રબારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સત્ય
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 27.61.203.217 (talk) દ્વારા કરેલ ફેરફારોને CptViraj દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
{{સુધારો}}
{{સંદર્ભ આપો}}
'''રબારી''' એક નૃવંશ સમુદાય છે, જે આ નામથી ગુજરાતમાં વિશેષ કરીને ઓળખાય છે. રબારી મૂળભુત રીતે એક [[હિન્દુ]] [[ગોપાલકમાલધારી]] જાતી છે અને પશુપાલન તેમનો મુખ્ય વ્યવસાય છે. પશુઓ ના ઘાસચારા માટે સતત ભ્રમણશીલ જીવન જીવતાં હતા. જે આજે એકવીસમી સદી માં સમગ્ર ભારત માં સ્થાયી થયા છે. તેમજ અન્ય વ્યવસાયો પણ અપનાવ્યા છે. રબારી ઉપરાંત તેઓ મોટે ભાગે '''રાયકા''' અને '''દેસાઈ''', '''દેવાસી''', '''હિરવંશી''' ના નામે પણ ઓળખાય છે.
 
રબારીને રાયકા, દેસાઈ, દેવાસી, હીરાવંશી ના નામે સમગ્ર ભારત માં ઓળખવા માં આવે છે આ હિન્દુ માલધારી જાતિ પોતા ને ગોપાલક જાતી તરીખે ઓળખાવા માં ગર્વ અનુભવે છે.
લીટી ૧૦:
 
== ઉત્પત્તિ - દંતકથા ==
દરેક જાતિની ઉત્પત્તિ વિશે જેમ ભિન્ન મત હોય છે તેમ આ જાતિ વિશે પણ જુદાજુદા મત હોઈ શકે છે. પૌરાણિક વાત એવી છે કે જ્યારે ભગવાન [[શિવ|શિવજી]] હિમાલયમાં તપ કરતા હતા ત્યારે [[પાર્વતી]] મન બહેલાવવા માટે માટીમાથી ઊંટની આકૃતિ બનાવીને રમવા લાગ્યા. આ ઉંટને પાંચ પગ હતા. પાર્વતીજીએ શિવજીને આ આકૃતિમાં જીવ પૂરવાની જીદ કરી. ભોળા શંભુએ તથાસ્તુ કહ્યુ. પછી આ ઉંટને ચરાવવાની સમસ્યા ઉભી થઈ, ત્યારે શિવજીએ મા પાર્વતીના કહેવાથી ઊંટની સંભાળ રાખવા માટે એક માણસ ઉત્પન્ન કર્યો તે હતો પ્રથમ રબારી. આ માણસે દેવલોકની અપ્સરા અથવા હિમગિરીની કોઈ દેવી સાથે લગ્ન કર્યુ. (એક દંતકથા મુજબ 'રઈ' નામની અપ્સરા સાથે લગ્ન કર્યા જેનો વંશ 'રાયકા' ના નામથી ઓળખાયો). તેને ચાર પુત્રીઓ થઈ. એ ચાર પુત્રીઓનાં લગ્ન હિમાલયમાં રહેતી જુદીજુદી જાતિના પુરુષો સાથે થયાં, અને એ ચારે પુરુષોની જે સંતતિ થઈ એ હિમાલયના નિયમ બહારનાં લગ્ન હોવાથી એ પ્રજા રાહબારી કે રબારીના નામથી ઓળખાવા લાગી.
એક માન્યતા પ્રમાણે, મક્કા-મદીનાના વિસ્તારોમાં મહમ્મદ પયંગબર સાહેબ પહેલાં જે અરાજકતા પ્રવર્તતી હતી જેના કારણે મૂર્તિ પૂજાનો વિરોધ થયો અને પરિણામે આ લોકોને પોતાનો ધર્મ બચાવવો મુશ્કેલ થતાં પોતાના દેવી-દેવતાઓને પાલખીમાં લઈને હિમાલયના વિસ્તારોમાંથી ભારતમાં પ્રવેશી હશે. (હાલમા પણ રબારી લોકો પોતાના દેવી-દેવતાને મૂર્તિરૂપે પ્રસ્થાપિત કરતાં નથી પરંતુ પાલખીમાં રાખે છે.) તેમાં હૂણ અને શકના ધાડા સામેલ હતાં. રબારી જ્ઞાતિમાં આજે પણ ઘણા હૂણ અટક ધરાવે છે તે ઉપરથી એવું અનુમાન થઈ શકે કે હૂણ રબારી જ્ઞાતિમાં ભળી ગયા હોય.
એક મત એવો છેકે ભગવાન [[પરશુરામ|પરશુરામે]] પૃથ્વીને એકવીસ વખત ક્ષત્રિયવિહિન કરી ત્યારે ૧૩૩ જેટલા [[ક્ષત્રિય|ક્ષત્રિયોએ]] પરશુરામના ડરથી ક્ષ્રાત્રધર્મ છોડી પશુપાલનનું કાર્ય સ્વીકાર્યુ. તેથી તેઓ 'વિહોતર' તરીકે ઓળખાયા. વિહોતેર એટલે ૨૦+૧૦૦+૧૩=૧૩૩. ભાટ,ચારણ અને વહીવંચાઓના ગ્રંથો પ્રમાણે મૂળ પુરુષને સોળ પુત્રીઓ થઈ અને તે સોળ પુત્રીના લગ્ન સોળ ક્ષત્રિય કુળના પુરુષો સાથે થયાં. જે [[હિમાલય]]ના નિયમ બહારની લગ્નવિધિથી થયેલાં હોઈ, સોળની જે સંતતિ થઈ તે રાહબારી અને પાછળથી રાહબારીનું અપભ્રંશ થવાથી રબારીના નામથી ઓળખાવા લાગી. ત્યાર પછી સોળની જે સંતતિ થઈ તે એકસો તેત્રીસ શાખામાં વહેચાઈ ગઈ, જે "વિશા તેર" (વિશોતેર) નાત એટલે કે એકસો વીસ અને તેર તે રીતે ઓળખાઈ. પ્રથમ આ જાતિ રબારી તરીકે ઓળખાઈ, પરંતુ પોતે રાજપુત્ર કે રાજપુત હોવાથી રાયપુત્રના નામે અને રાયપુત્રનું અપભ્રંશ થવાથી 'રાયકા' ના નામે , ગાયોનું પાલન કરતાં હોવાથી 'ગોપાલક' ના નામે, મહાભારતના સમયમાં પાંડવોનું અગત્યનું કામ કરવાથી 'દેસાઈ' ના નામે પણ આ જાતિ ઓળખાવા લાગી.
લીટી ૧૯:
== ઐતિહાસીક ઉલ્લેખો ==
રબારી જાતિનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો હોવા છતાં છેક [[મહાભારત]] યુગથી મધ્ય યુગ સુધી રાજામહારાજાઓના ખાનગી સંદેશા પહોંચાડવાનું કામ તેમજ બહેન-દીકરી અને પુત્રવધુઓને તેડવા કે મૂકવા માટે અતિવિશ્વાસપૂર્વક રબારીનો જ ઉપયોગ કરવામાં આવતો તેવા અનેક પ્રસંગો ઇતિહાસના પાને નોંધાયા છે. પાંડવો પાસે અનેક માણસો હોવા છતાં મહાભારતના યુધ્ધ ના સમયે વિરાટનગરીથી [[હસ્તિનાપુર]] રાતોરાત સાંઢણી ઉપર સાડા ચારસો માઈલનું અંતર કાપી [[ઉત્તરા]]ને હેમખેમ પહોંચાડનાર રત્નો રખેવાળ રબારી હતો. ભારત ઉપર મહંમદ ગઝનવીએ આક્રમણ કર્યુ ત્યારે તેનો વીરતાપૂર્વક સામનો કરનાર, [[હમીરજી ગોહિલ|મહારાજા હમીરદેવ]]નો સંદેશો ભારતના તમામ રાજવીઓને પહોંચાડનાર સાંઢણી સવાર રબારી જ હતો. [[જૂનાગઢ]]ના ઇતિહાસકાર ડો.શંભુપ્રસાદ દેસાઈએ નોંધ્યુ છે કે,.<nowiki><ref>{{cite book | title=કાઠિયાવાડનો ઇતિહાસ | author=શંભુપ્રસાદ હ. દેસાઈ </nowiki>[[બરડા અભયારણ્ય|બરડા]]ની રાજગાદી ગુમાવનાર જેઠવા વંશના રાજકુમાર અને રાજમાતા કલાંબાઈને આશરો આપી, પોતાના સેંકડો યુવાનોનાં માથાં રણભુમિમાં સમર્પણ કરી ગાદી પાછી અપાવનાર રબારી જ હતા.
 
રબારી ને રાયકા નું બિરૂદ રાઓ કે રાય પરથી મળેલું છે. જે યાદવ હત તેથી રબારી યાદવ હોવાની સંભાાવના છે.
 
હિરાવંશી નો અર્થ- રબારી ને હીરા વંશી નું બિરૂદ હૈહય વંશી પરથી પ્રાપ્ત થયેલ છે. હૈહય વંશ એ યદુવંશ નો ઉપવંશ છે.તેથી હૈહયવંશી નું અપ્રભંશ થઈ ને હિરાવંશી થયું.
 
અને રબારી વિતિહોતર રાજા જે હૈહય યાદવ હતા એના વંશજ છે. માટે રબારી ને વિહોતર કહેવામાં આવે છે. વિતિહોતર નું કાળક્રમે વિહોતર થયું. જે સત્ય છે.
 
વિતિહોતર રાજા ને મારું,કોલક, જાજલ, દેવ નામથી સંતાા થઈ . તેથી આજે પણ રબારી સમાજ માં મારું, કોલા, જાજળા, દેવ એવી શાખો છે.
 
 
==વિદ્વાનોનો મત==