ચોતરા પર બે મહિનાથી ચાલી રહેલી [[વિકિપીડિયા:ચોતરો#અસક્રિય પ્રબંધક|ચર્ચાનું સમાપન]] કરતા, હું અશોકભાઈ મોઢવાડિયાના પ્રબંધન હક્કો દૂર કરવા માટે નામાંકન કરું છું. મેં વ્યક્તિગત રીતે [[સભ્યની ચર્ચા:Ashok modhvadia#પ્રબંધન હક્ક પર ફેરવિચાર|તેમના ચર્ચાનાં પાને]] તેમને ૩૧ ઓક્ટોબરે સંદેશો મૂક્યો હતો જેનો આજ સુધી કોઈ જવાબ નથી. એ જ રીતે મેં '''સભ્યને ઇમેલ કરો''' સુવિધાનો ઉપયોગ કરીને પણ તેમનો સંપર્ક સાધ્યો હતો જેનો હજુ સુધી કોઈ પ્રતિસાદ નથી. તેઓએ અહિં છેલ્લું યોગદાન ૨૮ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ આપ્યું હતું, જેનો અર્થ એ થયો કે તેઓ છેલ્લા સવા બે વર્ષથી નિષ્ક્રિય છે. આવા સમયે તેમના પ્રબંધન હક્કો દૂર કરવા હિતાવહ છે, જેથી જો જરૂર હોય તો અન્ય સક્રિય સભ્યને પ્રબંધન હક્કો આપી શકાય.-[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૩૨, ૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)