જમનાલાલ બજાજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Snehrashmi (ચર્ચા | યોગદાન) Mahatma Gandhi 2021 edit-a-thon |
Snehrashmi (ચર્ચા | યોગદાન) |
||
લીટી ૨૪:
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે દેશી ઉદ્યોગપતિઓને ખુશ કર્યા હતા અને સન્માન આપ્યું હતું અને ભંડોળની માંગ કરી હતી. તેઓએ જમનાલાલને માનદ મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કર્યા. જ્યારે તેમણે યુદ્ધ ભંડોળ માટે પૈસા પૂરા પાડ્યા ત્યારે તેઓએ તેમને રાય બહાદુરની ઉપાધિથી નવાજ્યા હતા. જોકે આ સન્માન તેમણે ૧૯૨૧ની [[અસહયોગ આંદોલન|અસહકારની ચળવળ]] દરમિયાન પરત કર્યું હતું.
== ગાંધીજીના અનુયાયી ==
મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા ત્યારથી જમનાલાલે ગાંધીજીની જીવનશૈલી, અહિંસા જેવા તેમના સિદ્ધાંતો અને ગરીબો પ્રત્યેના તેમના સમર્પણમાં રસ લીધો હતો. તેઓ ગાંધીજીની દૂરંદેશીતાને સમજી શક્યા કે ઘરેલું માલ ભારતની ગરીબીનો જવાબ છે. તેમણે વિચાર્યું કે કેટલીક બ્રિટિશ કંપનીઓ ભારતમાંથી સસ્તા, કાચા કપાસની આયાત કરી રહી છે અને તૈયાર કપડું પાછું મોકલી રહી છે. ગાંધીજી [[સાબરમતી આશ્રમ]]માં જે સરળ જીવન જીવી રહ્યા હતા તેનાથી તેઓ પ્રભાવિત થયા હતા. આશ્રમની પ્રાર્થના અને શારીરિક કાર્યની દિનચર્યાથી તેઓ પ્રભાવિત થયા. તેઓ તેમની પત્ની જાનકીદેવી અને તેમના બાળકોને આશ્રમમાં રહેવા લાવ્યા. જો કે, ગાંધીજી સાથેના ગાઢ સંબંધ અને સ્વતંત્રતા ચળવળમાં તેમની સહભાગીતાને કારણે જમનાલાલ બજાજને તેમના નવા શરૂ થયેલા વ્યાવસાયિક સાહસ પર વધુ ધ્યાન આપી શક્યા નહી.<ref>{{cite web|url=https://www.bajajauto.com/about-us/the-company |title=History of Bajaj Auto}}</ref>
== સ્વતંત્રતા ચળવળ ==
૧૯૨૦માં જમનાલાલ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના નાગપુર સત્ર માટે સ્વાગત સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેમણે બ્રિટિશ સરકાર દ્વારા તેમને આપવામાં આવેલા રાય બહાદુરનું બિરુદ છોડી દીધું હતું અને ૧૯૨૧માં [[અસહયોગ આંદોલન]]માં જોડાયા હતા. બાદમાં, ૧૯૨૩માં, તેમણે નાગપુરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા પરના પ્રતિબંધને અવગણીને ધ્વજ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો, અને બ્રિટિશ દળોએ તેમની અટકાયત કરી હતી. આનાથી તેમની રાષ્ટ્રીય પ્રતિષ્ઠામાં વધારો થયો હતો.
તેઓ ઇચ્છતા હતા કે ગાંધીજી વર્ધા જાય અને તેને તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવે. એપ્રિલ ૧૯૩૦માં [[દાંડી સત્યાગ્રહ|દાંડી કૂચ]] બાદ ગાંધીજી ગ્રામીણ લોકોની નજીક રહેવા માંગતા હોવાથી વર્ધા નજીકના એક નાનકડા ગામ [[સેવાગ્રામ]] ગયા અને આઝાદી ન મળે ત્યાં સુધી [[સાબરમતી આશ્રમ]]માં પાછા નહીં ફરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
જમનાલાલને કામદારોના એક જૂથ ''ગાંધી સેવા સંઘ''ના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બાદમાં તેઓ કોંગ્રેસ કાર્યકારિણી સમિતિના સભ્ય અને ૧૯૩૩ માં કોંગ્રેસના ખજાનચી તરીકે ચૂંટાયા હતા.
== સંદર્ભ ==
{{Reflist}}
|