ખારાઘોડા (તા. દસાડા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું Used Gujarat village stub template. |
KartikMistry (ચર્ચા | યોગદાન) ખારાઘોડાથી માહિતી અહીં ખસેડી. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૧:
{{Infobox Indian
type = ગામ |
▲| native_name = ખારાઘોડા
| state_name = ગુજરાત▼
state_name2 = |
▲| latd = 23.324081
district = [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર]] |
▲| longd= 71.830379
leader_title = |
| area_total = ▼
leader_name = |
| population_total = ▼
area_magnitude= sq. km |
area_telephone = |
postal_code = |
| footnotes = ▼
vehicle_code_range = |
sex_ratio = |
unlocode = |
website = |
}}
'''ખારાઘોડા''' [[ભારત]]નાં [[ગુજરાત]] રાજ્યમાં [[કચ્છનું નાનું રણ|કચ્છનાં નાનાં રણ]]ના છેવાડે [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લા]]ના [[દસાડા તાલુકો|દસાડા તાલુકા]]માં આવેલું એક [[ગામ]] છે. મીઠા ઉદ્યોગના વિકાસને કારને આ ગામ મીઠાના વેપારનું એક અગત્યનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં ખુબ મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થાય છે. મીઠાના મોટા ભાગના વેપારીઓ ૮ કિ.મી. દૂર આવેલા [[પાટડી (તા. દસાડા)|પાટડી]] ગામમાં રહે છે.
== ઈતિહાસ ==
[[મુંબઇ]] રાજ્યના બ્રિટિશ શાસન દરમ્યાન ખારાધોડા અમદાવાદ જિલ્લાનો ભાગ હતું પણ હવે તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે. [[વિરમગામ]]-ખારાઘોડા રેલ્વે લાઇન ત્યાંના મીઠાના ઉત્પાદનના કારણે બી.બી. એન્ડ સી. આઇ. રેલ્વેના જમાનામાં નાખવામાં આવી હતી. રણના કિનારે આવેલું ખારાઘોડા મીઠાના ઉત્પાદનમાં સૌથી મોખરે હતું. ખારાઘોડાની આસપાસની વસ્તીના મજુર વર્ગને રોકીને ખાનગી પેઢીઓ દ્વારા મીઠું પકવવામાં આવતું. આ મજુરો અગરીયા તરીકે ઓળખાય છે. તેઓ વરસાદના સમયમાં જે પાણી વરસે અને જમીનમાં ઉતરે તેને બોર દ્વારા ખેંચી તેને પાટા નામે ઓળખાતા મીઠાનાં ખેતરોમાં ભરી તેના દ્વારા કાદવ જેવી થયેલી માટીને પગ દ્વારા કેળવતા. ત્યારબાદ તેમાં ક્ષાર વાળું પાણી ભરી રાખતા. તાપના કારણે પાણી ઉડી જઇ પાછળ બચેલું મીઠું દાંતી દ્વારા ખેંચી રેલ્વેના વેગનોમાં ભરી ખારાધોડા લાવવામાં આવતું જ્યાંથી દેશભરમાં તેની નિકાસ થતી. કૂવાના ખારા પાણી દ્વારા પકવવામાં આવતા મીઠાને વરાગડું કહેવાય છે.<ref>{{cite book |last= Patel |first= Vallabhbahi Lallubhai |date=1925-03-31 |title=ગુજરાત પ્રાંત (Gujarat Prant) |url= https://ia801607.us.archive.org/23/items/in.ernet.dli.2015.256441/2015.256441.Gujarat-Prant-2.pdf |location= Ahmedabad |publisher= The Gujarat Oriental Book Depot |page= 33 |isbn= |author-link= }}</ref>
એક જમાનામાં [[મુંબઇ]]ના ટેક્સી ડ્રાઇવરો અહીં ટ્રક ચલાવવા આવતા. કારણકે, ઉનાળામાં મીઠું અગરમાંથી ખેંચાય તે દરમ્યાન અહીં રોજીની ખૂબ તકો ઉભી થતી. પરંતુ ઋતુ ન હોય ત્યારે ગામમાં રોજી ન હોવાથી ગામની જનતાની પ્રગતિ જોઇએ તેવી થઇ ન હતી.
== ઉદ્યોગ ==
સરકારી મીઠાની કંપની ''હિન્દુસ્તાન સોલ્ટ'' ના નામે ચાલે છે, જેનું પ્રારંભિક નામ ''ભારત સોલ્ટ'' હતું . હિન્દુસ્તાન સોલ્ટના પગરણ પછી મીઠાની પેઢીઓ નુકશાનમાં જવા લાગી. પરિણામે, અગરીયાઓની સહકારી મંડળી દ્વારા મીઠું પકવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું. મીઠામાંથી આડપેદાસમાં [[બ્રોમાઇડ]] અને [[મેગ્નેશિયમ]] મળતું હોવાથી અહીં તેની પણ ફેકટરીઓ છે.
==વસ્તી==
૨૦૦૧માં થયેલી વસ્તી ગણતરી મુજબ<ref>{{cite web|url=http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archiveurl=http://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archivedate=2004-06-16|title= Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)|accessdate=2008-11-01|work= |publisher= Census Commission of India}}</ref>, ખારાધોડાની વસ્તી ૧૦,૯૨૭ હતી. જે પૈકી ૫૪% પુરુષો અને ૪૬% મહિલાઓ છે. ખારાઘોડાનું સરેરાશ સાક્ષરતા પ્રમાણ ૪૧% છે જે રાષ્ટ્રીય સરેરાશ (૫૯.૫%) કરતા નીચું છે: પુરુષ સાક્ષરતા પ્રમાણ ૫૨% છે જ્યારે ૨૯% સ્ત્રીઓ સાક્ષર છે. કુલ વસ્તીનાં ૧૬% છ વર્ષથી નાની વયના બાળકો છે.
== સુવિધાઓ ==
અહીંની એકમાત્ર હોસ્પીટલ હિંદુસ્તાન સોલ્ટ લિમીટેડ દ્વારા ચલાવવામાં આવે છે. ગામમાં અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવેલું એક પુસ્તકાલય પણ છે, જેમાં હજુ પણ ખુબજ સારા પુસ્તકોનો સંગ્રહ છે.
==સંદર્ભ==
{{Reflist}}
{{EB1911}}
[[શ્રેણી:ગુજરાતનાં ગામો]]
[[શ્રેણી:દસાડા તાલુકો]]
|