસિડન્સીના વિસ્તારમાં આવતા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]ના તેમજ તાલુકામાં આવેલા [[ભદેલી
==રાજકીય જીવન ==
ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેમણે રાજ્યના પ્રધાન અને દેશના પ્રધાન તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. ભારતની સ્વતંત્રતા પૂર્વે તેઓ મુંબઇના ગ્રુહમંત્રી બન્યા હતા અને પાછળથી ૧૯૫૨માં મુંબઇ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ રાજ્ય ગુજરાતીભાષી અને મરાઠીભાષી લોકોનુ બનેલુ દ્વિભાષી રાજ્ય હતું. ૧૯૫૬થી સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ માત્ર મરાઠીભાષી લોકોના બનેલા "મહારાષ્ટ્ર" રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી. બીજી બાજુ,
== ભારતનાં વડા પ્રધાન (૧૯૭૭-૭૯) ==
[[ઈન્દિરા ગાંધી]]એ કટોકટી ઉઠાવી લેવાનો નિર્ણય કર્યા બાદ ૧૯૭૭ની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી. આ ચૂંટણીમાં જનતા પાર્ટીએ ભારે બહુમત મેળવ્યો અને મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા. ૨૪મી માર્ચે દેસાઈના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવ્યું. દેસાઈની સરકારે દક્ષિણ એશિયાઈ પડોશી દેશો સાથેના સંબંધોને અગ્રતા આપી અને કટ્ટર હરીફ એવાં દેશ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની શરુઆત કરી તેમજ ૧૯૬૨નાં યુધ્ધ પછી પહેલી વાર ચીન સાથેનાં સંબંધો સામાન્ય બનાવ્યા. તેઓએ ઝીઆ-ઉલ-હક સાથે સંવાદો કર્યા અને મૈત્રીભર્યા સંબંધો સ્થાપ્યા. ચીન સાથે રાજદ્વારી સંબંધો પણ સ્થાપવામાં આવ્યા. સરકારે રાષ્ટ્રીય કટોકટી લાગુ પાડવા અંગે બંધારણમાં ઘણાં ફેરફારો કર્યા અને તેને પછીની સરકારો માટે મુશ્કેલ બનાવી. ચુંવાળીસમાં બંધરણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને ન્યાયિક કરવામાં આવ્યો. તેમ છતાં, જનતા પાર્ટીનો મોરચો, અંગત અને નિતી અંગેના ભેદભાવોથી ભરેલો હતો, એટલે વિવાદો વગર વધુ કંઇ પ્રાપ્ત કરી શક્યો નહી. ચરણસિંહ પ્રકરણ અને અન્ય કટોકટીના કારણોસર ૧૫ જુલાઈ ૧૯૭૯ ના રોજ તેમણે વડાપ્રધાન તરીકે રાજીનામું આપી દીધું.
== નિવૃત્તિ અને મૃત્યુ ==
રાજકીય નિવૃત્તિ બાદ મોરારજીભાઇએ મુંબઈમાં પુત્રપરિવાર સાથે જીવન ગાળ્યું. ૧૯૮૭ના ઓક્ટોબર માસ સુધી, (૯૨ વર્ષની ઉંમર સુધી) વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં હાજરી આપવાનો તેમનો ક્રમ તેમણે નિષ્ઠાની જાળવ્યો. ૧૦ એપ્રિલ ૧૯૯૫ ના રોજ મગજમાં લોહી ગંઠાતા મુંબઈ ખાતે તેમનું અવસાન થયું. ૧૨મી એપ્રિલની સાંજે અમદાવાદમાં [[સાબરમતી આશ્રમ]] પાસે આવેલી ગોશાળાની ભૂમી પર પૂરા રાજકીય સન્માન સાથે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી. આ સ્થળ હાલ અભયઘાટ તરીકે ઓળખાય છે.
== સામાજીક સેવા ==
મોરારજી દેસાઈ [[ગાંધીજી]]ના રસ્તે ચાલનારા, સામાજીક સેવક, સંસ્થા સ્થાપક અને મહાન સુધારાવાદી હતા. તેઓ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલ [[ગુજરાત વિદ્યાપીઠ]]નાં કુલપતિ હતા. તેમનાં વડા પ્રધાનના કાર્યકાળ દરમિયાન પણ તેઓ વિદ્યાપીઠની મુલાકાત લેતા હતા અને ઓક્ટોબર મહિનામાં વિદ્યાપીઠમાં નિવાસ કરતા હતા. તેઓ સાદાઈથી જીવતા હતા અને વડા પ્રધાન હોવા છતાં જાતે જ પોસ્ટ કાર્ડ લખતા હતા. સરદાર પટેલે તેમને ખેડા જિલ્લાના ખેડૂતો જોડે મંત્રણાઓ કરવા માટે નીમ્યા હતા, જે છેવટે [[અમુલ ડેરી|અમુલ]] સહકારી મંડળીની સ્થાપના માટે કારણભૂત બની. તેમના કાર્યકાળ દરમિયાન, તેઓએ જાહેર વિતરણ વ્યવસ્થા બંધ કરી અને તેનાથી રસ્તી ખાંડ અને અનાજ પ્રાપ્ત થતાં રેશનની દુકાનો બંધ થઇ ગઇ હતી.
== અંગત જીવન અને કુટુંબ ==
{{multiple image
| width = 150
| image1 = Morarji Desai 1996 stamp of India.jpg
| alt1 = મોરારજી દેસાઇ ભારતીય ટપાલ ટિકિટ પર, ૧૯૯૬
| image2 = Morarji Desai 1997 stamp of India.jpg
| alt2 = મોરારજી દેસાઇ ભારતીય ટપાલ ટિકિટ પર, ૧૯૯૭
| footer = મોરારજી દેસાઇ ભારતીય ટપાલ ટિકિટ પર.
}}
મોરારજી દેસાઈને એક પુત્ર કાંતિ દેસાઈ, બે પૌત્ર ભરત અને જગદીપ દેસાઈ અને ૪ પ્રપૌત્રો છે. આમાંથી રાજકીય ક્ષેત્રે માત્ર મધુકેશ્વર દેસાઈ જ સક્રિય છે, જે તેમનો પ્રપૌત્ર અને જગદીપ દેસાઈના પુત્ર છે.<ref>{{cite news | url=http://www.dnaindia.com/india/report_morarji-s-3g-scion-to-enter-politics_1370053 | title=મોરારજીના પ્રપૌત્ર રાજકારણમાં પ્રવેશવા તૈયાર | work=Daily News and Analysis (DNA) | date=૧૧ એપ્રિલ ૨૦૧૦ | agency=DNA | accessdate=૪ ફેબ્રુઆરી ૨૦૧૨ | author=Khanna, Summit | location=Ahmedabad}}</ref> તેઓ પોતાનાં દાદામહ જેવી છાપ ઉભી કરવા માટે સક્રિય છે.<ref>{{cite news | url=http://lite.epaper.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=5&edlabel=TOIA&mydateHid=11-04-2010&pubname=&edname=&articleid=Ar00502&format=&publabel=TOI | title=પ્રપૌત્રે રાજ્યમાં મોરારજી દેસાઈનો વારસો સજીવન કર્યો | date=૧૧ એપ્રિલ ૨૦૧૦ | agency=[[Times News Network|TNN]] | accessdate=૪ ફેબ્રુઆરી ૨૦૧૨ |newspaper=The Times of India| author=Yagnik, Bharat}}{{cite news|title=Morarji's great grandson to revive legacy|url=http://lite.epaper.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=5&edlabel=TOIA&mydateHid=11-04-2010&pubname=&edname=&articleid=Ar00502&format=&publabel=TOI}}</ref> મધુકેશ્વર દેસાઈ ભારતીય જનતા યુવા મોર્ચાનાં રાષ્ટ્રીય ઉપ-પ્રમુખ છે, જે ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખ છે.<ref>{{cite news|title=મોરારજી દેસાઈના પ્રપૌત્ર ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખમાં ઉપ પ્રમુખ તરીકે જોડાયા | url= http://articles.economictimes.indiatimes.com/2013-05-30/news/39629167_1_youth-wing-bharatiya-janata-yuva-morcha-bjp-fold | newspaper=The Economic Times | date=૩૦ મે ૨૦૧૩}}</ref>
વિશાલ દેસાઈ, જેઓ ભરત દેસાઈના પુત્ર છે, લેખક અને ફિલ્મ નિમાર્ણકર્તા છે.<ref>{{cite news|title=A lightly carried legacy|url=http://www.afternoondc.in/interview/a-lightly-carried-legacy/article_23612|newspaper=The Afternoon}}</ref> તેઓ ૨૦૦૯માં લંડન ફિલ્મ સ્કૂલમાંથી સ્નાતક થયા છે<ref>{{cite news|title=જવા માટે તૈયાર|url=http://www.afternoondc.in/dairy/ready-to-go/article_55180|newspaper=The Afternoon}}</ref> હાલમાં તેઓ મુંબઈ ખાતે તેમની પોતાની ફિલ્મ નિર્માણ સંસ્થા, 'અ થાઉઝન્ટ ફેસીસ પ્રોડક્શન્શ', ચલાવી રહ્યા છે.<ref>{{cite news|title=હા, અમે કેન્સ|url=http://www.mid-day.com/entertainment/2012/may/010512-Yes-we-Cannes.htm|newspaper=Mid Day}}</ref>
૧૯૭૮માં, વડાપ્રધાન મોરારજી દેસાઇ, કે જેઓ લાંબા સમયથી સ્વમૂત્ર ચિકિત્સા અજમાવી રહ્યા હતા, એ વિશે ડાન રાથેર જોડે ૬૦ મિનિટો સુધી સ્વમૂત્ર પીવાથી થતા ફાયદા વિશે ચર્ચા કરી હતી. મોરારજીએ કહ્યું હતું કે સ્વમૂત્ર ચિકિત્સાએ આરોગ્ય સુવિધા ન પરવડી શકે એવા લાખો ભારતીયો માટે ઉત્તમ ચિકિત્સા છે. તેઓ આ તેમની આદત માટે કેટલાય ભારતીયો અને વિદેશીઓ દ્વારા અણગમો પામ્યા હતા.<ref>{{cite news | url=http://timesofindia.indiatimes.com/articleshow/4822621.cms | title=Curative Elixir: Waters Of India | work=The Times of India | date=૨૭ જુલાઇ ૨૦૦૯ | first1=Prasenjit | last1=Chowdhury}}</ref>
Line ૮૦ ⟶ ૮૪:
==બાહ્ય કડીઓ==
{{commons category}}▼
* [http://www.pmindia.nic.in/former.htm ભારત દેશના વડા પ્રધાનનું અધિકૃત વેબસાઇટ (અંગ્રેજી ભાષામાં)]
* [http://sthindi.indopia.in/India-usa-uk-news/news_details.php?id=35785&page=1 ભારત દેશના ચોથા વડા પ્રધાન મંત્રી મોરારજી દેસાઈ] (સંકલ્પ ટાઇમ્સ)
▲{{commons category}}
{{ભારતના વડાપ્રધાન}}
Line ૮૯ ⟶ ૯૩:
[[શ્રેણી:ભારતના વડાપ્રધાન]]
[[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]]
[[શ્રેણી:ભારત રત્ન પુરસ્કારના વિજેતા]]
|