લૂઈ ૧૬મો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Gazal world (ચર્ચા | યોગદાન) →જીવન: કડી |
Gazal world (ચર્ચા | યોગદાન) →મૃત્યુ: m |
||
લીટી ૩૬:
૨૧ સપ્ટેમ્બર ૧૭૯૨ના દિવસે ફ્રાન્સનું નવું બંધારણ ઘડવા માટે બંધારણીયસભાની બેઠક મળી હતી, અને એ જ દિવસે સર્વાનુમતે રાજાશાહીની નાબૂદીની તથા ફ્રાન્સના પ્રજાસત્તક રાજ્યની ધોષણા કરવામાં આવી હતી. રાજાશાહી નાબૂદ કર્યા પછી બંધારણસભામાં જેરેન્ડિસ્ટો અને જેકોબોનો (તે વખતના ફ્રાન્સનાં બે મુખ્ય રાજકીય જૂથો) વચ્ચે રાજાનું શું કરવું - તે વિશે ઉગ્ર મતભેદો પડ્યા હતાં. જેરોન્ડિસ્ટો આ બાબત ઉપર લોકમત લેવાનો આગ્રહ રાખતા હતા, જ્યારે જેકોબિનો રાજા ઉપર મુકદ્દમો ચલાવ્યા વગર તેને સીધો ગિલોટિન પર ચડાવી શિરચ્છેદ કરવાના મતના હતા. આખરે બંધારણસભામાં લૂઈ પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો, તેના ઉપર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો અને છેવટે માત્ર એક મતની બહુમતી (૩૬૧ વિરુદ્ધ ૩૬૦ મત)થી તેને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવી.<ref name="ભટ્ટ૨૦૧૬">{{cite book|last=ભટ્ટ|first=દેવેન્દ્ર|title=યુરોપનો ઈતિહાસ (૧૭૮૯–૧૯૫૦)|year=૨૦૧૬|edition=સાતમી|orig-year=૧૯૭૨|publisher=[[યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ]]|publication-place=અમદાવાદ|page=૪૯–૫૦|isbn=978-93-81265-89-5}}</ref>
૨૧ જાન્યુઆરી ૧૭૯૩ના રોજ રવિવારની સવારે રાજમહેલના પટાંગણમાં જ ખાસ ગિલોટિન ઊભું કરવામાં આવ્યું હતું અને લૂઈનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.ગિલોટિન પર ઊભા રહીને તેણે એકઠા થયેલાં ટોળાને ઉદ્દેશીને શબ્દો ઉચ્ચાર્યા હતા: "સદગૃહસ્થો, મારા ઉપર જે આરોપ મૂકવામાં આવ્યો છે તે અંગે હું તદ્દન નિર્દોષ છું. (અહીં વહાવવામાં આવનાર)
==સંદર્ભો==
|