ઊખીમઠ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8
લીટી ૨૩:
|website=}}
 
'''ઊખીમઠ''' (અંગ્રેજી ભાષામાં Okhimath પણ લખવામાં આવે છે) એક નાનું શહેર તેમ જ હિંદુ યાત્રાધામ છે, જે ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના [[રુદ્રપ્રયાગ જિલ્લો|રુદ્રપ્રયાગ જિલ્લા]] ખાતે આવેલ છે. તે દરિયાઈ સપાટીથી ૧૩૧૧ મીટર જેટલી ઉંચાઇ પર અને રુદ્રપ્રયાગ ખાતેથી ૪૧ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. શિયાળાની ઋતુ દરમિયાન, [[કેદારનાથ જ્યોતિર્લિંગ|કેદારનાથ મંદિર]] અને [[મધ્યમહેશ્વર|મધ્યમેશ્વર]] મંદિર ખાતેથી મૂર્તિઓને ઊખીમઠ ખાતે લાવવામાં આવે છે અને અહીં છ મહિના સુધી પૂજા કરવામાં આવે છે. નજીકમાં સ્થિત વિવિધ સ્થળોની મુલાકાત લેવા માટે ઊખીમઠનો કેન્દ્ર સ્થાન તરીકે ઉપયોગ કરી શકાય છે, જેમ કે મધ્યમહેશ્વર (દ્વિતિય કેદાર), [[તુંગનાથ]] (તૃતિય કેદાર) અને [[દેવરિયા તાલ]] (એક કુદરતી તાજા પાણીનું તળાવ) અને અન્ય ઘણા મનોહર સ્થળો. <ref> [http://www.euttaranchal.com/tourism/ukhimath.php ઉખીમાથ] </ref> હિન્દુ પૌરાણિક કથા અનુસાર ઉષા ( વનાસુરની પુત્રી) અને અનિરુધ્ધ (ભગવાન [[કૃષ્ણ|કૃષ્ણના]] પૌત્ર) ની લગ્નવિધિ અહીં ઉજવવામાં આવી હતી. ઉષાના નામથી આ સ્થળનું નામ ઉશામઠ હતું, જેને હવે ઊખીમઠ તરીકે ઓળખવામાં આવે છે. રાજા માંધાતાએ અહીં ભગવાન [[શિવ|શિવને]] રીઝવવા તપ કર્યું હતું. શિયાળા દરમિયાન કેદારનાથની ડોલી ઉત્સવ ઉજવણી કરી આ જગ્યાએ લાવવામાં આવે છે. ભગવાન કેદારનાથની શિયાળુ પૂજા અને ભગવાન ઓમકારેશ્વરની આખું વર્ષ અહીં યોજાય છે. આ ઓમકારેશ્વર મંદિર ઊખીમઠમાં આવેલું છે, જે રુદ્રપ્રયાગથી ૪૧ કિલોમીટર જેટલા અંતરે છે <ref>{{Cite [web |url=http://www.badarikedar.org/content-kedar.aspx?id=52 |title=ઊખીમઠ] |access-date=2019-02-11 |archive-date=2012-08-23 |archive-url=https://web.archive.org/web/20120823094224/http://badarikedar.org/content-kedar.aspx?id=52 |url-status=dead }}</ref>
 
ઊખીમઠમાં અન્ય ઘણા દેવીઓ અને દેવીઓ જેમ કે ઉષા, શિવ, અનિરુદ્ધ, પાર્વતી અને માંધાતાને સમર્પિત પ્રાચીન મંદિરો છે. <ref> [http://expertbulletin.com/ukhimath/ ઊખીમઠ યાત્રા માર્ગદર્શિકા] </ref> ગોપેશ્વર સાથે ગુપ્તકાશીને જોડતા માર્ગ પર સ્થિત આ પવિત્ર નગર મુખ્યત્વે કેદારનાથના મુખ્ય પૂજારીઓની વસાહત છે, જેઓ રાવલ તરીકે ઓળખાય છે.