ધન તેરસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Added Content
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
Added Content
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૭:
 
ધન તેરસનું અન્ય એક મહત્વ પણ છે, કથા પ્રમાણે [[બલીરાજા]]નાં કારાગૃહમાં પુરાયેલ [[લક્ષ્મી| લક્ષ્મીજી]] તથા અન્ય દેવોને ભગવાન [[વિષ્ણુ]]એ ધન તેરસને દિવસે મુક્ત કરાવ્યાં માટે આ દિવસ લક્ષ્મીપૂજનનો માનવામાં આવે છે. આમતો જો કે ધનનાં સ્વામી [[કુબેર]] છે (વેદગ્રંથો મુજબ લક્ષ્મી એટલે માત્ર શુકનવંતી અને મંગલકારી દૈવી સ્ત્રી).
 
ભગવાન ધન્વતંરીનો જન્મદિવસ ધનતેરસ :-
 
પુરાણો અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન સોનાનો કળશ લઈને ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થયા હતા. આ સોનાના કળશમાં અમૃત હતું, જેનું પાન કરવાથી દેવતાઓ અમર થઈ ગયા. માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરી બાદ દેવી લક્ષ્મી મંથનમાંથી ઉત્પન્ન થયા. જેના કારણે બે દિવસ દિવાળી ઉજવાય છે.
 
માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરી વિષ્ણુના અંશાવતાર છે, જેમણે સૃષ્ટિમાં આયુર્વેદ અને ચિકિત્સા માટે અવતાર લીધો હતો. ભગવાન ધન્વંતરીના દેવતાઓને વૈધ પણ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી ધર-પરિવારના બધા લોકો સ્વસ્થ રહે છે. ધન્વંતરી સુવર્ણ કળશમાં અમૃત લઈને પ્રગટ થયા હતા આથી ધનતેરસ પર વાસણ અને ધાતુની વસ્તુઓ ખરીદવું શુભ માનવામાં આવે છે.
 
આ કારણે કહેવાય છે ધનતેરસ :-
 
રાજા બલિએ દેવતાઓ પાસેથી જે કંઈપણ છીનવ્યું હતું તેનું 13 ગણુ વધારે તેમને મળી ગયું. જે દિવસે તેમને રાજ પાઠ મળ્યો હતો, તે દિવસે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની તેરસ હતી. દેવતાઓને 13 ગણુ વધારે મળવાના કારણે આ તિથિને ધનતેરસ કહેવાય છે.
 
{{દિવાળી}}