ભગવદ્ગોમંડલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું મહારાજાની છબી ઉમેરી.
નાનું વધારાની કડીઓ હટાવી.
લીટી ૬:
==સંશોધન==
[[File:H.H. Maharaja Thakore Shri Sir Bhagwant Singhji Sagramji Sahib Bahadur, Maharaja of Gondal, GCSI, GCIE, 1911.jpg|right|210px|thumb|ગોંડલના [[મહારાજા ભગવતસિંહજી]], ૧૯૧૧.]]
સર ભગવતસિંહજીએ ઈ.સ. ૧૯૧૫ની આસપાસ એવા ગુજરાતી શબ્દો શોધવાની શરૂઆત કરી કે જે કોઈપણ કોશમાં ન જોવા મળતા હોય, તેમના આ સંશોધન માટે તેમણે પ્રમાણભૂત ગ્રંથો, મહત્ત્વનાં [[પુસ્તક|પુસ્તકો]], [[નવલકથા]]ઓ, [[કાવ્ય]]સંગ્રહોકાવ્યસંગ્રહો વગેરેનો જ નહિ પરંતુ વર્તમાનપત્રો, [[સામયિક|સામયિકો]], નિવેદનો, જાહેરખબરો, [[નાટક]] સિનેમાનાં ચોપાનિયાંઓ, ચીજવસ્તુઓની મૂલ્યપત્રિકાઓ, વિગેરેમાંથી ઉપયોગી જણાતા શબ્દોનો સંગ્રહ કરવા માંડ્યો અને આ પૈકિપૈકી જે શબ્દોમાં તેમને સચ્ચાઈ જણાઈ તેનો તેમણે કોશમાં સમાવેશ કર્યો. તેમનો આગ્રહ હતો કે ગુજરાતી લોકોની બોલચાલની ભાષાનું પ્રતિબિંબ તેમાં હોય. શબ્દોના અર્થની સાથે સાથે, તેની વ્યુત્પત્તિ અને [[જોડણી]]નાજોડણીના નિયમોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા.<ref name="દિભા">{{ઢાંચો:Cite web |first = કાંતિ | last = ભટ્ટ | |title = અભૂતપૂર્વ ગુજરાતી જ્ઞાન કોષ : ભગવદગોમંડળ|website = [[દિવ્ય ભાસ્કર]]|date = ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫|url = http://www.divyabhaskar.co.in/news/ABH-bhagavadgomandal-in-a-cells-in-unprecedented-knowledge-5122257-NOR.html |accessdate = ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬}}</ref>
 
==તવારિખ અને તથ્યો==
[[ઓક્ટોબર ૧|પહેલી ઓક્ટોબર]] ૧૯૨૮ના દિવસે [[ગોંડલ]]માં 'ભગવદ્ગોમંડલ' કોશની કચેરી શરૂ કરી જેમાં તેમણે અત્યાર સુધીનાં સંશોધનમાં એકત્ર કરેલા વીસેક હજાર શબ્દોથી કોશ રચવાની શરૂઆત કરી. ભગવદ્ગોમંડલનો પ્રથમ ગ્રંથ [[ઓગષ્ટ ૨૫|૨૫મી ઓગષ્ટ]] ૧૯૪૪ના રોજ પ્રસિદ્ધ થયો જેમાં ૯૦૨ પાનાં હતાં જેમાં ૨૬,૬૮૭ શબ્દો અને તેનાં ૫૧,૩૩૮ અર્થોનો સમાવેશ થયેલો હતો, આ ગ્રંથશ્રેણીનો અંતિમ નવમો ગ્રંથ [[માર્ચ ૯|૯ માર્ચ]] ૧૯૫૫ના પ્રસિદ્ધ થયો હતો. આમ ૧૯૪૪થી ૧૯૫૫ એમ, ૧૧ વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલા નવ ગ્રંથોનાં કુલ ૯૦૦૦થી વધુ પૃષ્ઠોમાં આશરે ૨,૮૧,૩૭૭ શબ્દો, તેના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ જેટલાં રૂઢિપ્રયોગોનો સંગ્રહ છે.<ref>[http://www.bhagwadgomandal.com/gu/index.php?action=history 'શબ્દકોશનો ઉદ્ભવ અને વિકાસ' ભગવદ્ગોમંડલ વેબસાઇટ પર]</ref> [[ગુજરાતી ભાષા]]માં આટલા બધા શબ્દો છે તેની સૌપ્રથમ વાર જાણ કદાચ આ કોશ દ્વારા જ વિશ્વને થઈ.
 
આમ, છવ્વીસ વર્ષની જહેમતને અંતે પ્રસિદ્ધ થયેલા નવ ગ્રંથો પાછળ, તે સમયે લગભગ સાડાપાંચ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. અમૂલ્ય એવા આ નવ ગ્રંથની કિંમત તે સમયે રૂ. ૫૪૫ હતી, પરંતુ રાજ્યાશ્રયને કારણે તે ૧૪૬ રૂપિયામાં પ્રાપ્ત થતી હતી. આ મહાન ગ્રંથના રચયિતા [[મહારાજા ભગવતસિંહજી]] તેનું અંતિમ સ્વરૂપ જોવા ન પામ્યા, પ્રથમ ગ્રંથ પ્રસિદ્ધ થયાનાં ૪ મહિના પહેલા, ૧૯૪૪ની [[માર્ચ ૯|નવમી માર્ચે]] ૭૮ વર્ષની વયે તેમનું અવસાન થયું.