આ દિવસને હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસે કોઈપણ પ્રકારના શુભ કાર્ય કરવા માટે મુહુર્ત જોવાની જરૂર નથી હિંદુ ધર્મ શાસ્ત્ર મુજબ વરસમાં ચાર કે પાંચ જેટલા વણ લખ્યા વણજોયા મુહુર્ત દિવસમાં નો એક દિવસ છે
વસંત પંચમીના દિવસે જો આંબા માં આવેલા મોરને બંને હથેળીથી ઘસવામાં આવે તો એવી માન્યતા છે કે તેની અસર આખા વર્ષ સુધી રહે છે કોઈપણ ઝેરી પ્રાણી સાપ વીંછી જેવા પ્રાણીઓ જો કરડે તો વસંત પંચમીના દિવસે જો બંને હાથથી આંબાના મોર ને હાથમાં ઘસ્યા હોય તેવા હાથથી જેને પણ આવું પ્રાણી કર્યું હોય તેના શરીર ઉપર કરડીયા વાળા ભાગમાં શરીરમાં ઉપરથી નીચેની તરફ જો હાથ ફેરવવામાં આવે તો દરેક પ્રકારના વિષનો નાશ થાય છે અને જે તે વ્યક્તિ બિલકુલ સ્વસ્થ બની જાય છે