જમનાલાલ બજાજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સામાન્ય સાફસફાઈ તથા {{કામ ચાલુ}} ઢાંચો હટાવ્યો
લીટી ૧:
{{કામ ચાલુ}}
{{Infobox person
| name = જમનાલાલ બજાજ
Line ૧૭ ⟶ ૧૬:
 
== પૃષ્ઠભૂમિ અને પ્રારંભિક જીવન ==
જમનાલાલ બજાજનો જન્મ ૧૮૮૯માં [[રાજસ્થાન]]ના [[સિકર]] નજીક 'કાશી કા બાસ' નામના ગામમાં કનિરામ અને બિરધીબાઈના ત્રીજા પુત્ર તરીકે એક મારવાડી પરિવારમાં થયો હતો. બાદમાં તેમને શેઠ બચરાજ (બજાજ) અને તેમની પત્ની સાદીબાઈ બચરાજ (બજાજ) દ્વારા પૌત્ર તરીકે દત્તક લેવામાં આવ્યા હતા, જે મૂળ રાજસ્થાનના વતની હતા પરંતુ મહારાષ્ટ્રના વર્ધામાં[[વર્ધા]]માં સ્થાયી થયા હતા. શેઠ બચરાજ (બજાજ) તેમના પિતાના પક્ષે દૂરના સંબંધી હતા, અને બ્રિટિશ રાજના જાણીતા અને આદરણીય વેપારી હતા.<ref>{{cite news|last1=D|first1=Avantika|title=Life before success of these Indian industrialists of humble beginnings will inspire every ambitious mind|url=https://in.finance.yahoo.com/photos/7-indian-industrialists-humble-beginnings-slideshow-wp-113911868/p-born-poor-marwari-family-photo-113911298.html|work=Yahoo!|date=31 December 2018}}</ref>
 
યુવાન જમનાલાલ, શેઠ બચરાજની છત્રછાયા હેઠળ તેમના દત્તક પરિવારના પારિવારિક વ્યવસાયમાં સામેલ થયા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે વેપાર, રોજમેળ અને ચીજવસ્તુઓ ખરીદવા અને વેચવાની કુશળતા પ્રાપ્ત કરી હતી. શેઠ બચરાજનું અવસાન થયું ત્યાં સુધીમાં તેમણે તેમના કામમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. ૧૯૨૬માં જમનાલાલે બજાજ જૂથ ઉદ્યોગોની સ્થાપના કરી હતી.
 
== માનદ ન્યાયાધીશ ==
[[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] દરમિયાન બ્રિટિશ સરકારે દેશી ઉદ્યોગપતિઓને ખુશ કર્યા હતા અને સન્માન આપ્યું હતું અને ભંડોળની માંગ કરી હતી. તેઓએ જમનાલાલને માનદ મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કર્યા. જ્યારે તેમણે યુદ્ધ ભંડોળ માટે પૈસા પૂરા પાડ્યા ત્યારે તેઓએબ્રિટિશ સરકારે તેમને રાય બહાદુરની ઉપાધિથી નવાજ્યા હતા. જોકે આ સન્માન તેમણે ૧૯૨૧ની [[અસહયોગ આંદોલન|અસહકારની ચળવળ]] દરમિયાન પરત કર્યું હતું.
 
== ગાંધીજીના અનુયાયી ==
મહાત્મા ગાંધી [[દક્ષિણ આફ્રિકાથીઆફ્રિકા]]થી ભારત પરત ફર્યા ત્યારથી જમનાલાલે ગાંધીજીની જીવનશૈલી, [[અહિંસા]] જેવા તેમના સિદ્ધાંતો અને ગરીબો પ્રત્યેના તેમના સમર્પણમાં રસ લીધો હતો. તેઓ ગાંધીજીની દૂરંદેશીતાને સમજી શક્યા કે ઘરેલું માલ ભારતની ગરીબીનો જવાબ છે. તેમણે વિચાર્યું કે કેટલીક બ્રિટિશ કંપનીઓ ભારતમાંથી સસ્તા, કાચા કપાસની[[કપાસ]]ની આયાત કરી રહી છે અને તૈયાર કપડું પાછું મોકલી રહી છે. ગાંધીજી [[સાબરમતી આશ્રમ]]માં જે સરળ જીવન જીવી રહ્યા હતા તેનાથી તેઓ પ્રભાવિત થયા હતા. આશ્રમની પ્રાર્થના અને શારીરિક કાર્યની દિનચર્યાથી તેઓ પ્રભાવિત થયા. તેઓ તેમની પત્ની જાનકીદેવી અને તેમના બાળકોને આશ્રમમાં રહેવા લાવ્યા. જો કે, ગાંધીજી સાથેના ગાઢ સંબંધ અને સ્વતંત્રતા ચળવળમાં તેમની સહભાગીતાને કારણે જમનાલાલ બજાજને તેમના નવા શરૂ થયેલા વ્યાવસાયિક સાહસ પર વધુ ધ્યાન આપી શક્યા નહી.<ref>{{cite web|url=https://www.bajajauto.com/about-us/the-company |title=History of Bajaj Auto}}</ref>
 
== સ્વતંત્રતા ચળવળ ==
૧૯૨૦માં જમનાલાલ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના [[નાગપુર]] સત્ર માટે સ્વાગત સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેમણે બ્રિટિશ સરકાર દ્વારા તેમને આપવામાં આવેલા રાય બહાદુરનું બિરુદ છોડી દીધું હતું અને ૧૯૨૧માં [[અસહયોગ આંદોલન]]માં જોડાયા હતા. બાદમાં, ૧૯૨૩માં, તેમણે નાગપુરમાં [[ભારતનો રાષ્ટ્રધ્વજ|રાષ્ટ્રધ્વજ]] ફરકાવવા પરના પ્રતિબંધને અવગણીને ધ્વજ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો, અને બ્રિટિશ દળોએ તેમની અટકાયત કરી હતી. આનાથી તેમની રાષ્ટ્રીય પ્રતિષ્ઠામાં વધારો થયો હતો.
 
તેઓ ઇચ્છતા હતા કે ગાંધીજી વર્ધા જાય અને તેને તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવે. એપ્રિલ ૧૯૩૦માં [[દાંડી સત્યાગ્રહ|દાંડી કૂચ]] બાદ ગાંધીજી ગ્રામીણ લોકોની નજીક રહેવા માંગતા હોવાથી વર્ધા નજીકના એક નાનકડા ગામ [[સેવાગ્રામ]] ગયા અને આઝાદી ન મળે ત્યાં સુધી [[સાબરમતી આશ્રમ]]માં પાછા નહીં ફરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
Line ૩૫ ⟶ ૩૪:
 
== સમાજસેવા ==
જમનાલાલ બજાજને [[અસ્પૃશ્યતા]] દૂર કરવી, હિન્દીને[[હિન્દી ભાષા|હિન્દી]]ને પ્રોત્સાહન આપવું અને [[ખાદી]] અને ગ્રામોદ્યોગ જેવી પહેલમાં રસ હતો. ખાદીને પ્રોત્સાહન આપવા માટે તેમણે દેશભરમાં પ્રવાસ કર્યો હતો. ૧૯૨૫માં તેમને અખિલ ભારતીય વણાટ સંઘના કોષાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ અખિલ ભારતીય હિન્દી સાહિત્ય સંમેલનના પ્રમુખ પણ રહ્યા હતા. તેમણે તમામ ભારતીયોને એકજૂથ કરવા માટે હિન્દીને રાષ્ટ્ર ભાષા તરીકે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે હિન્દી સામયિકો અને પુસ્તકો પ્રકાશિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે મુંબઈમાં 'ગાંધી હિન્દી પુસ્તક ભંડાર' અને 'સસ્તા સાહિત્ય મંડળ' (પ્રકાશન ગૃહ) ની શરૂઆત કરી હતી.
 
તેમણે દેશભરમાં હિન્દીનું[[હિન્દી ભાષા|હિન્દી]]નું ચલણ વધારવાની આશાથી [[સી. રાજગોપાલાચારી]] સાથે 'દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભા'ની સ્થાપના કરી હતી.
 
૧૯૨૮થી તેમણે [[દિલ્હી|નવી દિલ્હીનીદિલ્હી]]ની જામિયા મિલિયા ઇસ્લામિયા વિશ્વવિદ્યાલયની પ્રબંધક સમિતિના મુખ્ય ખજાનચી તરીકે સેવા આપી હતી. ૧૯૨૮થી તેઓ વિશ્વવિદ્યાલયના આજીવન સભ્ય બન્યા હતા.
 
તેમનીતેમના સમર્પણને કારણે તેઓ ૧૯૩૮માં જયપુર રાજ્ય પ્રજા મંડળના વડા તરીકે ચૂંટાયા હતા. આ દરમિયાન તેમણે [[સિકર]] અને જયપુરના[[જયપુર]]ના મહારાજાઓ વચ્ચે યુદ્ધવિરામની વાટાઘાટો કરી હતી.
 
તેમની સામાજિક પહેલના માનમાં બજાજ ફાઉન્ડેશન દ્વારા 'જમનાલાલ બજાજ પુરસ્કાર'ની સ્થાપના કરવામાં આવી છે.<ref>{{cite web |url=http://innovationsofindia.com/index.htm |title=Archived copy |access-date=23 April 2009 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20090506004521/http://www.innovationsofindia.com/index.htm |archive-date=6 May 2009 }}</ref>
 
== સન્માન ==
'જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ' સહિત અનેક સંસ્થાઓનું નામકરણ તેમના નામ પરથી કરવામાં આવ્યું છે. મુંબઈના અંધેરીમાં આવેલા જે.બી. નગર નામના એક વિસ્તારનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. ગાંધીમૂલ્યો, સામુદાયિક સેવા અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી ૧૯૭૮ માં જમનાલાલ બજાજ ફાઉન્ડેશન દ્વારા ''જમનાલાલ બજાજ પુરસ્કારનીપુરસ્કાર''ની સ્થાપના કરવામાં આવી હતી અને દર વર્ષે તેમની જન્મજયંતિ પર આ પુરસ્કાર આપવામાં આવે છે.<ref>{{cite web |title=Jamnalal Bajaj Award |url=http://www.jamnalalbajajfoundation.org/the_foundation/about_jbf |publisher=Jamnalal Bajaj Foundation |url-status=dead |archive-url=https://web.archive.org/web/20120329004951/http://www.jamnalalbajajfoundation.org/the_foundation/about_jbf |archive-date=29 March 2012 }}</ref>
 
== સંદર્ભ ==