સુચેતા કૃપલાની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
review 1
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
Reference Error corrected
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૬:
તેમનો જન્મ પંજાબના (હાલ [[હરિયાણા|હરિયાણામાં]]) [[અંબાલા]]માં બ્રહ્મો પરિવારમાં થયો હતો. તેમના પિતા તબીબી અધિકારી તરીકે નોકરી કરતા હતા, તે નોકરીમાં ઘણી બદલી થતી હતી. આને પરિણામે, તેમણે ઘણી શાળાઓમાં અભ્યાસ કર્યો, તેમની અભ્યાસની અંતિમ પદવી [[દિલ્હી]]ની સેન્ટ સ્ટીફન કૉલેજમાંથી [[ઇતિહાસ]] વિષયમાં માસ્ટરની રહી.
 
આ તે સમય હતો જ્યારે દેશના વાતાવરણમાં [[રાષ્ટ્રવાદ|રાષ્ટ્રવાદી]] ભાવનાઓની ચડતી હતી અને સ્વતંત્રતાની લડત વેગ પકડી રહી હતી.<ref>{{Cite web|url=https://www.livehistoryindia.com/herstory/2019/01/08/sucheta-kriplani-crying-freedom|website=Live History India|title=sucheta-kriplani-crying-freedom}}</ref>
 
તેઓ કોઈ કુશળ ઇચ્છાશક્તિ અને અનુકરણીય નેતૃત્વના ગુણો સાથે જન્મ્યા ન હતા, ઉલટાના તેઓ નાનપણમાં એક શરમાળ બાલિકા હતી. તેમની અધૂરી લખેલી આત્મકથા અનુસાર તેઓ પોતાના દેખાવ અને બુદ્ધિ વિશે સ્વ-સભાન હતા. આ ઉંમરમાં જે પરિસ્થિતિઓનો તેમણે સામનો કરવો પડ્યો હતો તેણે તેમના વ્યક્તિત્વને આકાર આપ્યો. સુચેતા જણાવે છે કે, ૧૦ વર્ષની વયે કેવી રીતે તેમણે અને તેમના ભાઇ-બહેનોએ તેમના પિતા અને તેના મિત્રોને જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે વાત કરતા સાંભળ્યા હતા. આનાથી તેઓ એટલા ગુસ્સે થઈ ગયા કે તેઓએ તેઓ સાથે રમતા કેટલાક એંગ્લો-ભારતીય બાળકોને તેમના નામથી ચીડાવી પોતાનો ગુસ્સો ઠાલવ્યો.<ref>{{Cite web|url=https://www.livehistoryindia.com/herstory/2019/01/08/sucheta-kriplani-crying-freedom|title=Sucheta Kripalani & the Fight for Freedom|website=Live History India}}</ref>
લીટી ૩૮:
જ્યારે તેઓ લાહોરની કિન્નર્ડ કોલેજમાં ભણતા હતા, ત્યારે તેમના [[બાઇબલ]] વર્ગના શિક્ષકે હિન્દુ ધર્મ વિશે કેટલીક માનહારક બાબતો કહી હતી. ગુસ્સે ભરેલી, સુચેતા અને તેની બહેન ઘરે ગયા અને તેમના પિતાને તેમની મદદ કરવા કહ્યું. તેમણે તેમને કેટલાક ધાર્મિક ઉપદેશો પર પ્રશિક્ષણ આપ્યું, અને બીજા દિવસે, છોકરીઓએ તેમના શિક્ષકનો ભાગવદ્ ગીતાના અવતરણ ટાંકી સામનો કર્યો. શિક્ષકે વર્ગમાં ફરી ક્યારેય હિન્દુ ધર્મનો ઉલ્લેખ ન કર્યો! <ref>{{Cite web|url=https://www.livehistoryindia.com/herstory/2019/01/08/sucheta-kriplani-crying-freedom|title=-|website=Live History India}}</ref>
 
આગળ જતાં તેણીએ ઇન્દ્રપ્રસ્થ કોલેજ <ref>{{Cite news|title=Vital statistics of colleges that figure among India's top rankers|url=http://indiatoday.intoday.in/story/vital-statistics-of-colleges-that-figure-among-indias-top-rankers/1/233619.html|work=[[India Today]]|date=21 May 2001}}</ref> અને પંજાબ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. <ref name="ls-kripalani-bio">{{Cite web|url=http://164.100.47.132/LssNew/biodata_1_12/804.htm|title=Kripalani, Shrimati Sucheta|publisher=Lok Sabha|accessdate=2012-06-06}}</ref> તેઓ[[બનારસ હિંદુ યુનિવર્સિટી]]<nowiki/>માં બંધારણીય ઇતિહાસના પ્રોફેસર બન્યા. ઈ.સ. ૧૯૩૬માં, તેણે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના અગ્રણી વ્યક્તિ [[જે.બી.કૃપલાની]] સાથે લગ્ન કર્યા, જે તેમનાથી વીસ વર્ષ મોટા હતા. આ લગ્નનો બંને પરિવારો તેમજ ખુદ [[મહાત્મા ગાંધી|ગાંધીજી]] દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જોકે આખરે તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. <ref>{{Cite book|title=Understanding Gandhi: Gandhians in Conversation with Fred J Blum|last=Usha Thakkar, Jayshree Mehta|publisher=SAGE Publications|year=2011|isbn=978-81-321-0557-2|pages=409–410}}</ref>
 
== સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા ==