ચૈતન્ય મહાપ્રભુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું {{સંદર્ભ}} |
||
લીટી ૨:
શ્રી ચૈતન્ય મહાપ્રભુ ([[બંગાળી ભાષા|બંગાળી]] চৈতন্য মহাপ্রভূ) (૧૪૮૬-૧૫૩૪)નો જન્મ હાલનાં [[પશ્ચિમ બંગાળ]]માં નવદ્વીપ ડ મંડળ તરીકે ઓળખાતા પ્રદેશનાં નાદિયા ગામમાં શક સંવત, ૧૪૦૭ [[ફાગણ સુદ ૧૫|ફાગણ સુદ પૂનમ]]નાં દિવસે થયો હતો. તેઓને ઇતિહાસમાં એક સંત/સંન્યાસી અને તે સમયના બંગાળ (હાલના [[પશ્ચિમ બંગાળ]] અને [[બાંગ્લાદેશ]]) તથા [[ઓરિસ્સા]]ના એક સમાજ સુધારક ગણવામાં આવે છે. પરંતુ [[ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય|ગૌડીય વૈષ્ણવો]] તેમને સ્વયં ભગવાન [[કૃષ્ણ|શ્રી કૃષ્ણજ]] [[રાધા|રાધા રાણીના]] ભાવ અને રૂપમાં માને છે.
તેમની માતાનું નામ શચીદેવી હતું તથા પિતાજીનું નામ જગન્નાથ મિશ્ર હતું. કહેવાય છે, જીવનનાં છેલ્લાં છ વર્ષો મહાપ્રભુજીમાં સાક્ષાત્ ‘રાધાજી’ પ્રગટ થયાં હતાં
ભારતના સંન્યાસીઓને શ્રીકૃષ્ણની ભકિતમાં તથા પરમ વૈરાગ્યનાં માર્ગે વાળવા માટે ચોવીસ વર્ષની ઉંમરે ‘કેશવ ભારતીજી’ પાસે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી સંસારનો ત્યાગ કર્યો. અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કેટલાય ભકતોને ચતુર્ભુજ રૂપે, દ્વિભુજ રૂપે, છડ્ભુજ રૂપે શ્રીકૃષ્ણ સ્વરૂપનાં દર્શન કરાવ્યાં હતાં. તેમણે અનેક ચમત્કારો પણ કર્યા હતા. કેટલાક રોગી, કોઢીઓને રોગમુકત કર્યા હતા. દક્ષિણમાં એક તળાવના પાણીને ‘મધ’ બનાવ્યું હતું. આજે પણ તે તળાવ ‘મધુ પુષ્કરિણી’નામે દક્ષિણમાં પ્રખ્યાત છે. શ્રી મહાપ્રભુજી પોતાના ભકતોને કહેતા, સર્વ શાસ્ત્રોનો સાર શ્રીકૃષ્ણ નામનો જપ કરવામાં છે. તેમણે ભકતોને મહામંત્ર આપ્યો ‘હરે કૃષ્ણ! હરે કૃષ્ણ! કૃષ્ણ, કૃષ્ણ હરે હરે! હરે રામ હરે રામ! રામ, રામ! હરે હરે!’ જેને [[મહા મંત્ર]] અથવા [[હરે કૃષ્ણ મંત્ર]] તરિકે લોકો વધુ સારી રીતે જાણે છે. આપણા પૂ. [[ડોંગરેજી મહારાજ]] તેમની કથામાં જયારે આ ધૂન બોલાવતા ત્યારે કથામંડપમાં હજારો ભકતોની આંખોમાં આંસુ છલકાઇ જતાં. નગર [[કિર્તન|સંકીર્તન]]ની શરૂઆત કરનાર શ્રી મહાપ્રભુ છે. કેટલીક વાર જગન્નાથપુરીની ગલીઓમાં શ્રી કૃષ્ણ નામનો નાદ કરતા ગલીએ ગલીએ ફરતા. તેમની આ પરંપરા આજે પણ ચાલુ છે. તેમણે લખેલું કૃષ્ણભકિતનું અષ્ટક ([[શિક્ષાષ્ટક]]) તેમનાં હૃદયનાં શુદ્ધ ભાવ પ્રગટ કરે છે.
|