શાસ્ત્રીજી મહારાજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
શાસ્ત્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના તૃતીય આઘ્યાત્મિક અનુગામી હતા. સને ૧૮૬૫માં [[વસંતપંચમી]]એ [[ચરોતર]]ના મહેળાવ ગામે પાટીદાર કુળમાં તેમનો જન્મ થયો હતો. ભગવાન [[સ્વામિનારાયણ]] સાથે ૧૨ વર્ષ રહેલા મહાન સંત સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે ૧૯ વર્ષની વયે દીક્ષા લઈને સ્વામીશ્રી યજ્ઞપુરુષદાસજી બન્યા. વિધાભ્યાસમાં અત્યંત તેજસ્વિતા, તપસ્વિતા, નિષ્કલંક સાધુતા, સનાતન અઘ્યાત્મ પરંપરાના પ્રખર વકતા અને અજૉડ વ્યકિતત્વને કારણે ખૂબ નાની વયમાં સૌનાં દિલ જીતી લીધાં. શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીએ માનવકલ્યાણના ઉદ્દેશ્યથી વૈદિક ઉપાસના જ્ઞાનના વિસ્તાર માટે બી.એ.પી.એસ. સંસ્થાની સ્થાપના કરી. ભગવાન સ્વામિનારાયણના માનવકલ્યાણના સનાતન સંદેશને જગતભરમાં વિસ્તારવા એમણે નાત-જાત અને ત્યાગી-ગૃહીની રૂઢિઓથી પર થઈને પ્રાગજીભકત જેવા નિમ્ન વર્ણના બ્રહ્મસ્વરૂપ વ્યકિતત્વને ગુરુ તરીકે સ્વીકાર્યા.